ગદ્યસુર

વીઘ્ન

August 2, 2007 · 13 Comments

प्रारभ्यते न  खलु विघ्नभयेन नीचैः
प्रारभ्य विघ्नविहताः विरमन्ति मध्याः
विघैः पुनः पुनरपि प्रतिहन्यमानाः
प्रारब्धमुत्तमजनाः न परित्यजन्ति ॥

(વસંતતીલકા)

       નબળી મનોવૃત્તીવાળા કાર્યની શરુઆત જ કરતા નથી.
મધ્યમ મનોવૃત્તીવાળા વીઘ્નોથી થાકીને વચ્ચેથી જ અટકી જાય છે.
ઉત્તમજનો વીઘ્નોથી અનેક વાર આક્રમણ થયા છતાં લીધેલા કાર્યને મુકતા નથી
.

—————————————————————————————————

       હું જીવનની વીશમતાઓથી કંટાળીને જંગલમાં ગયો. મેં ઇશ્વરને એક પ્રશ્ન પુછ્યો . ” હે, ઇશ્વર! જીવન ચાલુ રાખવા માટે તું એક વજુદ વાળું કારણ તો બતાવ. “

        અને કોઇ અવાજે મને સામે રહેલા ફર્ન અને વાંસના ઝાડના ચૈતન્યને આ સવાલ પુછવાનું કહ્યું.

        ફર્નના વૃક્ષે કહ્યું. ” મારાં બીજને ઇશ્વરે તડકો, પાણી અને જમીનમાંથી પોશણ આપ્યું, અને એક વર્શમાં તો હું વધવા લાગ્યું.”

        વાંસના વૃક્ષે કહ્યું ” પાંચ પાંચ વર્શ સુધી ઇશ્વરે મને પોશણ આપ્યું, મારાં મુળ મજબુત થતાં ગયાં. અને જ્યારે તે પુરતા પ્રમાણમાં તાકાતવાળા થયા ત્યારે મારામાંથી પહેલો અંકુર ફુટ્યો. અને છ જ માસમાં હું ફર્નને આંબી ગયું.”

         હું  આ વાત સાંભળી મારા સંસારમાં નવા ઉત્સાહથી પાછો વળ્યો.   

( અંગ્રેજી પરથી અનુવાદ ) 

Categories: શ્લોક · સુરેશ જાની · હિન્દુ દર્શન