એક વીદ્વાન ગણાતા વડીલે હમણાં જ ચમત્કારોની અનુભુતીની અન્ય મીત્રની વાતને શ્રધ્ધાથી જોઈ…‘આ મીત્રતો જુઠું બોલે જ નહીં’ એવી મીત્ર પ્રત્યેની કેવળ શ્રધ્ધા! શંકાની સ્વીચ જ ઓફ! શ્રધ્ધાના નામે પોતાની સ્વતંત્ર વીચાર–વાણીની શક્તીને અંધારા ઓરડામાં પુરી દઈ તેને ગળે ટુંપો દેવાની વાતથી જ અંધશ્રધ્ધાના બીજ રોપાઈ જાય છે એ વીકાસ પામી ક્યારે વીરાટ વૃક્ષ બની જાય છે તેનું ભાન રહેતું નથી. જ્ઞાનની પ્રગતી–પ્રાપ્તી માટે શ્રધ્ધા નહીં, કેવળ શંકા–સંશય જ અનીવાર્ય છે. શ્રધ્ધા વૈચારીક પ્રગતી સ્થગીત કરી દે છે, જયારે શંકા જ માનવજાતને સત્યની દીશા તરફ દોરી જવાની પુર્વભુમીકા પુરી પાડે છે.
ગૌતમ બુધ્ધના શબ્દો યાદ કરીએ….‘તમે ગમે ત્યાં વાંચ્યું હોય તો પણ માનશો નહીં, અને મેં કહ્યું એટલા માત્રથી જ સાચું એમ માનશો નહીં, માત્ર તમારી તર્કબુધ્ધી (વીવેકબુધ્ધી) અને તમારી સહજબુધ્ધીથી સ્વીકાર્ય હોય તો જ માનજો…!’ આ દેશના બધા જ ગુરુઓ પોતાના ચેલાઓને આવો ઉપદેશ આપે તો?
માનવ સમાજે સાચુ સુખ માણવું હોય, સંસ્કૃતીને વીકાસશીલ રાખવી હોય તો જીવનને સ્પર્શતી તમામ બાબતોના સારાસારનો વીવેક કરવો પડશે, જે મુલ્યો–પરંપરાઓ સુખ, આનંદના માર્ગે અડચણરુપ લાગે તેનો સતત પડકાર કરવાની અને તેને બદલવાની પ્રક્રીયામાં ભાગ ભજવવો પડશે. હજારો વર્ષો પુર્વે જે જીવનમુલ્ય ગણાયું હોય તેને શ્રધ્ધાના જોર પર સ્વીકાર્યા કરવાની અંધશ્રધ્ધા ત્યજવી પડશે. જેને આપણે ધર્મ કહીએ છીએ તે મહદ્અંશે પાખંડ, ક્રીયાકાંડ, દંભ આડંબર, રુઢીચુસ્તતા, ચમત્કાર જેવા દુષણોનું મહામીશ્રણ નથી શું..? વીચારવાનો પ્રશ્ન છે.
ધાર્મીક–અંધશ્રધ્ધાળુ વાતાવરણમાં ઉછરેલા માણસો વીવેકબુધ્ધીનો પુરતો ઉપયોગ નથી કરી શકતા, બહુધા તેનાથી દુર જ રહે છે. સલામતી, શાંતી માટે ધર્મ, ધર્મગુરુઓ તરફ દોડતાં વર્ગ માટે આ યાત્રા સત્યદર્શનની અવરોધક બને છે, કેમ કે તેના પાયામાં શ્રધ્ધા, વહેમ, સ્થગીતતા હોય છે. તેથી જ વીવીધ, વીશીષ્ટ માન્યતાઓ–વીધીઓથી ભરપુર ધર્મને જે. કૃષ્ણમુર્તીએ સર્કસ તરીકે, પલાયનવાદ તરીકે, સત્યના અવરોધક તરીકે, માનવીઓ વચ્ચેના વીભાજક તરીકે કે ઘેનમાં નાંખનારા અફીણ તરીકે ઓળખાવ્યો છે.
——————————————————————————————————
ધર્મો અને ધર્મગુરુઓનું સર્જન તમે પોતે જ સલામતી મેળવવા કર્યું છે, અને એ જ તમારું શોષણ કરે છે.
- જે. કૃષ્ણમુર્તી
(વીવેક)બુધ્ધી માત્ર એકજ વીજ્ઞાનને સ્વીકારે છે, એ વીજ્ઞાન જે સમસ્ત સૃષ્ટીને સમજાવે છે, અને એ સૃષ્ટીમાં મનુષ્યના સ્થાનને..’
–ટૉલ્સટૉય.
————————————————————————————————-
લેખ વીશેના તમારા પ્રતીભાવો અહીં મોકલશોઃ
sunras22266@gmail.com