ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 649,272 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Voltaire"To hold a pen is to be at war."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

Join 419 other subscribers
વિભાગો
તાજેતરની સામગ્રી
- સાનહોઝેથી તેનકાશી
- કંટાળો – એક અવલોકન
- તણખલાં ભેગાં કરી – ગઝલાવલોકન
- જિજ્ઞાસા
- બરફનો ટૂકડો – એક અવલોકન
- એકલતા – ગઝલાવલોકન
- આત્મઘાતમાંથી પદ્મશ્રી
- કરોળિયાનું જાળું – એક અવલોકન
- દાદરાની રેલિન્ગ – એક અવલોકન
- સપનાં – એક અવલોકન
- વિયેટનામનું અદભૂત ગ્રામ્યજીવન
- દિલની વાત
- ૧૫, ઓગસ્ટ – ૧૯૪૭
- નવજાગૃતિ(રેનેસાં)નો અરુણોદય
- તે બેસે અહીં – ગઝલાવલોકન
વાચકોના પ્રતિભાવ
સુરેશ પર એકલતા | |
pragnaju પર કંટાળો – એક અવલોકન | |
pragnaju પર તણખલાં ભેગાં કરી – … | |
Niravrave Blog પર જિજ્ઞાસા | |
pragnaju પર જિજ્ઞાસા | |
Qasim Abbas પર જિજ્ઞાસા | |
સુરેશ પર બરફનો ટૂકડો – એક અવ… | |
સુરેશ પર બરફનો ટૂકડો – એક અવ… | |
pragnaju પર બરફનો ટૂકડો – એક અવ… | |
pragnaju પર એકલતા – ગઝલાવલોકન |
બહુ જ સરસ લખાઈ છે, દાદા.
મહા કવિ ! તમારી કવિતા સમજાઈ નહીં !
( મહાકવિની ન જ સમજાય ! ) તમે જુગલને કાશીએ મોકલ્યો ! એને જેલમાંય મોકલ્યો ! આ બધું શું છે ?!
ઉંઘમાંથી જાગીને લખી તેથી છંદમાં ભૂલો પડે તે સમજાય પણ બાકીનાનું શું ? સ્પસ્ટતા કરો નહીંતર મારી માથે છાણાં થપાશે. જુ.
વો ભુલી દાસ્તાઁ લો ફીર યાદ આ ગઈ
નજરકે સામને ઘટાસી છા ગઈ
તમે દિધો રે યશ મૈત્રિને ઘણો.
આભાર માની શકું ના હું એનો !
ભાવે ભર્યા, ઊંઘમહીં સર્યા હતા (ઇન્દ્રવંશા)
એમાં અચિંતા રચના કરી ને
આ એટલે કેટલી ભૂલ કીધી !
જાણો તમે,ભાઈ, સુરેશદાદા !
સુરેશજી, આપણ બેઉ સાથે (ઉપે.)
આજે અહીં નેટ પરે મળ્યા અહો! (ઇન્દ્રવંશા)
ના જાણતું કોઈ જ કાશિ અંગે
ને ના કંઈ જેલ વિષે ભલા ભૈ !
શો અર્થનો થાય અનર્થ ભાઈ !
તમે કર્યો ભારિ ડખો અહીં,જુઓ : (વંશસ્થ)
કૈં કેટલી પંક્તિ મહીં કરી છે
ભૂલો મઝાની બહુ છંદ કેરી.
કા.શિ .કહેતાં થયું “કામદાર-
શિક્ષા” તણું કેન્દ્ર જ ‘કા’,’શિ’,સાચું ?
ને જેલમાં જાઉં ભણાવવાને
સૌ કેદીઓને.બસ એમ ક્ હોને !
…….
બાકી બધુ કાલ, થયો સુવાનો
ટાઈમ આજે, બસ આવજો,હું
આભાર માની વિરમું અહીં જ !
(નોંધ : આ છંદમાં વાર્તાલાપો કરવાનું સલાહભર્યું નથી. આ કવિતા તો નથી જ પણ પદ્ય પણ નથી ને જોડકણાંય નથી ! આ તો છે ફક્ત છંદની માત્રાઓ ને અક્ષરમેળ કરવાની રમત કે પ્રેક્ટીસ ! કોઈ ગેરસમજ ન થાય તે જોજો.જુ.)
બે સ્પષ્ટતા
1.
કાશી જવાની કરી યોજના તેં,
મારા મજૂરો હરખે ઘણાયે.
આમાં કાશીનું રહસ્ય એ છે કે, જુગલકિશોર જે સંસ્થામાં કામ કરતા હતા તેનું નામ કામદાર શિક્ષણ યોજના હતું . અને કારીગરો અને મજૂરો તેને કાશી યોજના કહેતા. તેના એક ભાગ તરીકે ભાગ લેનાર કામદારોને ટૂર પર મોકલવામાં આવતા અને બધાને તે લાભ મળતો !
2.
ભાઇ જુગલ! યાદ મને ય આવે,
પાટાની સામે આપણ ઊભેલા.
—
કાવ્યો તજીને વિલસ્યો તું જ્યારે,
સાબરમતી જેલ મહીં તું ત્યારે,
આ જ યોજના અંતર્ગત તેમનો એક પ્રોજેક્ટ સાબરમતી જેલમાં હતો. પાટાની એક બાજુ જેલ અને બીજી બાજુ અમારું પાવર સ્ટેશન . આમ અમે પાટાની સામસામે થોડોક વખત રહ્યા હતા, પણ તે વખતે અમારો પરિચય થયો ન હતો.
🙂 🙂 🙂
દાદા, સરસ લખ્યું છે…
પણ મને તો ખાસ મજા-
જુગલકાકાની ‘ગેરસમજ’ની વ્યથા અને તમારી સ્પષ્ટતા માણવાની આવી! 🙂
આ છોકરી ગમે ત્યાંથી પ્રગટી જાય છે ! સાગરભર્યું એનું ભાવજગત સૌને વહેંચતી રહે છે. તારી વાત સાવ સાચી છે,બેના ! મને ઘડીભર આવી ગયેલી મુઝવણને કેવી ઝીલી લીધી !
આને જ જરા વધુ ઉંડાણમાં લઈ જઈએ ને બેન, તો મનુભાઈ ‘દર્શક'( મારા ગુરુજી ) કહે છે તે સમસંવેદન જે ભાગ્યશાળીને જ મળતું હોય છે,તે મહા વરદાન પ્રાપ્ત થઈ જાય ! કવિ આ સમસંવેદનનો જ જીવ છે પરંતુ દર્શક કહે છે તે તો એનાથીય અનેકગણું ઉંચું છે : રામકૃષ્ણને આ વરદાન હતું. ગાંધીને ય આ વરદાન હતું.સૌરાષ્રના એક સંત જેમને સીમમાં પાડાને તીર વાગ્યું તો પોતાના શરીરે લોહીના રેલા હાલ્યા !!
આ સમસંવેદન આપણા સૌનું લક્ષ હજો !!
એક જ રેલની પટરીની સામસામે રહ્યા પણ ઓળખ્યા નહી ને જ્યારે ઓળખ્યા ત્યારે ધરતીને સામસામે છેડે આવીને ઉભા છીએ ! આ નેટડો આપણને સાંધનારો બન્યો ! નહીંતર ક્યાં મારા જેવો (રિ)ટાયર્ડ માણસ ને ક્યાં આ તમારા સૌનું સાહિત્યજગત ! ઉ.બેન ! તમને ખૂબ બધા વંદન.નાના પણ આંતરિક ઉંચાઈએ પહોંચીને વંદનાના અધિકારી બને છે. અમિત અને જયુબેન હમણાંના મૌન છે.સુરેશભાઈ તો યવાન જ થતા જાય છે ને શું.બાકી હતું તે જયુભાઈ પણ આવ્યા !
અરે હા, યાદ આવ્યું. તમે કોઈએ ” પૌત્ર જય” કાવ્યને મૂલવ્યું નહીં ! એખરેખર મૂલવવા જેવું હતું.રાતે ત્રણ વાગે જાગી ગયો ને એ સાત વરસના કવિને અપાયેલ શાબાશી તરફ ધ્યાન જ નથી ગયું કે શું ? એના શબ્દો એનો લય,એની ભાવગૂંથણી, પ્રાસ, અંતરાઓની યોજના,મધ્યાનુપ્રાસ વગેરે દાદાને માટે તો ખાસ હતા પણ બીજી ધમાલમાં એ ગયું !!