મારી ચીઝ કોણે ખસેડી નાંખી?
કેમ નવાઈ પામી ગયા ને, આ શીર્ષક વાંચીને? ભારતમાં ચીઝ એટલી બધી વપરાતી નથી. પણ પશ્ચીમના વીશ્વમાં ચીઝ એ ખોરાકનો એક સત્વ વાળો – આપણે મલાઈ કે ઘીને ગણીએ એવો – આકર્ષક પદાર્થ ગણાય છે. જ્યારે કોઈ એમ કહે કે, ‘મારી ચીઝ હવે જતી રહી છે.‘ તો એ મોટી આપત્તી, અણધાર્યા પરીવર્તનનું રુપક મનાય છે.

મારી ચીઝ કોણે ખસેડી?
1998ની સાલમાં પ્રકાશીત થયેલ, સ્પેન્સર જહોન્સન નામના ચીંતક અને લેખકની આ નામની ચોપડીએ એક નવો જ વીક્રમ સ્થાપીત કર્યો છે. સાવ વાહીયાત લાગે તેવી વાર્તાની અઢી કરોડ નકલો વેચાય; એ નાનીસુની સીધ્ધી ન જ કહેવાય. એમની બધી ચોપડીઓ (11) ગણીએ તો તો એ આંક 46 કરોડ પર પહોંચે છે, અને 47 ભાષાઓમાં એ અનુવાદીત થયેલી છે.
એ તો ઠીક, પણ આ ચોપડીમાંની કાલ્પનીક વાર્તા ઘણી કમ્પનીઓમાં કામદારોને – ખાસ તો ઉચ્ચ અધીકારીઓને – બદલાતા વૈશ્વીક પરીબળો સાથે તાલ મેળવવા, અને અભીગમ બદલવા માટેની તાલીમ આપવા વપરાવા માંડી છે.
મુળે, જહોન્સન માનસશાસ્ત્રનો સ્નાતક હતો; અને ત્યાર બાદ સાઉથ કેરોલીનાની મેડીકલ કોલેજમાંથી એમ.ડી. થયેલો. જગવીખ્યાત, હાર્વર્ડ સ્કુલમાં સેવા આપી ચુકેલ આ મહાનુભાવ મેનેજમેન્ટ નીષ્ણાત તરીકે બહુ જાણીતા છે.
તો શું છે આ વીશીષ્ઠ પુસ્તકમાં? તમને જાણીને નવાઈ લાગશે કે, ઉપરછલ્લી રીતે તો આપણને આ એક બાળવાર્તા જ લાગે! એક અત્યંત વીલક્ષણ અને અટપટી ભુલભુલામણી વાળી જગ્યામાં ચાર સાવ ટચુકડાં પાત્રો રહે છે. એમાંના બે ઉંદર છે, અને બે સાવ ટચુકડા માણસો. એમનો ચીઝનો જાણીતો ઢગલો ખતમ થઈ ચુક્યો છે.
ઉંદરો પ્રાણીસહજ સીમીત બુધ્ધી ધરાવે છે. એક ઉંદર ખણખોતીયો, સારી ઘ્રાણ શક્તીવાળો છે; અને ચીઝ માટે સતત સુઘતો રહે છે. બીજો સતત દોડતો રહેતો, કર્મઠ જણ છે. એ બે તરત ચીઝના નવા પ્રાપ્તીસ્થાનની શોધમાં લાગી જાય છે; અને ચોપડીના ત્રીજા કે ચોથા જ પાને એમને એ મળી જાય છે.
પણ બીજા બે માનવબંધુઓ, માનવસહજ વીશીષ્ઠ બુધ્ધી ધરાવે છે; દલીલો કરે છે; વીચાર વીમર્ષ કરે છે; અને આ અણધાર્યા આપત્તીજનક પરીવર્તનથી મુંઝાયેલા છે. એમાંનો એક તો પરીવર્તનને સ્વીકારવા બીલકુલ તૈયાર નથી અને છેવટ સુધી હતાશ થઈને બેસી રહે છે. બીજો પ્રારંભીક હતાશાને અતીક્રમી, નવી ચીઝ શોધવા નીકળી પડે છે.
ચોપડીનો મોટો ભાગ , આ ચોથા જણના અનુભવો અને એણે શોધી કાઢેલા સત્યો અને સીધ્ધાંતોનું નીરુપણ છે.
જેમ જેમ આપણે આ ચોથા જણની સાથે એ ભુલભુલામણીમાં સફર કરતા જઈએ છીએ; તેમ તેમ આપણા પોતાના જીવન, તેમાં આવતા પરીવર્તનો અને વેઠવા પડતા સંઘર્ષો સાથે આકસ્મીક આપણે તુલના કરતા જઈએ છીએ. ચારે પાત્રો પણ વાસ્તવીક જીવનમાં સામાન્ય રીતે જોવા મળતી, વીધવીધ પ્રકાર અને સ્વભાવવાળી વ્યક્તીઓ સાથે સામ્ય ધરાવે છે.
આ ચોથા જણે પ્રસ્થાપીત કરેલા સીધ્ધાંતો સરળ ભાષામાં –
- પરીવર્તન તો થવાનું જ.
- આપણી ચીઝ કોઈને કોઈ ખસેડી જ નાંખવાનું છે.
- પરીવર્તનને ઓળખતાં શીખો .
- ચીઝ તો જતી રહેવાની જ છે. તે માટે તૈયાર રહો.
- પરીવર્તન પર સતત ધ્યાન રાખો.
- ચીઝ જુની થઈ ગઈ છે કે કેમ તે, સુંઘતા રહો.
- પરીવર્તન સાથે ઝડપથી તાલ સાધો.
- જેટલી ઝડપથી જુની ચીઝની માયામાંથી મુક્ત થશો એટલા નવી ચીઝ મેળવવા શક્તીમાન બનશો.
- બદલાઓ.
- ચીઝના નવા ઠેકાણા પ્રમાણે ખસતા રહો.
- પરીવર્તનનો પ્રેમથી સ્વીકાર કરો.
- નવી ચીઝ શોધવાના પ્રયત્ન/ સાહસની મોજ માણો. અને નવી ચીઝ માટેનો સ્વાદ કેળવતા જાઓ.
- વારંવાર થતા બદલાવ માટે તૈયાર રહો , અને એનો ફરી ફરી આનંદ માણો.
- ચીઝનું ઠેકાણું તો બદલાતું જ રહેવાનું છે.
મોટે ભાગે આપણે કોઈ જ ચીજ પરીવર્તન ન પામે; તેવી અપેક્ષા રાખતા હોઈએ છીએ. આપણાં ઘણા બધાં દુખોનું મુળ પણ આ ઠગારી આશા કે અપેક્ષા હોય છે. પણ વાસ્તવીકતા એમ નથી જ હોતી. સતત પરીવર્તન એ વીશ્વનો ક્રમ છે. આ માટે વાસ્તવીક અને ભોંય સોંસરો અભીગમ કેળવવા આ વાર્તા આપણને સરળતાથી પ્રેરણા આપે છે.
વધુ વાંચન માટે : – 1 – : – 2 –
Like this:
Like Loading...
Related
GOOD DAY! SIR
SAV SACHI VAT CHE.
PARIVARTAN JARURI CHE.
JO PARIVARTAN NA THAYU HOT
TO DUNIYA MA KAYPAN NA HOT.
THANK & BEST REGARDS
JAYDEVSINH
મારા દિકરાને ગમતું પુસ્તક…
મેનેજમૅન્ટની વાતમા આનો અને ફીશ? નો ઉલ્લેખ કરે..
અમને તો આવી વાત બમ્પર ? જાય !!
તમને બમ્પર જાય , એ હું માની નથી શકતો !
સરસ પુસ્તક છે, મારી પાસે ગુજરાતીમાં છે. મજા આવે એવું છે.
mane vadhare n aavde eng..pan ..tame jetlu lakhiyu che ke parivartan jaruri che e vat gami…guj..ma book che e koshish karis medvvani ane vachis…ane dikri ne eng..book ni link aapi didhi che vachva…
i m read this in 2003 but i m read haf. b’coz i know only for red. and i m fast time read in sive khara book. i can do. but mabe u got this full stori so pls forword me. i need. b’coz i m read any time i m lern diffret think in this stori. u give to nice block.
Respected Jani Saheb,
First of all congratulations.
I can not believe that an Electrical Engineer…&….General Manager (Power Station) can write so nice Gujarati SAHITYA.
The fluency throughout the topics is just superb.
Please keep the momentum going & share new things time by time. I will eagerly waiting for your new thoughts.
With warm Regards,
Arun Mod.
change to challange
-bharat joshi
Dear All,
Change is bound to happen.
Change e ek saras tak che, je vyakti tene sunghi ne tak zadpi sake che te jivan ma ghano agad vadhi sake che.
So never be afraid of change, just smell it and for this you will not only need 4 ears but 4 eyes and 8 hands.
I also have Presentation on this book. so if any body needs it mail me at my mail id kh_palak@yahoo.com
Really inspiring
As they say nothing is PERMENANT except CHANGE, it is rightly said in the book ,I have a Gujarati version long back and also used in trainiing classes with bank employees, GREAT BOOK Thank you Shri Sureshbhai, Please continue to give review of books,
Really it is very interesting to read this in Garvi Gujarati.When we read Gujarati we feel more personalised approach.
Good
atul vyas
મારા દરેક વિદ્યાર્થીને આ પુસ્તક વાંચવા કહું છું
In life Change (Parivartan)is always necessary. If there is no change , no fun. Some times we are not ready to accept the change and then we regret for it. At the same time, for a change ,in the language of physics, unbalance force is also required. That may come in different ways. Today Us is passing through this type of change . Hope people are realising the situation and they may change teir life style which may be good for the future life.
Thanks for bringing out such title to the attention of GUJARATI ES!
thank for sending this type of story to member
hemant doshi
જીવન એટલે સતત વહેતો પ્રવાહ, અને પ્રવાહ તો હંમેશાં પરીવર્તનશીલ જ હોવાનો. “એકની એક જ નદીમાંથી બે વાર પસાર થઈ ન શકાય.” “you can not step in same river twice.” માત્ર મૃત્યુ જ અપરીવર્તનશીલ હોય છે.
I recommend this book….
Excellent
The book like this one can change the very way of thinking for the better.The only constant fact of life is change.Change we must and then only we can find the real cheese of life and enjoy it. .Mahatma Gandhi has righly said that BE THE CHANGE THAT YOU WANT TO SEE IN THE WORLD.
Pingback: પરિવર્તનનો શહેનશાહ | સૂરસાધના