બધા દુનીયાને બદલવાના વીચારો કરે છે.
કોઈક જ પોતાને બદલવાનો.
- લીઓ ટોલ્સ્ટોય.
બધા દુનીયાને બદલવાના વીચારો કરે છે.
કોઈક જ પોતાને બદલવાનો.
- લીઓ ટોલ્સ્ટોય.
Categories: સુવીચાર
તે દીવસે ઘાસમાં બેઠો હતો. સરસ શીતળ તેનો સ્પર્શ હતો. ત્યાં નજર બાજુમાં પડેલાં ઝાડની છાલના એક છોડીયાં પર પડી. તેને હાથમાં લીધું. બહુ જુના ઝાડના થડમાંથી તે છુટું પડેલું હશે. તેની રુક્ષ સપાટીનું અવલોકન કરતાં જણાયું કે તેમાં ચાર પડ હતાં. એક પડ હલકા રંગનું, એક જરા મધ્યમ અને બે પડ ઘેરા રંગના જણાયા. ઘેરા રંગનાં પડ બહુ કરચોળીવાળાં હતાં. પણ બધામાં ઝીણા ઝીણા રેસાઓ સ્પશ્ટ રીતે જણાઈ આવતા હતા. ઝાડના થડની ઉપરની સપાટીએ વરસો વરસ વેઠેલાં વાતાવરણની આ પડ ચાડી ખાતાં હતાં. જ્યારે ઝાડની ડાળી નવાંકુર હશે ત્યારે આ જ છોડીયું સાવ સુકોમળ બાળ જેવું હશે. તેના રેસાઓમાંથી ઝાડનો જીવનરસ વહેતો હશે. તે આવું રુક્ષ તે સમયે નહીં હોય; રસાળ અને દર્શનીય હશે. તેને મોટી મસ ડાળી બનવાના અરમાન હશે.
અને હવે તે સાવ નીર્જીવ હતું. તેમાં કોઈ પ્રાણ ન હતો. તે ઝાડથી ફંગોળાઈ ગયું હતું. જ્યારે તે ઝાડની ઉપર લાગેલું હશે; ત્યારે પણ તેમાં કોઈ જાન નહીં હોય. તે ઝાડના થડની રુક્ષતાનો એક ભાગ જ હશે. તેમાંથી તે વખતે પણ કોઈ રસ વહેતો નહીં હોય. અને છતાં તે અવસ્થામાં પણ તે ઝાડની અંદરના કોમળ રેસાઓનું બહારના જાલીમ વાતાવરણથી રક્ષા કરતું હશે – નીર્વ્યાજ પ્રેમથી.
અને અત્યારેય તેના શબ જેવા અસ્તીત્વની ક્ષમતા છે – ઈંધણું બનવાની. પ્રકાશ અને ગરમીના એક નાના સ્રોત બનવાની. ઝાડના આ નાચીજ છોડીયાંનીય એક ગરીમા છે.
જીવનનો અંત નજીક હોય ત્યારે બોજ જેવા લાગતા આપણા હોવાપણાને આ સાવ નીર્માલ્ય દેખાતું છોડીયુંય કેટકેટલા અમુલ્ય સંદેશ આપી જાય છે?
Categories: અવલોકન