સત્વશીલ વાંચન, સંપાદન અને પ્રસાર જ જેમનો જીવનધર્મ રહ્યો છે તેવા, વીનમ્ર અને વયોવૃધ્ધ શ્રી. મહેન્દ્ર મેઘાણીને સાંભળવાનો સુઅવસર સાંપડ્યો - 28 જુલાઇ - 2007 , હ્યુસ્ટન ખાતે , શ્રીમતી સરયુબેન પરીખના ઘેર. તેમણે શ્રી. રવીન્દ્રનાથ ઠાકુરની રચનાઓના કેટલાક અનુવાદ અને શ્રી. ઝવેરચંદ મેઘાણીના કેટલાક લખાણોનું મનનીય અને રોચક વાંચન કર્યું હતું.
તેમની વીનમ્રતાનું એક ઉદાહરણ -
એક શ્રોતાનો પ્રશ્ન ” શ્રી. ઝવેરચંદ મેઘાણીનું તમારા જીવનમાં એક પીતા અને સાહીત્યકાર તરીકે શું પ્રદાન રહ્યું?
તેમનો જવાબ ” ઘડો તો છલોછલ ભરેલો હોય , પણ આપણી હથેળીમાં આપણે કેટલું લઇ શકીએ તે તો આપણી પાત્રતા પર જ આધાર રાખે ને? “
જે ખરેખર ઉંચાઇએ પહોંચેલા હોય છે તે આટલા વીનમ્ર હોય છે, તેનો બહુ જ યાદગાર સ્વાનુભવ થયો.