સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અમે રે સૂકું રૂનું પૂમડું- મકરન્દ દવે

અમે રે સૂકું રૂનું પૂમડું,
     તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
     વીંધો અમને વ્હાલા, આરંપાર:
     આવો, રે આવો હો જીવણ, આમના.

–  સાંઇ કવિ – મકરન્દ દવે

               આ ગીત મને બહુ જ પ્રિય છે. આપણા જીવનનો બહુ કરૂણ ચિતાર અહીં આપ્યો છે. પણ સાથે આર્દ્રતાથી કરેલી પ્રાર્થના પણ છે. આવી રીતે પ્રાર્થના કરીએ ત્યારે જ તે સંભળાય.

માનવ જીવનની ઘટમાળ  એવી
દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી.

            પણ છતાં એક અદ્ ભૂત ખુબી એ પણ છે કે, એ જ જીવનની અંદર – કશેય દૂર ન જવું પડે તેવી રીતે –  મોટો આનંદ, ચૈતન્ય અને સત્યનો ખજાનો ભરેલો પડ્યો છે. માત્ર તેની પર માનવ સ્વભાવના અને હજારો વર્ષ જૂનાં સંસ્કારોના પડળો લાગેલા છે. એ ખજાનાને કવિ અહીં સાવ તળપદી ભાષામાં ‘જીવણ’ કહીને સંબોધે છે.

        બસ, આપણે આર્દ્રતા અને કરૂણા સભર ભાવથી આ જીવણને ઇજન આપવાનું છે કે તમે મારા જીવનમાં આવો. છૂપાયેલા ન રહો.

 

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: