એમને માટે એ પહેલું જ બાળક હતું. હરખની હેલીઓ ઉભરાતી હતી. પેટે પાટા બાંધીને એને ઉછેરતાં હતાં. પણ છ જ મહીનાના એ બાળકને ખેંચ આવતી હતી. જામનગરની સીવીલ હોસ્પીટલમાં એનાં માબાપ એને સારવાર માટે લઈ આવ્યા હતા. નીદાન કરતાં ખબર પડી કે મગજમાં લોહી જમા થઈ જવાના કારણે એમ થઈ શકે.
સી.ટી. સ્કેન અને મગજનું ઓપરેશન કરવામાં આવે તો બાળક બચી જાય. પણ માબાપ પાસે આ ખર્ચાળ સારવારની રકમ ક્યાંથી હોય? એ તો રોજની મજુરી પર ગુજરાન ચલાવતાં હતાં. હોસ્પીટલમાંથી મફત ખાવાનું ન મળે તો પાણી પી સંતોષ માનવો પડે એવી એમની હાલત હતી.
અને બાળક બચી ગયું. કોઈ પૈસાપાત્ર દાનવીરની સખાવતથી નહીં , પણ મધ્યમ વર્ગની માનવતાના જોરે.
આખી વાત વાંચવી છે ને ?
લો! ડો. મૌલિક શાહના બ્લોગ પર જવા અહીં ‘ક્લીક’ કરો
પાડ જામનગરની એ સંજીવની સંસ્થાનો… આવાં તો કેટલાંય માનવતા સભર કામો તેમણે કર્યાં છે.
આ એકવીસમી સદીમાં, જ્યારે આખી દુનીયા સમૃધ્ધીની દોડમાં સ્વલક્ષી થઈ ગઈ છે; ત્યારે ‘ પુણ્ય પરવાર્યું નથી’ એની પ્રતીતી થઈ ગઈ ને?