તપેલીમાં ચા બનાવવા પાણી લીધું છે. એકદમ નીર્મળ પાણી. તળીયું દેખાય એવું પાણી. એને ગરમ કરવા મુકીને તેમાં તમે આદુ કચરીને નાંખો છો. પછી ચા નાખો છો. હલાવો છો. અને ધીમે ધીમે પાણીનો રંગ કાળાશ પડતો કથ્થાઈ થવા માંડે છે. ઉભરો આવતાં સુધીમાં તો એ લગભગ કાળું બની જાય છે. ચાની તીવ્ર સોડમ એમાંથી આવવા માંડે છે. પછી તમે એમાં માપથી દુધ રેડો છો અને ચાનાં પીણાંનો રંગ ઉભરી આવે છે. પછી માપથી તેમાં ખાંડ ઉમેરો છો અને એમાં મીઠાશ ઉમેરાય છે. બીજો ઉભરો હવે આવવાની ઘડીઓ ગણાય છે અને તમે એમાં છેલ્લા ઉમેરણ તરીકે ચપટીક ઈલાયચીનો પાવડર ભેળવો છો. લ્યો! છેવટનો ઉભરો પણ આવી ગયો અને તમને મનભાવતી સોડમદાર, કડક મીઠ્ઠી ચા તૈયાર.
હવે જે મુળ પાણી હતું એનાં તો નામોનીશાન દ્રશ્ટીગોચર થતાં નથી. તમે એ મજાની, ખુશ્બોદાર ચા પીઓ છો. કોણ એને હવે પાણી કહે?
પણ ભાયા! તમે જે પીણું પી રહ્યા છો એમાં પંચાણું ટકા તો મુળ પાણી જ છે. એમાં માત્ર રંગ, રુપ, ગંધ અને સ્વાદ ઉમેરાયાં છે – એટલું જ. થોડાક કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન, ક્ષાર અને વીટામીન વીગેરે છે. એ બધાં થઈને બાકીનાં પાંચ ટકા. અને જ્યારે એ તમારી જઠરમાં જશે ત્યારે બાકીના એ પાંચ ટકાનો બહુ નાનો હીસ્સો જ તમારા લોહીમાં ભળવાનો છે, અને તે પણ પુરું પાચન થયા બાદ. અને પાણી તો તરત જ શોશાવા માંડશે. એને કોઈ પાચનશક્તીની જરુર જ નથી.
હવે તમે જ કહો કે, તમે ચા પીધી કે પાણી? માટે તો પાણીને ‘જીવન’ કહ્યું છે. ચા વીના ચાલશે……… પાણી વીના નહીં. બીજી રીતે જોઈએ તો : એમાં નાનકડો એક ટકો જ ચાનું ‘ચા’ પણું છે! એને માટે જ આપણે ચા બનાવીએ છીએ અને પીએ છીએ!
જીવનનું જે સત્વ કે, તત્વ છે; તે તો આ એક ટકા જેટલું પણ નથી. અરે માપ અને દ્રશ્યતાના પરીપ્રેક્ષ્યમાં તો તે સાવ શુન્ય જ છે. અને છતાં એ છે, તો જ જીવન છે. નહીં તો એ શબ માત્ર.
Like this:
Like Loading...
Related
its very nice
http://www.searchgujarati.com
શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર
सुन्दर वात कही!
What really matters is not the water but the solute in it. Even milk is almost water, but it is beneficial only due to the less than 5 percent solute dissolved or suspended (in Brownian motion)in it. Another example is steels of different types such as structural steel, stainless steel etc. The 95 percent or so of iron is tranformed into the specially useful type of steel only by the presence of the very small percent of carbon, magnesium etc. added to it. Similarly, societies are made better or worse by the small percent of outstanding people serving them. Therefore, let us not underestimate the importance of the additives.
Pingback: કુકિન્ગ પ્લેટફોર્મ – એક અવલોકન | ગદ્યસુર
Pingback: રજવાડી સિરિયલ – એક અવલોકન « ગદ્યસુર
Pingback: રસોઈ અને ધ્યાન! | સૂરસાધના
Pingback: ચાના કૂચા – એક અવલોકન | સૂરસાધના