સ્ટીમ સોનાનો તો ઘણીવાર લાભ લીધો. એની વાત તો અગાઉ કરેલી જ છે. પણ આજે વાત કરવાની છે. તેના વાતાવરણની. સોનામાં ગરમી માંડ ખમાય એટલી હોય, પસીને રેબઝેબ થઈ જવાય.
પણ બે વીશીષ્ઠ અનુભવો થયા.
માંડ ગરમી સહન થતી હોય; પરંતુ સહેજ પણ હાથ કે પગ હાલી જાય તો? ચામડી ચચરી જાયૢ એટલી બધી ગરમી લાગે. વરાળ તો એની એ જ હોય પણ હાથ પગ હાલતાં એની દાહકતા ઘણી વધી જાય.
છત ઉપર એકઠા થયેલા પાણીનું એકાદ ટીપું થોડી થોડી વારે શરીર ઉપર પડે અને આ ગરમીની આપદામાં વધારો થઈ જાય. જો ટીપું માથા ઉપર પડે તો તો વાળને કારણે બહુ અસર ન થાય. પણ ખભા પર, પીઠ પર, કે હાથ ઉપર પડી જાય તો? એક ક્ષણ માટે નાનકડો ડામ દીધો હોય તેવી અનુભુતી થઈ જાય.
શરીર પર પડતો સુર્યનો સીધો તાપ ન દઝાડે એટલું એનાથી ગરમ થયેલી લુ દઝાડે. એવું જ સુરજથી ગરમ થયેલી રેતીનું. એ તો બુટ ચંપલ ન પહેર્યા હોય એને ખબર પડે!
न तादृक् दहति मरीचितापः,
यादृक् दहति तदुष्मिता बालूकानिकरः
( સુર્યનો તાપ એટલું નથી દઝાડતો -
જેટલું તેનાથી ગરમ થયેલી રેતી દઝાડે છે.)
…..
એવું જ પરમ તત્વને પામેલી વ્યક્તીઓના અનુયાયીઓનું નથી હોતું? માનવજાતનું હીત કરવા સર્જાયેલા મોટા ભાગના ધર્મો, સંપ્રદાયો અને પેટા સંપ્રદાયોએ ઉભી કરેલી પીડાઓનું પણ આમ જ હોય છે ને? કુદરતનો કાયદો તો માણસને જીવનના અંતે મારે; બહુ બહુ તો રોગચાળા, અક્સ્માતમાં કે કુદરતી આપત્તીમાં મારે. પણ આ બધા તો?
સ્ટીમ સોના જેવું નૈતીક અને ધાર્મીક અનુશાસન પાળીએ તો તો શરીરની જેમ મનની સુખાકારી વધે. પણ આ બધી બબાલો તો સતત માનસીક અને શારીરીક હીંસા જ કર્યા કરે; વેરઝેર વધાર્યા જ કરે. અસંખ્ય નરસંહારોનું મુળ – ધાર્મીક અને માન્યતાઓના જડ વીવાદો.
Like this:
Be the first to like this post.
Pingback: સ્ટીમ સોનામાં વાલ્વ – એક અવલોકન « ગદ્યસુર
દઝાડતો નવ નભ સૂર્ય જેટલું
દઝાડતી પૃથ્વી રેત તેટલું
સ્વાનુભવ
સ્ટીમ સોના જેવું નૈતીક અને ધાર્મીક
…અનુશાસન??