અમારા ઘરથી ચાલતા જવાય એટલા અંતરે રહેતા અને અમારા સ્થાનિક ‘ભજન મિલન’ ગ્રુપના સભ્ય શ્રી. વિનુભાઈ સોની હમણાં જ ગુજરાતની બે મહિનાની મુલાકાત લઈને પાછા આવ્યા. ત્યાં હતા ત્યારે તેમના મૂળ વતન – આણંદની નજીક આવેલા સામરખા ગામ ગયા હતા; અને ત્યાં રહેતાં તેમનાં માતુશ્રી કમળાબેનની, ભજન રાખવાની ઇચ્છા પૂરી કરી હતી.
આ પ્રસંગને અનુલક્ષીને ‘ દિવ્ય ભાસ્કર’ ની ખેડા-આણંદ આવૃત્તિમાં તા. ૨૯, નવેમ્બર -૨૦૧૧ ના રોજ એક સચિત્ર અહેવાલ પ્રગટ થયો હતો.
એ અહેવાલમાંથી થોડાંક ટાંચણ વડે, ૧૦૯ વર્ષેય અડીખમ એવાં આ
અજોડ મહિલા – કમળાબેન વ્રજલાલ સોની
ને બીરદાવતાં અત્યંત આનંદ થાય છે.
-
-
કમળાબેન સોની – પાંચમી પેઢીના બાળક સાથે
-
-
૧૦૯ વર્ષનાં કમળાબેન વ્રજલાલ સોની
…..
જન્મ – ૧૫, જુલાઈ- ૧૯૦૨
[ હાલ તેમના ૫૨ વર્ષના પૌત્ર, બિપિનભાઈ અને તેમનાં પત્ની ભારતીબેન સાથે રહે છે. ]
સંતાનો – ચાર દીકરા, ચાર દીકરી
તેમના વિશે થોડુંક-
- પાંચમી પેઢી સુધીનાં કુલ કુટુમ્બીઓનો વંશવેલો – ૫૦
- માત્ર ગુજરાતી એક ચોપડી સુધીનું ભણતર. પણ આઠેય સંતાનોને ભણાવી ગણાવી, ઠેકાણે પાડ્યાં છે.
- તેમના જમાનામાં સ્ત્રીઓ ઘરની ચાર દિવાલો વચ્ચે જ જીવન ગુજારતી હોવા છતાં, ગાંધીજી એમના ગામમાં આવ્યા ત્યારે તેમને જોવા/ સાંભળવા ગયાં હતાં. જોકે, તેમના પતિ વ્રજલાલ ભાઈ સક્રિય રીતે આઝાદીની લડાઈમાં સાથ આપતા હતા.
- આઠ વર્ષ પહેલાં વિનુભાઈની સાથે ચાર વર્ષ અમેરિકામાં રહેવા આવ્યા હતા; પણ તેમને અમેરિકાનું જીવન અનુકૂળ ન આવતાં વતન પાછાં ફર્યાં હતાં.
- આ ઉમ્મરે પણ પોતાનાં બધાં કામ જાતે જ કરે છે.
- ક્યારેય દવાખાનાનો આશરો લીધો નથી. હાલ જોવા અને સાંભળવાની થોડીક તકલિફ છે, એટલું જ.
- સમયસર, સાદું ભોજન, દેવ દર્શન,
- સો રૂપિયે તોલો સોનું, આઠ આને શેર દૂધ, અને બે રૂપિયે શેર ઘી જોયેલાં છે.
- બાજરીના રોટલા, ખીચડી, કઢી, અને મરી મસાલા વગરનું શાક – એમનો રોજનો ખોરાક છે.
કમળાબેનનાં વચનો
- વિકાસ બહુ થયો છે; પણ સંસ્કૃતિ વિસરાઈ ગઈ છે.
- લાજ, શરમ અને દયા ગાયબ થઈ ગયાં છે.
- સારા સંસ્કારો અને ધર્મ/ઉપાસના જરૂરી છે.
Like this:
4 bloggers like this post.
કમળા બેન પાસેથી સહુને પ્રેરણા લેવા જેવી છે.
તેઓ તંદુરસ્તી સાથે દીર્ઘાયુષ્ય ભોગવે એવી મારી શુભેચ્છા ઓ
પરમ આદરણિય કમળાબહેનનાં ચરણોમાં વંદન.
તેમનો ખોરાક અને તેમનાં વચનો આજની પેઢીને ખાસ શીખ લેવા યોગ્ય છે.