વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
-——————————————
તંબુમાંથી પાંચો છટકી ગયા બાદ, ગોવો સતત પાંચાના વીચાર કરતો રહ્યો. આખી જીંદગી બન્નેએ એકબીજાને અતુટ સાથ આપ્યો હતો. કોતરવાસી અને મેદાનવાસી કબીલાઓના હીતની બન્નેને સરખી ચીંતા રહેતી. સ્વભાવે પાંચો વધારે ચીકાશવાળો હતો. તે ચકાસી ચકાસીને પગલાં ભરવાં ટેવાયેલો હતો. તેની બુધ્ધી સૌથી વધારે સતેજ હતી.
પાંચો ભાગતાં પકડાઈ જાય તો આ પરદેશીઓ તેને જાનથી ખતમ જ કરી નાંખે. તે ઘોડા સુધી જાય; ઘોડાનો વીશ્વાસ સંપાદન કરે; છાનામાના અવાજ ન થાય તે રીતે ઘોડાને દોરી, પડાવથી દુર જાય; ઘોડેસવારી પર પહેલ વહેલો હાથ અજમાવે – આ બધામાં ઘણો સમય વીતી જાય અને પાંચો ખાસ દુર ભાગી ન શકે. અને ત્યાં સુધીમાં તો કલાક વીતી જાય અને ચોકીદાર તંબુમાં જોવા આવે, ત્યારે તેને પાંચાના ભાગવાની ખબર પડી જ જાય.
‘શું કરું તો પાંચાને વે ત્રણ કલાક મળી જાય?’ ત્યાં જ ગોવાના મગજમાં ઝબકારો થયો. તંબુમાં પથારીની જગ્યાએ સુકું ઘાસ પાથરેલું હતું. ગોવાએ આખા તંબુનું વધારાનું ઘાસ પાંચો સુતો હતો ત્યાં એકઠું કર્યું. એની ઉપર ચામદું પાથરી દીધું અને એક જણ સુતું હોય, તેવો દેખાવ ઉભો કર્યો. આટલું ગોઠવી ગોવો સુવાનો ડોળ કરી પડ્યો રહ્યો.
થોડીવારે ચોકીદાર મશાલ લઈ અંદર આવ્યો., બે કેદીઓને સુતેલા જોઈ, તે પાછો જતો રહ્યો. આમ બે વાર બન્યું. ત્યાર બાદ તે સુવા ગયો અને તેની અવેજીનો બીજો ચોકીદાર આવી પહોંચ્યો. તેણે જરા ઝીણવટથી ચકાસણી કરી. પણ તેને કશું વાંધાજનક ન જણાયું. તે પણ બે ત્રણ વાર ચકાસણી કરી ગયો.
અને આમ કરતાં સવાર પડી ગઈ. ગોવો હવે નીશ્ચીંત બની ગયો. પાંચાની યોજના સફળ નીવડી હતી. ખાને એક મુલ્યવાન રત્ન ગુમાવ્યું હતું. નવા પ્રદેશના મહાન વીજય બાદ આ તેનો પહેલો અને નાનકડો પણ નીશ્ચીત પરાજય હતો.
પણ અજવાળું થતાં જ પાંચો ભાગી ગયાની ચોકીદારને જાણ થઈ ગઈ. તેણે તેના ઉપરીને આ મોંકાણના સમાચાર આપ્યા. ઉપરી રાતો પીળો થતો ગોવા પાસે આવ્યો અને કહ્યું ,” એ બદમાશ ક્યાં ભાગી ગયો છે?” ગોવો તો એમાંનો એક પણ શબ્દ ક્યાં સમજી શકે તેમ હતું? મોં અને હાથના હાવભાવથી તે સમજતો નથી, એમ ઈશારો કર્યો.
ઉપરીએ ક્રોધથી ચામડાંની વાધરીનો સાટકો ગોવાને ફટકારી દીધો. ગોવો અરેરીટામાં સીસકારો બોલી ગયો. તેની પીઠ પર સોળ જ નહીં , લોહીના ટશીયા ફુટ્યા. તેણે ગોવાને ઉપરા ઉપરી, ત્રણ ચાર સાટકા ઠોકી દીધા.
ગોવાના મનમાં ક્રોધની જ્વાળાઓ પ્રગટવામાં હતી; ત્યાં જ એના નવા મનોનીગ્રહે તેના મનની લગામ પકડી લીધી. તેણે સંકલ્પ કર્યો કે, નવો વીચાર શું આવે છે, તેની ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરીશ. અસહ્ય વેદનાની જગ્યા આ સંકલ્પે લીધી. વેદનાની તીવ્ર સંવેદનાની ઉપરવટ થતાં સાવ નીર્વીચાર મનમાં તેના પોતાના આશ્ચર્ય વચ્ચે ક્રોધ ઓગળી ગયો. પીઠની બળબળતી ચરચરાટી ગૌણ બની ગઈ. કોઈક અજાયબ શાંતી બાદ ભુતકાળની એક યાદ ઉજાગર થઈ ગઈ.
એક શીકારના પ્રસંગ વખતે, ગોવાએ એક હરણ નજીક આવતાં પથ્થર ફેંક્યો હતો; પણ પગમાં કાંટો આવી જતાં તે મર્મસ્થાન ચુકી ગયો હતો અને પથ્થર હરણની પીઠ પર પડ્યો હતો. કાંટાને કારણે તેણે ઉભા રહી જવું પડ્યું હતું; અને હરણ ભાગી ગયું હતું. તે વખતે પોતાને થયેલી હતાશા ગોવાને યાદ આવી ગઈ. આજે ખાન, તેનો અધીકારી અને ચોકીદાર પણ એવી જ પરીસ્થીતીમાં મુકાયા હતા. તેમનો બંદી હાથતાળી આપીને છટકી ગયો હતો. પાંચા પ્રત્યે અનહદ પ્રેમ હોવા છતાં, ગોવાને આ બધા માટે એક નવી અને અજાણી સહાનુભુતી પ્રગટ થઈ.
બધા સૈનીકોમાં કોલાહલ મચી ગયો. આ કોલાહલ સાંભળી ખાન પણ ત્યાં આવી ગયો. તેને પાંચો છટકી ગયાની માહીતી મળી. તેણે ગોવાનો લોહી નીગળતો વાંસો જોયો. તે બરાડી ઉઠ્યો ,” અરે! અક્કલના ઓથમીરો! આને મારવા કરતાં બે ચાર જણ ઘોડા પર મારતી સવારીએ દખ્ખણ દીશામાં ઓલાને પકડવા જાઓ ને?”
પેલા ઉપરીની સાન હવે ઠેકાણે આવી. તે અને બીજા ત્રણ જણા મારતે ઘોડે પાંચાના સગડ ચાંપતા દક્ષીણ દીશામાં ઉપડ્યા. પણ પાંચો તો આ લાંબા સમયમાં, આગલા પડાવ સુધીના અડધે રસ્તે પહોંચી ગયો હતો. કલાકેક બાદ ચારે બુડથલો વીલા મોંએ પાછા આવ્યા.
આ દરમીયાન ખાન ગોવાના ચહેરાનું બારીકીથી નીરીક્ષણ કરી રહ્યો હતો. તેને તેમાં કોઈ ઉપહાસ, કે વ્યંગની રેખા ન જણાઈ. સાટકાના મારને પણ ગોવાએ હસતે મુખે જીરવ્યો હતો. ગોવાની આ ઠંડી તાકાત નીહાળી ખાન અચંબો પામી ગયો. બન્ને વચ્ચે ભાષાના ફેર અને દુભાષીયાની ગેરહાજરીને કારણે, કશો સંવાદ હજી શક્ય ન હતો. પણ તેને ગોવાની નવી ઉભરી રહેલી સ્વસ્થતા ચીંતા ઉપજાવવા માંડી.
તે તેના માણસો તરફ ફર્યો અને કહ્યું ,” એક પક્ષી તો ઉડી ગયું. જો આ બીજો બંદી છટકી ગયો, તો તમારી કોઈની ખેર નથી. આ અગત્યના બંદીને કોઈએ વીતાડવાનો નથી. એના ઘાની બરાબર ચાકરી પણ કરવામાં આવે. ”
ગોવા પરનો જાપ્તો હવે એકદમ કડક બની ગયો. એક સૈનીકે તેના વાંસા પર કશીક વનસ્પતી વાટીને તેનો લેપ લગાવ્યો અને વેલાના પાનના પાટા બાંધ્યા.
ગોવો પોતાની વેદના અને ક્રોધ પર મેળવેલા વીજયને અવલોકી રહ્યો. આમ કદી બન્યું ન હતું. તેને ખાતરી થવા માંડી કે તેના માનસમાં આવેલું પરીવર્તન તેને અવનવી અંનુભુતીઓ કરાવી રહ્યું છે. ચેતનાની એક નવી જ ભુમીકાની આહ્લાદક લહેરોના શીતળ સ્પર્શમાં ગોવો નહાઈ રહ્યો હતો. તેને લાગ્યું કે, તેની જીવનનો આ નવો વળાંક તેને કોઈક જુદા જ મુકામ તરફ દોરી રહ્યો છે.
ગોવાને આ પ્રવાહ અને આ પરીવર્તન ગમવા માંડ્યા.
Like this:
Like Loading...
Related
maja avi rahi che..thodu haji govo khan na pradesh ma pohanche tyare tena pradesh nu saras varnan karjo…
The story is coming to a classical climax. The flow is now above physical world.
ક્રોધ એક માનવ સહજ લાગણીની અભિવ્યક્તિ છે.આત્મા અને પરમાત્મા જેના એકમેવમાં લીન છે એવા ઋષિ-મુની જો ક્ષણિક આવેશમાં આવી ક્રોધિત થાય તો સામાન્ય માનવ માટે ક્રોધને સંયમમાં રાખવો અઘરો જ નહીં પણ અશક્ય જ છે.
રજનીશજી કહે છે ”ગુસ્સો માણસનો એક પ્રકારનો કચરો ફેંક્વાનો રસ્તો છે.માણસના મનમાં ભરેલા જાતજાતના પૂર્વગ્રહો,જાતજાત્ની માન્યતાઓ અને જાતજાતના વિચારો ને ગુસ્સા નામના રસ્તા વાટે નીકળતા હોય તે તેમ નીકળી જવા દેવા જોઇએ.”
સ્વામી સચ્ચીદાનંદજી કહે છે, ” અન્યાય, અત્યાચાર કે ખોટી વાતો જોઇ-સાંભળીને પણ ગુસ્સો ન કરે તે કાયર કે નમાલો કહેવાય.”
જુદા જુદા માણસની ગુસ્સા વિશેની જુદી જુદી માન્યતા છે.પણ સો વાત્ની એક વાત ચોક્કસ છે કે
” excess of every thing is always bad.” જ્યારે જે અતિ વિષય છે તે અસહય જ છે.
ગસ્સો જ્યારે માઝા મુકે ત્યારે તેને ક્રોધનૂં સ્વરુપ કહેવાતું હશેને?
વાહ દાદા, મારો આવો જ જાત અનુભવ રહ્યો છે. જે કોઈ લાગણી કે દુખાવો થાય ત્યારે એને અવલોકવાનુ શરું કરતાં જ એક નવી અનુભુતી આકાર લઈ લે છે.
A very ggod researched email from Dr. rajendra Trivedi
—————————–
Krodh – is derived from the Sanskrit word krodha. December 9, 2009
Filed under: ENGLISH — dhavalrajgeera @ 10:45 pm Edit This
Krodh is derived from the Sanskrit word krodha, which means wrath or Rage. This is an emotion recognized in the Sikh system as a spring of conation and is as such counted as one of the Five Evils.
It expresses itself in several forms from silent sullenness to hysterical tantrums and violence. In Sikh Scripture krodh usually appears in combination with kam — as “kam krodh”. The coalescence is not simply for the sake of alliterative effect. Krodh (ire) is the direct progeny of kam (desire). The latter when thwarted or jilted produces the former. The Scripture also counts krodh (or its synonym kop) among the four rivers of fire.
Violence, attachment, covetousness and wrath,” says Guru Nanak “are like four rivers of fire; those who fall in them burn, and can swim across, O Nanak, only through God’s grace” (GG, 147). Elsewhere he says, “Kam and krodh dissolve the body as borax melts gold” (GG, 932). Guru Arjan, Nanak V, censures krodh in these words: “O krodh, thou enslavest sinful men and then caperest around them like an ape.”
In thy company men become base and are punished variously by Death’s messengers. The Merciful God, the Eradicator of the sufferings of the humble, O Nanak, alone saveth all” (GG, 1358). Guru Ram Das, Nanak IV, warns: “Do not go near those who are possessed by wrath uncontrollable” (GG, 40). Krodh is to be vanquished and eradicated. This is done through humility and firm faith in the Divine.
Guru Arjan’s prescription: “Do not be angry with any one; search your own self and live in the world with humility. Thus, O Nanak, you may go across (the ocean of existence) under God’s grace” (GG, 259). Shaikh Farid, a thirteenth-century Muslim saint whose compositions are preserved in the Sikh Scripture, says in one of his couplets: “O Farid, do good to him who hath done thee evil and do not nurse anger in thy heart; no disease will then afflict thy body and all felicities shall be thine” (GG, 1381-82). Righteous indignation against evil, injustice and tyranny is, however, not to be equated with krodh as an undesirable passion. Several hymns in the Guru Granth Sahib, particularly those by Guru Nanak and Kabir, express in strong terms their disapproval of the corruption of their day.
Five Evils
1. Kam (Lust) 2. Krodh (Rage) 3. Lobh (Greed) 4. Moh (Attachment) 5. Ahankar (Ego)
[edit] References
Sabadarth Sri Guru Granth Sahib Ji. Amritsar, 1964
Jodh Singh, Bhai, Gurmat Nirnaya. Ludhiana, 1932
Sher Singh, The Philosophy of Sikhism. Lahore, 1944
Avtar Singh, Ethics of the Sikhs. Patiala, 1970
Nirbhai Singh, Philosophy of Sikhism. Delhi, 1990
Above adapted from article By L. M. Joshi
Concepts In Sikhism – Edited by Dr. Surinder Singh Sodhi
Lecture on Krodh #1 by Veer Bhupinder Singh
Lecture on Krodh #2 by Veer Bhupinder Singh
Retrieved from “http://en.wikipedia.org/wiki/Krod