ગદ્યસુર

મહેન્દ્ર મેઘાણી સાથે એક મુલાકાત

July 30, 2007 · 1 Comment

      સત્વશીલ વાંચન, સંપાદન અને પ્રસાર જ જેમનો જીવનધર્મ રહ્યો છે તેવા, વીનમ્ર અને વયોવૃધ્ધ શ્રી. મહેન્દ્ર મેઘાણીને સાંભળવાનો સુઅવસર સાંપડ્યો -  28 જુલાઇ - 2007 , હ્યુસ્ટન ખાતે , શ્રીમતી સરયુબેન પરીખના ઘેર. તેમણે શ્રી. રવીન્દ્રનાથ ઠાકુરની રચનાઓના કેટલાક અનુવાદ અને શ્રી.  ઝવેરચંદ મેઘાણીના કેટલાક લખાણોનું મનનીય અને રોચક વાંચન કર્યું હતું.

     તેમની વીનમ્રતાનું એક ઉદાહરણ -

     એક શ્રોતાનો પ્રશ્ન ” શ્રી. ઝવેરચંદ મેઘાણીનું તમારા જીવનમાં એક પીતા અને સાહીત્યકાર તરીકે શું પ્રદાન રહ્યું?   

     તેમનો જવાબ ” ઘડો તો છલોછલ ભરેલો હોય , પણ આપણી હથેળીમાં આપણે કેટલું લઇ શકીએ તે તો આપણી પાત્રતા પર જ આધાર રાખે ને? “

     જે ખરેખર ઉંચાઇએ પહોંચેલા હોય છે તે આટલા વીનમ્ર હોય છે, તેનો બહુ જ યાદગાર સ્વાનુભવ  થયો.

તેમના જીવન વીશે વાંચો.

Categories: સ્વાનુભવ