પ્રેરક જીવનપ્રસંગો, સત્યકથાઓ અને લેખો
અમેરીકા પ્રશ્નોત્તરી – ૮
Posted by
સુરેશ on
January 26, 2012
પ્ર
- અમેરિકા આવીને અફસોસ થાય એવા કોઈ લોકો છે? અને એ અફસોસથી પ્રેરાઈને પાછા જનારાના શું મન્તવ્ય હોય છે?
સુ
- અહીં રહ્યે એની તો શી ખબર પડે? મોટે ભાગે આવા કિસ્સા જવલ્લે જ બનતા હોય છે. નોકરી છૂટી ગઈ હોય; તો ભણવાનું ચાલુ કરીનેય સ્ટુડન્ટ વિસા પર લોકો રહેવાનું ચાલુ રાખે છે. અનેક મુશ્કેલીઓ વેઠી, ઠેબાં ખાતાં ખાતાં મોટા ભાગનાની ગાડી પાટા પર ચઢી જ જતી હોય છે. તમે કહો છો; તેવો એક પણ કિસ્સો મારા ધ્યાનમાં નથી આવ્યો.
- દેશમાં પાછા આવેલા મોટા ભાગના લોકો વધારે સારી તકો માટે અને અહીંથી ઠીક ઠીક સંપદા ભેગી કરીને જ આવ્યા હોય; તેમ મારું માનવું છે . એવા ઘણા વ્યક્તિઓના સમ્પર્કમાં પણ આવ્યો છું.
ચિ
- મોટે ભાગે તો મોટી ઉમ્મરે આવતા લોકોમાં આવી લાગણી વધુ હોય છે. તેમને નવા વાતાવરણમાં ગોઠવાઈ જવામા ઉમ્મર, શારીરીક ક્ષમતા, અપુરતી ધંધા/રોજગારની તકો વગેરે કારણોને લીધે આ લાગણી આવતી હોય છે.
- પાછા તો ભાગ્યે જ કોઈ જતા હોય છે. એટલે એ વીશે વધારે ખ્યાલ નથી કે એમનું મંતવ્ય શું હોય છે.
પ્ર
- આપણા લોકો અમેરિકા જવા બહુ ઉત્સુક હોય છે; અને ત્યાં ગયા પછી ત્યાંની રીતભાત અપનાવી લે છે. અને પાછા એમ કહેતા હોય છે કે. અમેરિકન સંસ્કૃતિ બરાબર નથી. તેઓ આમ કેમ કરે છે?
સુ
- આ સ્વાભાવિક છે. અહીંની ગમે તેવી ઝાકમઝાળ અને સુવિધાવાળું જીવન હોવા છતાં વતનઝૂરાપો મોટા ભાગનાને સાલે છે. અમેરિકન સંસ્કૃતિ ન ગમવાનું કારણ આપણે ત્યાંથી મળેલો વારસો છે. જો કે, ઘણા એવા પણ હોય છે કે. જેમને અમેરિકા સદી પણ જાય છે.
- પ્રામાણિક રીતે અહીંથી રોટલો રળતા હોઈએ, અને અહીંની રીતરસમને , જીવનને ભાંડીએ; એ બરાબર નથી. પણ આપણો સાંસ્કૃતિક વારસાને ભૂલવો ન જોઈએ.
- એવી જ રીતે અહીંની પણ ઘણી સારી, અપનાવવા જેવી બાબતો છે જ.
ચિ
- આ પણ મોટી ઉમ્મરે ગયેલા લોકોની તકલીફ છે. તેઓ ભારતની “મહાન” સંસ્કૃતીનુ રટણ ગળથુથીમા લઈને આવ્યા હોય છે એટલે બીજી કોઈ સંસ્કૃતીની સારી વાતો જોઈ શકતા નથી. પણ, વ્યવહારમાં પોતે અભણ કે પછાત નથી એ બતાવવા અમેરીકન હોવાનો દમ્ભ કરે છે. આ દમ્ભ પણ બીજા ભારતીયો કરતા પોતે મોટા છે એ બતાવવાની માનસીક્તાને લીધે જ આવેલી લાગણી છે.
પ્ર
- અહીયાં જ્યારે કોઈ પણ બજાર માં ઉથલપાથલ થાય ત્યારે એમ કહેવાય છે કે(મેં બોલતા સાંભળ્યુ છે લોકોનાં મોઢે) અમેરીકા માં કુતરુ મરી ગયુ હશે..એમનો કહેવાનો મતલબ છે કે અમેરીકા માં કાંઇ પણ થાયે ની અસર અહીયાં જોવા મલે…જેમ કે હમણા ત્યાંની એક બેંકનાં રામ બોલો ભાઈ રામ થયા..અને કેટલા લોકો નાં રામ બોલો ભાઇ રામ થયાં..એટલી નુકશાની થઈ છે અહીયાં લોકોની…તો મને ક્યારેક વિચાર આવે કે એ લોકો ભલે દેશ છોડીને ગયાં પણ આપણે હજી એમનાં ગુલામ છીયે…ગોરા એટલે ગોરા..પછી આપણી પર રાજ કર્યુ એ જે હોય તે….
સુ
- અમેરિકન ઇકોનોમીની અસર તો આખા જગત ઉપર પડે છે – ભારત એમાંથી બાકાત શી રીતે રહી શકે? અમેરિકન ઇકોનોમી બીજા વિશ્વ યુદ્ધ બાદ એટલી તો અસરકારક બની છે કે, આમ થાય જ.
- પણ હવે પરિસ્થિતી બદલાઈ રહી છે. બીજા દેશો પણ ઘણા સમ્રુદ્ધ બન્યા છે. યુરોપ, બ્રાઝિલ, ભારત, ચીન , રશિયા બહુ ઝડપથી બજારના હિસ્સા ઝડપી રહ્યા છે.
- આપણી ગુલામ મનોવૃત્તિ વિશે અહીં રહ્યે કશું કહેવું યોગ્ય નથી. પણ ઘણા સુધારાની જરૂર અવશ્ય લાગે છે.
ચિ
- આપણે ભારતીયો એકબાજુ તો આપણી “મહાન” સંસ્કૃતીના ગાણામાંથી ઉચા નથી આવતા અને બીજી બાજુ “કોલોનીયલ” માનસીક્તા જાળવી રાખી છે. એટલે, અહોભાવથી પીડાઈને આવા ઉદ્ગારો નીકળે છે. જો કે, નવી પેઢીમા આ માનસીક્તા નથી એટલે 10-15 વર્ષમાં નવી બાબતો જોવા મળશે.
Like this:
One blogger likes this post.
Sureshbhai..aapni prashnottari..ghanu kahi gai…