ગદ્યસુર

રાક્ષસની ચોટલી

July 24, 2007 · 9 Comments

    પુજ્ય શ્રી મહારાજે તેમની કામ કરવાની શક્તી બાબતમાં વીચારો લખેલા છે.

    મહી નદીના કોતરોમાં રખડતાં રાતે માઇલોના માઇલો અડધા ઉંઘતાં ચાલતા. એક વાર તો હોડી ન મળતાં ભરતીમાં ભરાયેલી  મહી નદી તેમણે તરીને  પાર કરેલી.

    બીજા એક પ્રસંગે જેલમાં તેમને 25 શેર અનાજ દળવાનું કામ સોંપાયેલું. પણ તેમનાથી તે પુરું ન થયું. તેનું તેમને બહુ જ દુખ થયું. બીજા દીવસે ઘંટીનો ખીલડો પકડી ભગવાનને પ્રાર્થના કરી, મનોમન સંકલ્પ કર્યો. ત્રણ જ કલાકમાં તેમણે આ કામ પતાવી દીધું.  

    તેમનાજ શબ્દોમાં -

    ” આજે હવે હું પોતે વિચારું છું, તો મને ય આ બધું માન્યામાં નથી આવતું. પણ એ હકીકત છે. શરીર તો રાક્ષસ છે, રાક્ષસ. કહો તે કામ કરી આપે. પણ એની ચોટલી તમારા હાથમાં હોવી જોઇએ.

- સાભાર :  ‘અરધી સદીની વાચનયાત્રા’ – શ્રી. મહેન્દ્ર મેઘાણી ભાગ -1 પાનું – 338

    આપણે નાની નાની બાબતોમાં મન અને શરીરથી થાકી જતા હોઇએ છીએ, ત્યારે મહારાજશ્રીની આ વાત મનમાં રાખીએ.

Categories: સત્યકથા

સ્વાગત

July 24, 2007 · 11 Comments

આજે તા. 24 - જુલાઇ,  2007 ના રોજ મને ગમતા પ્રેરક પ્રસંગો, સત્યકથાઓ, અને જીવનસ્પર્શી લેખો અને મારા વીચારો રજુ કરતો આ બ્લોગ શરુ કરતાં મને આનંદ થાય છે.

ગુજરાતના મુઠ્ઠી ઉંચેરા માનવી વંદનીય સ્વ. શ્રી. રવીશંકર મહારાજને સાદર આ પ્રયત્ન અર્પણ છે. તેમના જીવનના એક અનુભવથી આ પ્રયત્નની શરુઆત કરું છું.  

તેમના જીવન વીશે વાચો   -

Categories: પ્રકીર્ણ · સમાચાર