ગદ્યસુર

ટોળાંશાહી

June 23, 2009 · 14 Comments

નયન સહગલ, તમે તમારા ઘરથી ત્રીસેક માઈલ દુર આવેલી એક જગ્યાએ જવા બસમાં બેઠા છો. તમારે જવાની જગ્યા હાઈવેથી થોડેક દુર છે. ત્યાં જવા માટેના આડા રસ્તા પાસે બસ ધીમી પડે છે અને એ રસ્તા પાસે અટકે છે. તમે બસમાંથી ઉતરી પડો છો અને તમારા એ નાનકડા રસ્તા પર માંડ કદમ માંડો છો; ત્યાં જ એક ભયાનક ધડાકો હાઈવે પરથી સંભળાય છે.

તમે પાછા વળીને હાઈવે પર નજર માંડો છો. તમારા એ રસ્તા પરથી સ્કુટર પર એક  યુવતી પુર ઝડપે હાઈવે પર પ્રવેશ કરતી હતી; ત્યાં જ . હાઈવે પરથી વેગમાં આવી રહેલી વાન સાથે તે અથડાઈ પડી હતી. તેનું માથું લોહીલુહાણ થઈ ગયું હતું. કારવાળા મહાશય ઉદ્વીગ્ન ચહેરે નીચે ઉતરીને તેણીને મદદ કરવા જઈ રહ્યા છે. તમે પણ આ આઘાતમાં અટકી પડો છો. થોડીક જ મીનીટોમાં હાઈવે પર એક ટોળું ભેગું થઈ જાય છે; અને કશું સમજ્યા કર્યા વીના કારચાલકને પીટવા માંડે છે. એનું ખમીસ ફાટી જાય છે અને તે પણ લોહી લુહાણ થવાની તૈયારીમાં છે.

તમારા વાસ્તવદર્શી સ્વભાવના કારણે તમે આ ટોળાંશાહી સહન નથી કરી શકતા. તમે પણ ઝડપભેર ઘટના સ્થળે પહોંચી જાઓ છો. આંખે દેખેલા આ અકસ્માતની પુરી જવાબદારી એ યુવતીની જ હતી ; તે તમે સામાન્ય સમજથી સમજી ગયા છો. એ તો ઠીક પણ વધારે અગત્યની વાત એ છે કે, એ યુવતીને તત્ક્ષણ સારવારની  જરુર છે. એ પણ તમારા દીમાગમાં ઝબકી જાય છે.

તમારી નજર બાજુમાં પડેલા પાઈપના એક ટુકડા પર પડે છે. અને ટોળાંશાહીનો .ઉન્માદ તમને પણ ઘેરી વળે છે. તમે એ પાઈપ ઉઠાવી એ ટોળાંની વચ્ચે પહોંચી જાઓ છો અને પાઈપ ઉગામી મોટેથી બરાડી ઉઠો છો ,” અરે અક્કલના ઓથમીરો ! આ છોકરીની તરફ તો નજર કરો. એને સીધી હોસ્પીટલ ભેગી કરવાને બદલે આ બધું શું માંડી બેઠા છો? “

તમારા બોલવાથી નહીં પણ, તમારા હાથમાં રહેલા અમોઘ શસ્ત્રના પ્રતાપે મારઝુડ બંધ પડે છે! ત્રણ હરોળ વાળી એ મોટી કારમાં વચ્ચેની સીટ પર એ યુવતીને સુવાડી, બીજા ત્રણ વટેમાર્ગુ અને તમને સાથે બેસાડી પેલા મહાશય નજીકની હોસ્પીટલ તરફ તેમની કાર હંકારી મુકે છે. રસ્તામાં પણ તેમની ઉપર આક્ષેપોની વર્ષા તો ચાલુ જ છે. તે તો ચુપચાપ બેઠેલા છે. એમના માથે કોઈ મોટી અંગત ચીંતા સવાર છે, એમ તમને ચોક્કસપણે લાગે છે. તમે એટલી જ ખબર પડે છે કે. તેમનું નામ મહેશ ગુપ્તા છે.

હોસ્પીટલમાં સ્ટાફ સદભાગ્યે સારો છે. એ પોલીસ તપાસની તરખડમાં પડ્યા વીના, યુવતીને ઈમર્જન્સી રુમમાં લઈ જાય છે. .ડોક્ટર કહે છે,” આ બહુ જ  મુશ્કેલ કેસ છે. તેનું બહુ જ લોહી વહી ગયું છે. મને સહેજ પણ આશા નથી કે, તેને હું બચાવી શકીશ. પણ  મારાથી બનતા બધા પ્રયત્ન હું કરીશ. પણ કોઈકે તત્કાળ લોહી આપવું પડશે.”

આ વાત  સાંભળી મહેશ અને તમારા સીવાયના બીજા સજ્જનો રફુ ચક્કર થઈ જાય છે. તમારું લોહી , એ યુવતીને માટે યોગ્ય નથી એમ ખબર પડે છે. મહેશ ગુપ્તાના લોહીનો બાટલો ભરી એ યુવતીને ચઢાવવામાં આવે છે. તેની પર્સમાંથી મળેલી માહીતી મુજબ ફોન કરતાં તેનાં સગાંવહાલાં પણ એટલામાં ત્યાં આવી પહોંચે છે. મહેશ એમને પોતાનો સમ્પર્ક કરવાની  પુરી માહીતી અને પ્રારંભીક જોગવાઈ માટે  10,000/-  રુપીયા એક વડીલને પકડાવી દે છે. તમે અને મહેશ હોસ્પીટલની બહાર નીકળો છો.

મહેશ તમને તમારા સ્થાને પહોંચાડવાની તૈયારી બતાવે છે. પણ તેની પત્નીને બીજી હોસ્પીટલમાં પહેલું જ બાળક આવવાની તૈયારી હોવાના કારણે પહેલાં ત્યાં થઈ તમને ઉતારી દેશે, એમ ક્હે છે. તમારું કામ એટલું અગત્યનું ન હોવાથી અને મહેશની સજ્જનતાથી પ્રભાવીત થઈ, તમે એની સાથે જવા કબુલ થાઓ છો.

બીજી હોસ્પીટલે પહોંચતાં  સારા સમાચાર મળે છે કે, ઈશ્વર કૃપાએ પ્રસુતી સારી રીતે પતી ગઈ હતી, અને મા અને બાળક બન્નેની તબીયત સારી છે.

     મહેશ ગુપ્તા તમને તમારી જગ્યાએ ઉતારી તો જાય જ છે;  પણ આ સમગ્ર ઘટનાના કારણે દસ લાખની કાર વાપરનાર કરોડપતી મહેશ ગુપ્તા, અને એસ.ટી બસમાં મુસાફરી કરનાર તમે જીગરી દોસ્ત બની ગયા છો તમારી આ મીત્રતા ઘણી લાંબી ટકવાની છે.

    પરંતુ, કોઈ પણ જાતની અને ઉંડી માહીતી વગર, કાયદો હાથમાં લઈ લેવાની ટોળાંની વૃત્તી,  લઘુમતી પ્રત્યે કૃર આચરણ; વીચારવીહીંનતા અને પાગલપન વીશે તમે વીચારતા થઈ જાઓ છો.

……………………

દીલ્હીસ્થીત શ્રી. નીતિન નરેશના સ્વાનુભવ પર આધારીત સત્યકથા

મુળ ઘટના વાંચવા અહીં ‘ ક્લીક’ કરો. .

.

Categories: નીતિન નરેશ · સત્યકથા
Tagged:

14 responses so far ↓

  • સુરેશ જાની // June 23, 2009 at 6:06 pm | Reply

    સામુહીક બળાત્કાર; તે બાદ શોષીત વ્યક્તી પર સમાજ દ્વારા આચરાતો સામુહીક માનસીક અત્યાચાર; પોતાનાથી અલગ માન્યતાઓ ધરાવતી પણ સમાજના કલ્યાણના શુભ સંકલ્પવાળી વ્યક્તીઓનો સામુહીક બહીષ્કાર; વાહીયાત કારણો માટે કોઈ વ્યક્તીનું જાહેરમાં ચારીત્ર્યહનન, પીળું પત્રકારીત્વ અને લોકો દ્વારા તેમાં લેવાતો અભુતપુર્વ રસ અને સમર્થન ..

    આ બધાં પણ આવી જ ટોળાંશાહીનાં વરવાં ઉદાહરણો નથી વારુ?

    આ બાબત એક મનનીય ( કે શોચનીય રચના) વાંચો -

    http://paramujas.wordpress.com/2009/06/22/%e0%aa%ae%e0%ab%8c%e0%aa%a8/

  • Razia // June 23, 2009 at 10:52 pm | Reply

    સંવેદનશીલ હકીકત. આજ ના યુગ માં બધે આવું જ જોવા મળે છે ક્યાંકજ નિતિન જેવા માણસો મળશે. બાકી બધું પાણી ને પાણી ની ધાર જેવું જ તો.

  • Mehul // June 24, 2009 at 12:52 am | Reply

    એ જ રીતે, પોલીસના પંચનામાના ડરથી હાઈ-વે પર થતાં અકસ્માતોને લોકો મદદ કરવાને બદલે અવગણતાં હોય છે. ટ્રાફીકની બાબતમાં તો કશું કહેવા જેવુ જ નથી…

  • dr.maulik shah // June 24, 2009 at 3:09 am | Reply

    રોડ અકસ્માતોમાં સામાન્ય રીતે લોકો તમને જ અપરાધી ગણશે જો સામી વ્યક્તિ છોકરી-બાળક્-સ્ત્રી-વગદાર વ્યકિત્-સેલીબ્રીટી હોય!. વળી આ એક એવો અવસર બને છે જયારે લોકો પોતાના ઘરનો, સરકાર પરનો, સંજોગોનો ,પોતાની નાકામીઓનો, ક્રિકેટ ટીમનો હારવાનો કે અન્ય કારણનો દબાવી રાખેલો ‘પ્રેશરાઈઝ્ડ ગુસ્સો ‘તમારા પર કાંઈ પણ ચિંતા વગર કાઢી શકે છે.!!
    રોડ અકસ્માતો માં થતા મૃત્યુમાં મુખ્ય કારણ આજે પણ સમય પર પ્રાથમિક સારવાર ન મળવાનું છે પણ આ સમજવા માટે જરુરી માનસિક સજ્જતા ટોળામાં ન હોઈ શકે. આ માટે લોકોએ શું કરવુ એ કરતા વધુ જરુરી આપણે શું કરવુ એ જાણવુ જરુરી છે.
    charity begins at home…!

  • jaywant // June 24, 2009 at 3:39 am | Reply

    mob has no mind! So avoid to go with mob. this story is really a good one.

  • kkk // June 24, 2009 at 3:40 am | Reply

    kkkk

  • Govind Maru // June 24, 2009 at 6:00 am | Reply

    ……………

  • Chirag Patel // June 24, 2009 at 7:49 am | Reply

    દરેક જગ્યે સમુહની અવીચારશીલતા જ પતન નોતરે છે. ખરેખર, સાયકો-ફીઝીયોલોજીની દ્રષ્ટીએ વ્યક્તીગત અને સામુહીક વર્તનને સમજવું અગત્યનું છે. કોઈ વ્યક્તી વ્યક્તીગત ધોરણે સારી હોવા છતાં સામુહીકપણે યોગ્ય વર્તન કરી ના પણ શકે. એના કારણો સમજવા બહુ જ જરુરી છે. કદાચ વાયરસ કે બેક્ટેરીયાની કોલોનીને સમજવાથી આપણી પોતાની સમજણ પણ વીકસી શકે છે. એક પરમાણુ અને અનેક પરમાણુઓનો સમુહ, અલગ અલગ ગુણધર્મો નીપજાવે છે.

    મહેશભાઈ અને નીતીનભાઈને માનવ ધર્મ ના ભુલવા બદલ અભીનન્દન.

  • MANAV PATEL // June 24, 2009 at 8:35 am | Reply

    TODA MA MANASO HOI CHHE , PAN MATHA ( BRAIN ) NATHI HOTA.

  • pragnaju // June 24, 2009 at 11:34 am | Reply

    ઉન્માદએ માનસિક રોગોમાં, ડિપ્રેશન અને સ્કીઝોફેનીઆ પછી ત્રીજા ક્રમનો અગત્યનો રોગ ગણાય છે. આ ફરી-ફરી થતો સાઇકલીકલ રોગ છે ઉન્માદ વા પાછળ કોઇ એક કારણ નથી. વારસાગત, જૈવિક, સામાજિક, ઉછેર વગેરે પરિબળોની ઓછે-વત્તે અંશે થતી સામૂહિક અસર-એ રોગનું કારણ બને છે.દર્દીનું મન ખૂબ આનંદ કે ઉત્સાહ અનુભવે છે. કોઇ વખત આવેશ કે ઉશ્કેરાટમાં આવી જાય છે.
    ગાવું અને હીરોની જેમ ફરવું એ આ બીમારીના સામાન્ય લક્ષણ છે. ઉશ્કેરાટમાં ઘણી વખત અપશબ્દો બોલે, એલફેલ બોલે અને વડીલનું અપમાન પણ કરી નાખે. ઊઘની જરૂરિયાત ઓછી થઇ જાય છે. આ દર્દીઓનો ખોરાક વધી જાય છે. વિજાતીય વ્યકિત તરફ આકર્ષાઇને ઘણી વખત બેહૂદા ચેનચાળા કરે છે. બીજા પર બડાશ મારે અને રોફ જમાવે છે.દર્દી પૈસા પાણીની જેમ વાપરે છે. ઘણી વાર હિંસક થઇ જાય છે.
    ટોળાશાહી ઉન્માદ પણ આવો જ રૉગ છે.જેનો ભોગ હાઈ પ્રોફાઈલ વાળા વધુ બને છે

  • Ramesh Patel // June 24, 2009 at 3:41 pm | Reply

    ટોળાં એવી રીતે વર્તે છે જાણે જંગલ રાજ.

    બીજું મોટા વાહન વાળા ,બિન્દાસ્ત નબીરા

    આખી દુનિયાને બાપની માલિકી ગણી

    ફરતા હોય છે.

    રસ્તે અક્સ્માતમાં ગણી વખત ઘરનો

    મોભ ચાલ્યો જાય છે, નાનું બાળક

    જીવ ઘુમાવી બેસે છે.

    આજની વાર્તા મુજબ દરિયા દિલ માણસ

    જનૂનનો ભોગ બને છે.અનેક પાસા વડે વણાઈ છે જીંદગી.

    હજુ આપણા સમાજ ને સુધરવા એકાદ યુગ જોઈશે.

    એક વિચાર વંત લેખ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  • jjugalkishor // June 24, 2009 at 8:08 pm | Reply

    કરુણ બાબત, સરસ બયાન.

    ટોળું ક્યારેક અધકચરી લોકશાહીનું પ્રતીક હોય છે. આવા બનાવો અને પાંચ વર્ષે આવતી ચુંટણીના ઉન્માદોનાં વીચીત્ર પરીણામો આપણી આંખ ઉઘાડનારાં બની રહે તે માટેય આવી વાતોને સૌમાં વેંચવાનું મુલ્ય છે.

    બન્નેને – લેખક–સંપાદક – ને ધન્યવાદ.

  • atuljaniagantuk // June 25, 2009 at 11:30 am | Reply

    ટોળાંશાહીની માનસિકતા ઉપર સુંદર પ્રકાશ પાડતી સત્યકથા.

    ગુજરાતમાં ૧૦૮ ની સેવા દ્વારા દર્દીને તરત જ હોસ્પીટલમાં લઈ જઈને સારવાર આપવામાં આવે છે. પંચનામુ વગેરની ઝંઝટમાં સમય બરબાદ કર્યા વગર જ. આ સુંદર સેવાથી અસંખ્ય લોકોએ તાત્કાલિક સારવાર મેળવી છે.

  • Maheshchandra Naik // June 26, 2009 at 12:01 am | Reply

    It is indeed a story with everyone needs to learn presence of mind in emergancy at any critical situation,thanks Shri Sureshbhai , for sharing a great experince………

Leave a Comment