પુજ્ય શ્રી મહારાજે તેમની કામ કરવાની શક્તી બાબતમાં વીચારો લખેલા છે.
મહી નદીના કોતરોમાં રખડતાં રાતે માઇલોના માઇલો અડધા ઉંઘતાં ચાલતા. એક વાર તો હોડી ન મળતાં ભરતીમાં ભરાયેલી મહી નદી તેમણે તરીને પાર કરેલી.
બીજા એક પ્રસંગે જેલમાં તેમને 25 શેર અનાજ દળવાનું કામ સોંપાયેલું. પણ તેમનાથી તે પુરું ન થયું. તેનું તેમને બહુ જ દુખ થયું. બીજા દીવસે ઘંટીનો ખીલડો પકડી ભગવાનને પ્રાર્થના કરી, મનોમન સંકલ્પ કર્યો. ત્રણ જ કલાકમાં તેમણે આ કામ પતાવી દીધું.
તેમનાજ શબ્દોમાં -
” આજે હવે હું પોતે વિચારું છું, તો મને ય આ બધું માન્યામાં નથી આવતું. પણ એ હકીકત છે. શરીર તો રાક્ષસ છે, રાક્ષસ. કહો તે કામ કરી આપે. પણ એની ચોટલી તમારા હાથમાં હોવી જોઇએ.“
- સાભાર : ‘અરધી સદીની વાચનયાત્રા’ - શ્રી. મહેન્દ્ર મેઘાણી ભાગ -1 પાનું - 338
આપણે નાની નાની બાબતોમાં મન અને શરીરથી થાકી જતા હોઇએ છીએ, ત્યારે મહારાજશ્રીની આ વાત મનમાં રાખીએ.