ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 651,772 લટાર મારી ગયા.
પરમપૂજ્ય બા/બાપુજી

Join 418 other subscribers
વિભાગો
તાજેતરની સામગ્રી
વાચકોના પ્રતિભાવ
pragnaju પર આનો શો ઉકેલ? | |
Qasim Abbas પર આનો શો ઉકેલ? | |
Suresh Jaani પર મોહ | |
pragnaju પર મોહ | |
pragnaju પર સળી – એક અવલોકન | |
સળી – એક અવલોક… પર આઠનું બળ – એક અવલોક… | |
Qasim Abbas પર ચિત્રકાર કે પ્લમ્બર ? | |
pragnaju પર ચિત્રકાર કે પ્લમ્બર ? | |
pragnaju પર હાઈવે – 1 | |
જડતા – એક અવલો… પર હાઈવે – 1 |
” પહેલુ સુખ તે જાતે નર્યા.”
what is જાતે નર્યા means??
રાજેન્દ્ર ત્રિવેદી
http://www.bpaindia.org
ગુજરાતી લેક્સિકોનમાંથી –
નર્યા શબ્દ મળ્યો નથી.
Feedback from Gujarati Lexicon –
———————————————
Thank you for sharing information.
Original word is નર્યું which is already exist on Gujaratilexicon site and it means નીરોગી, તંદુરસ્ત, નરવું, તદ્દન
You can find the same on below link:
http://www.gujaratilexicon.com/index.php?action=GGDictionary&sitem=નર્યું&type=1&dict=2&page=0&p=1
નર્યા શબ્દ નર્યું શબ્દનું બહુવચનનું રૂપ છે જેથી અમે મૂળરૂપ લીધેલું છે તેનું બહુવચન રૂપ લીધેલું નથી
કેન્સર માટેનું પોસ્ટર
સ્વાસ્થ્ય વિશેની જાગ્રતતા એટલે પોતાના શરીરના રૂપરંગ વિશે સભાન રહેવું, પોતાના શરીર માટે શું સ્વાભાવિક છે તેથી વાકેફ રહેવુ અને કાંઇ ફેરફાર થાય તો એ બાબતની નોંધ લેવી.
કેવા કેવા સંકેતો અને લક્ષણો વિશે તકેદારી રાખવી એનું માર્ગદર્શન આ પત્રિકામાં આપેલ છે.
કાંઈ ફેરફાર થાય કે કોઈ લક્ષણ દેખાય તો એ કેન્સરની નિશાની ભાગ્યે જ હશે. હકીકતમાં તો એની પાછળ કોઈ મોટું કારણ નહીં હોય અને એમાંના અમુક તો રહેશે પણ નહીં.
પણ જો આવા ફેરફાર કે લક્ષણો 2 વીકથી વધારે રહે અને કાંઈ સુધારો ન જણાય તો સત્વરે ડૉક્ટરને મળી ચેક કરાવી લેવું.
દર્દ કે પીડા થવાની રાહ ન જોવી કેમ કે સાધારણ રીતે કેન્સરની શરૂઆતમાં દર્દ કે પીડાનો અભાવ હોય છે.
વહેલું નિદાન અને ઝડપી ઈલાજ થાય તો બચવાની ઘણી શક્યતા હોય છે.
નીચેની કોઈ બાબત લાગુ પડે તો તમને કેન્સર થવાનો ખતરો વધુ રહે છે:
* કુટુંબના પૂર્વજોમાં કેન્સરનું પ્રસરણ
* સિગારેટ કે શીશા જેવા તમાકુના પદાર્થોનું સેવન, અત્યારે યા ભૂતકાળમાં.
* દારૂ પીવાની ટેવ.
* વધુ પડતી ચરબી વાળો ખોરાક.
* ક્ષ-કિરણો તેમ જ તડકામાં વધુ વખત રહેવાથી લોહિતોત્તર (અલ્ટ્રા-વાયોલેટ) કિરણો – આ કિરણોત્સર્ગનો વધુ પડતો સંપર્ક. ટૅનીંગ બેડ (ચામડીને તામ્રવર્ણી બનાવવા માટેના ખાસ પલંગ) યા સનલેમ્પ (કૃત્રિમ સૂર્યકિરણ ઉપજાવનાર યંત્ર) નો ઉપયોગ. તડકામાંથી મળતા લોહિતોત્તર કિરણો કરતાં ટૅનીંગ બેડના કિરણો વધુ તીવ્ર હોવાથી એ વધુ નુકસાનકારક બની શકે છે.
* વ્યવસાય થકી ધાતુઓ કે જંતુનાશક દવાઓ જેવા રસાયણોનો સંપર્ક; ઉદાહરણ તરીકે એસ્બેસ્ટોસ, નિકલ, કેડમિયમ, યુરેનિયમ, બેનઝીન.
કયાલક્ષણોવિશેતકેદારીરાખવી
સંડાસ-પેશાબની હાજતમાં ફેરફાર: સખત કબજીયાત, ઝાડા, મળના કદમાં ફેર, પેશાબ કરતી વખતે પીડા, પેશાબ સાથે લોહી પડવું યા મૂત્રાશયની કામગીરીમાં ફેર – આ બધા ચિહ્નો માટે નજર રાખવી.
શરીરમાં ગમે ત્યાં અથવા મોંની અંદર ન રૂઝાય એવા વ્રણ કે ગૂમડા: મોઢામાં હઠીલા વ્રણ માટે સભાન રહેવું, ખાસ કરીને તમે જો ધૂમ્રપાન કરતા હો, તમાકુનું સેવન કરતા હો યા અતિશય મદ્યપાન કરતા હો તો. ઉપરાંત, લાંબા સમય સુધી ન મટતા ફોલ્લા-ફોલ્લી કે સોજા, હોઠ ઉપર યા મોઢાની અંદર ન રૂઝાતા ચીરા, ચાંદા કે ગાંઠ, યા મોઢાની અંદર હઠીલા સફેદ કે લાલ ડાઘ – આ બધા માટે સભાન રહેવું.
અઘટિત લોહી પડવું ઘા સ્રાવ થવો: થૂંકમાં, મળમાં (મળ ઘેરા રંગનો કે કાળા રંગનો હોય) યા પેશાબમાં લોહી પડે, અથવા સ્તનની ડીંટડીમાંથી લોહીયુક્ત સ્રાવ થાય તે વિશે તકેદારી રાખવી.
શરીરમાં કોઈ જગાએ ઘટ્ટ થઈ જાય યા અઘટિત ગાંઠ-સોજા દેખાય: સ્તનમાં, વૃષણમાં તથા લિમ્ફ-ગ્રંથીઓમાં ગોળાઈ વાળા, ખંજન જેવા યા ઘટ્ટ સોજા થાય યા સ્રાવ થાય અથવા રૂપરંગમાં કાંઈ ફેર પડે તે બાબત સચેત રહેવું. ઘણા ખરા ગાંઠ-સોજા ફક્ત ચાંદા/ફોલ્લા જેવા હોય છે અને કેન્સરમાં નથી પરિણમતા.
કબજીયાત યા અન્ન ગળે ઉતારવામાં મુશ્કેલી: ઘન યા પ્રવાહી પદાર્થ ગળે ઉતારવામાં મુશ્કેલી પડે કે પીડા થાય તે વિશે સચેત રહેવું.
કોઈ લાખું કે મસો હોય તેમાં દેખીતો ફેરફાર: નવા લાખા (ચામડી ઉપર યા અન્ય અંગમાં નાના ગૂમડાં જેવું ઉપસી આવે) માટે જોતા રહેવું, તેમ જ જૂના લાખામાં કાંઈ ફેરફાર થાય – સુજી જાય, રંગ ફરી જાય, કદમાં વધી જાય, ચળ આવવા માંડે, લોહી પડવા માંડે – તે માટે પણ સચેત રહેવું.
કાયમ સતાવતી ઉધરસ યા ઘોઘરાપણું: ઉધરસ આવે ત્યારે સખત પીડા થાય યા લીંટ/કફમાં લોહી પડે તે માટે જોતા રહેવું.
વજનમાં અકારણ ઘટાડો: કોઈ કારણ વગર (ઈરાદા વગર) વજનમાં 10 રતલ જેટલા ઘટાડો થાય તો વજન ચેક કરતા રહેવું.
તાવ યા પરસેવે રેબઝેબ કરી નાખતી રાત: શરીરનું તાપમાન 38 ડિગ્રી સેન્ટીગ્રેડથી ઉપર હોય, તમે લોથપોથ રહેતા હો અને શરદી/ફ્લુ જેવા ચેપી રોગનો પ્રતિકાર કરવાની તમારી શક્તિ મંદ હોય, તો તાપમાન ચેક કરતા રહેવું.
થકાવટ/સુસ્તી: કાયમ થાક અને સુસ્તી જણાય તે માટે ચેતવું.
દર્દ/પીડા: હાડકામાં કે શરીરના અંગોમાં સખત પીડા થાય તે માટે ચેતતા રહેવું.
ત્વચા/ચામડીમાં ફેરફાર: ચામડી કાળી, પીળી કે લાલ પડી જાય યા ચળ આવે તે માટે ચેતતા રહેવું.
શિરદર્દ: બજારમાં મળતી સામાન્ય દવાઓથી પણ સારૂં ન થાય એવું સખત શિરદર્દ તેમ જ અસાધારણ પ્રકારની ઊલટી વિશે સચેત રહેવું.
કેન્સરને લગતી હકીકતો
* અગાઉની સરખામણીમાં અત્યારે ઘણા વધારે લોકો કેન્સરમાંથી ઊગરી જાય છે કારણ કે વહેલી તકે નિદાન થાય છે અને ઈલાજમાં સુધારા થયા છે.
* કઈ કઈ બાબતો વિશે સભાન રહેવું એ જાણવાથી કેન્સરનું વહેલાસર નિદાન વધુ શક્ય બને છે.
* પોતાના શરીરને સારી રીતે જાણવું અગત્યનું છે, જેથી કોઈ પણ ફેરફાર થાય તો ધ્યાનમાં આવે અને 2 વીકથી વધારે વખત સુધી ચાલુ રહે તો ડૉક્ટરને મળી લેવાય.
* જનતામાંથી એક તૃતીયાંશ લોકોને જીવનમાં ક્યારેક પણ કેન્સરનું નિદાન થશે.
* ઘણાં ખરા – અલબત્ત, તમામ તો નહીં જ – કેન્સર 60 વર્ષથી ઉપરની વયના લોકોને થાય છે. અમુક કેન્સર, જેમ કે વૃષણનું કેન્સર 35 વર્ષથી નાની વયના પુરૂષોને થાય છે. 14વર્ષથી નાની વયની વ્યક્તિઓ પણ કેન્સરનો ભોગ બની શકે છે.
* કેન્સરના 200 થી વધારે વિવિધ પ્રકારો હોય છે અને એના અનેક વિવિધ લક્ષણો હોય છે.
સલાહ
* ધૂમ્રપાન ન કરો.
* પીણા લેવામાં સંયમ રાખો. અતિશય મદ્યપાન ના કરો.
* ફળ, શાકભાજી અને રેસાયુક્ત ખોરાક વધારે પ્રમાણમાં લો.
* પ્રવૃત્તિમય રહો. વજન બહુ વધવા ન દેશો.
* તડકામાં હો ત્યારે સુરક્ષિત રહો. લૂ ન લાગવા દેશો.
* રસાયણોહાથ ધરવામાં કાળજી લેશો. સ્વાસ્થ્ય અને સુરક્ષા સંબંધી સૂચનાઓનું અનુસરણ કરો.
* શરીરની ચકાસણી કરાવો. શરીરમાં કાંઈ પણ ફેરફાર થાય તો ધ્યાનમાં લો.
* શરીરની ચકાસણી નિયમિત કરાવતા રહો.
Bhai Suresh,
” પહેલુ સુખ તે જાતે નર્યા – નર્યું .”
માનસિક તન્દુરસ્તી માટે શુ કરવુ?
અને આધ્યાત્મિક તન્દુરસ્તી માટે શુ કરવુ?
ખાલી તનને ધ્યાનમા ન રાખશો!
તન,મન અને “ધન” પણ ….
આ ધન એટલે શુ?
રાજેન્દ્ર ત્રિવેદી.
તા.ક ચલો ગુજરાતી લેક્સિકોન-શબ્દકોશમા જોઈ શુધ્ધ ગુજરાતી ટાઇપકરી ને બોલતા પણ શિખીએ….
માનસિક તંદુરસ્તી માટે….
ડો. રાજેન્દ્ર ત્રિવેદી – મગજના ડોક્ટર – નો સમ્પર્ક સાધો !!
આધ્યાત્મિક માટે ડો પ્રજ્ઞાબેન વ્યાસનો ……
ભાવનાત્મક તંદુરસ્તી માટે ડો. ચન્દ્રવદન મિસ્ત્રીનો …
છોકરાંવની તંદુરસ્તી માટે ડો. મૌલિક શાહનો…
અને મગજ ખરાબ કરવું હોય તો –
(અ) ડોક્ટર સુરેશ જાનીનો !!!!
ભૂલ્યો….. આ હાસ્ય દરબાર નથી !!
Here in Rajendra-Suresh Samvaadmaa Che Pragnajuben…..Keep the Conversation ( old Classmates of Ahmadabad School )
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Nice ….any Post from Suresh provokes a conversation !…I will REVISIT this Post & read the Comments of OTHERS !
From Gujaratilexicon
પહેલું સુખ તે જાતે નર્યા – સૌથી મોટું સુખ તંદુરસ્તી છે.
પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ઘરે દીકરા, ત્રીજું સુખ ગુણવંતી નાર, ચોથું સુખ કોઠીએ જાર (નર્યા સાજા, કોઠીએ જાર ઘરમાં ખાસ્સું અન્ન) ચાર સુખ.
જો તન અને મન તંદુરસ્ત હશે ધન આપોઆપ મળી જશે.
When i looked i found one of the meaning of ” “ધન”
આ ધન એટલે શુ?
————————————————————
સ્થાવર જંગમ જગત;
જડ ચેતન જે કંઈ સ્થાવર જંગમ જગત છે તે તમામમાં ઈશ્વર જ છે.
ઈશ્વરનું શુદ્ધ સ્વરૂપ સત્ ચિત્ અને આનંદ છે.
તાત્પર્ય કેઃ (૧) જગતના તમામ પદાર્થોની જે અસ્તિ છે અર્થાત પરમાત્મા જ તે તે નામરૂપે વર્તી રહ્યા છે. સત્ એટલે જ આ અસ્તિરૂપ સચરાચર પરમાત્મા. (૨) વળી પરમાત્મા ચિદ્દઘન છે, એટલે કે જ્ઞાનસ્વરૂપ છે. પરમાત્માનો આ ચિદંશ જીવસ્વરૂપે તો વર્તમાન છે જ, પણ જડમાં પણ એ છે જ. (૩) પરમાત્માનો આનંદસ્વરૂપ પણ છે. આત્મા હોઈને કોઈ દિવસ દુઃખરૂપ હોઈ શકતો નથી આ રીતે જગતના સ્થાવર જંગમ પ્રત્યેક પદાર્થમાં ઈશ્વરનાં દર્શનથી આસક્તિ ટળી જાય છે અને તેથી આસક્તિ વિના આ બઘું ભોગવવાનું છે, ફળ માટે લલચાવાનું નથી.
રાજેન્દ્ર ત્રિવેદી
Please see more in this link……
http://www.gujaratilexicon.com/index.php?action=GGDictionary&sitem=નર્યું&type=1&dict=2&page=0&p=1
અર્વાચિન યુગમાં,
પહેલું સુખ તે મનથી વર્યા
બીજું સુખ તે દુનિયા ફર્યા
ત્રીજું સુખ ધનવંતી નાર
ચોથું સુખ તો ખાનગી યાર!
સ્વાસ્થ્ય વિશે જાગ્રતતા
http://www.multikulti.org.uk/gu/health/health-awareness/index.html
પહેલુ સુખ તે જાતે નર્યા ! ખરા અર્થમાં માણવું હોય તો 50ની વય બાદ વ્યક્તિએ પોતે જ પોતાના ડૉકટર બની શરીરને અનુકૂળ હોય તેવો અને તેટલો ખોરાક લેવાનો રાખવો હિતાવહ ગણાય ! મેડીકલ સારવાર અત્યંત મોંઘી બની રહી છે ત્યારે સમગ્ર પરિવારનો મેડીક્લ ઈંસ્યુરંસ લેવો પણ ખૂબ જ સમજદારી ગણાય !
આ ધન એટલે શુ? ?
ધન એટલે દરેક વ્યકિતને કુદરતી રીતે મળેલી ત્રણ શકિત.
તનોધન, મનોધન અને બુદ્ધિધન
વધારે ચોખવટ માટે મેં મારા બ્લોગમાં ” ગીતાનો મર્મ” એ મથાળા નીચે
૩ – ૧૭ – ૨૦૦૭ માં પ્રગટ કરેલો મારો લેખ વાંચવા વિનંતી કરું છું.
મારો ્બ્લોગ છે
girishdesai.wordpress.com
આપણે પાંચ પન્દર લાખની ગાડી લાવીએ તો રોજ એની સારસંભાળ રાખીએ છીએ. પરન્તુ અબજો માં પણ જેનુ મુલ્ય ન આંકી શકીએ તેવો આ માનવ દેહ મફત માં મળ્યો છે તેથી તેનુ મૂલ્ય આપણને સમજાતું નથી. આ દેહ થકી આપણે જીવન યાત્રા કરવાની છે તે સાધન જો બરાબર નહીં હોય તો સમગ્ર યાત્રા ની મઝા જ મારી જશે. પણ આ સમજ મોટાભાગે ઢળતી ઊંમરે આવે છે, ત્યારે ઘણીવાર ખૂબ મોડું થઇ ગયું હોય છે.
“પહેલું સુખ તે જાતે નર્યા”, કહેવત સાંભળીએ ત્યારે થાય કે સમજાઈ ગયું. ક્યારેક માંદા પડીએ ત્યારે થાય કે હવે તો પાકું સમજાઈ ગયું. પણ હકિકત એ છે કે કોક વિરલા ને જ ખરેખર આ સમજાય છે. સામાન્ય માણસ ને તો બહાર દેખાતો દેહ છે તેનું મૂલ્ય સમજાય તો પણ ઘણું.બહાર દેખાતા દેહ ઊપરાંત અન્ય સુક્ષમ દેહ પણ છે અને ભારતિય દર્શનમા ઘણા બધા ઋષિઓએ તેની સમજ આપી છે. પણ આપણે પસ્ચિમ થી એટલા બધા પ્રભાવિત છિએ, કે પતંજલિ આપણા માટે દૂરનો છે અને સિડ્મન્ડ્ ફ્રોઇડ કે કાર્લ જુન્ગ કે એડ્લર આપણને નજિક લાગે છે. ભારત ની એક પણ યુનિવર્સિટી મા પતંજલિ ભણાવાતો નથી.
પસ્ચિમ ના મનોવિજ્ઞાનિકો કહે કે, માનવી સાયકોસોમેટિક છે, ત્યારે આપણ ને ખબર પડે છે કે બાહ્ય દેહ ઊપરાંત આપણી પાસે મનોદેહ પણ છે.આ સિવાય અન્ય દેહની આપણ ને ખબર નથી. જે દેહથી આપણે યાત્રા કરવાની છે તેના વિષે આપણું જ્ઞાન સિમિત છે. આશા છે કે આ મુદ્દે અહીં ચર્ચા થાય તો ઘણા બધા વાચક મિત્રો ને આ અમૂલ્ય દેહ વિષે જાણકારી મળશે.
પ્રિય શરદ ભાઈ,
તમારી વાત બહુ જ ગમી. એમાં ઉમેરો કરું?
આખી જિંદગી તમે કહો છો તેમ સ્વાસ્થ્યની બિલકુલ દરકાર ન કરી. છાસઠ વર્ષે ભાન થયું , અને શરૂ કર્યું અને છતાં આશ્ચર્ય જનક પરિણામો જોઈ / અનુભવી રહ્યો છું.
માનસિક ભાન વહેલું આવ્યું હતું!! એની ટ્રેનીંગ અમદાવાદમાં અમેરિકન પધ્ધતિ હેઠળ લીધી હતી.
આ બે લેખ વાંચજો . જરૂર ગમશે-
https://gadyasoor.wordpress.com/2007/06/01/abhan_thavanu/
https://gadyasoor.wordpress.com/2007/07/01/abhan_thavanu_2/
પહેલું સુખ તે જાતે નર્યા..સ્વાનુભવ થયા પહેલા અન્યના અનુભવમાંથી શીખી શકાય તો ઉત્તમ.. ઘણી બધી વ્યથાઓમાંથી બચી શકાય.
આ પોસ્ટરનો રસાસ્વાદ –
‘ આપણી’ શબ્દ કાળા ધોળામાં છે. ‘ ;જિંદગી’ શબ્દ બધાંને ગમતા વાદળી રંગમાં. સ્વ કરતાં જિંદગી વધારે મહાન છે!
બન્ને એમના મહત્વને કારણે મોટા ફો ન્ટમાં રાખ્યા છે.
‘ સ્વાસ્થ્ય’ નો ભાવ સાવ નાનો અને ગૌણ છે – મોટે ભાગે ઉપેક્ષિત. પણ એ ‘આપણી’ અને ‘જિંદગી’ બન્નેનું મૂલ્ય વધારે છે.
માટે નાના શબ્દો , પણ ઊડીને આંખે વળગે તેવા લાલ , ચટ્ટક રંગમાં છે .
સ્વાસ્થ્ય વિશે….
સારું સ્વાસ્થ્ય મૂલ્ય વધારે છે.
આ જિંદગી કહો છો.
સ્વ કરતાં જિંદગી વધારે મહાન છે !
” પહેલુ સુખ તે જાતે નર્યા.” what is જાતે નર્યા means?
Let me correct Gujarati,
” પહેલુ સુખ તે જાતે નર્યા – નર્યું .”
માનસિક તન્દુરસ્તી માટે શુ કરવુ?
અને આધ્યાત્મિક તન્દુરસ્તી માટે શુ કરવુ?
ખાલી તનને ધ્યાનમા ન રાખશો!
તન, મન અને “ધન” પણ ….
આ ધન એટલે શુ ?
સ્થાવર જંગમ જગત;
જડ ચેતન જે કંઈ સ્થાવર જંગમ જગત છે તે
તમામમાં ઈશ્વર જ છે. ઈશ્વરનું શુદ્ધ સ્વરૂપ સત્ ચિત્ અને આનંદ છે.
તાત્પર્ય કેઃ (૧) જગતના તમામ પદાર્થોની જે અસ્તિ છે અર્થાત પરમાત્મા જ તે તે નામરૂપે વર્તી રહ્યા છે. સત્ એટલે જ આ અસ્તિરૂપ સચરાચર પરમાત્મા.
(૨) વળી પરમાત્મા ચિદ્દઘન છે, એટલે કે જ્ઞાનસ્વરૂપ છે. પરમાત્માનો આ ચિદંશ જીવસ્વરૂપે તો વર્તમાન છે જ, પણ જડમાં પણ એ છે જ.
(૩) પરમાત્માનો આનંદસ્વરૂપ પણ છે. આત્મા હોઈને કોઈ દિવસ દુઃખરૂપ હોઈ શકતો નથી આ રીતે જગતના સ્થાવર જંગમ પ્રત્યેક પદાર્થમાં ઈશ્વરનાં દર્શનથી આસક્તિ ટળી જાય છે અને તેથી આસક્તિ વિના આ બઘું ભોગવવાનું છે, ફળ માટે લલચાવાનું નથી.
‘ સ્વાસ્થ્ય’ નો ભાવ સાવ નાનો અને ગૌણ છે.
મોટે ભાગે ઉપેક્ષિત.
પણ એ ‘આપણી’ અને ‘જિંદગી’ બન્નેનું મૂલ્ય વધારે છે.
રાજેન્દ્ર ત્રિવેદી
Please see more in this link……
http://www.gujaratilexicon.com/index.php?action=GGDictionary&sitem=નર્યું&type=1&dict=2&page=0&p=1
નર્યા એટલે સાજાતાજા રહ્યા.
…………
મનની અસર તન પર પડે
તનની અસર ધન પર પડે
ધનની અસર ભુખ પર પડે
ભુખની અસર સુખ પર પડે
સુખની અસર સ્વજન પર પડે
પડે તો આ ચોતરે આવવું પડે
બધા ડૉક્ટરો ભેગા મળી હસે
સમજણ જો તમને ઓછી પડે
વૈદુ કરી તાજા નર્યા નર્યા કરે.
રમેશ પટેલ(આકાશદીપ)
શ્રી જાની સાહેબ
સૌ મિત્રોની ” સ્વાથ્ય-જિંદગી “ઉપરના વિચારો,પૂજ્ય પ્રગ્નાબેનનો સવિસ્તાર લેખ-પ્રતીભાવ વાંચ્યા.
” પહેલુ સુખ તે જાતે નર્યા.”
“માનસિક-આધ્યાત્મિક તન્દુરસ્તીમાટે શુ કરવુ ?”
“સમજણ જો તમને ઓછી પડે,
સુખની અસર સ્વજન પર પડે”
થોડુંક ઉમેરું ?? ” સુખ ” માટે !!
ભૂતકાળ ભૂલાવે, કેન્સરથી પણ ખતરનાક એવો ” સુખરોગ “નામની બિમારીથી પણ બચવું ” સ્વાસ્થ જીવન “ની ખૂબી છે.
” સુખરોગ “?
—————-
તમેય ગુજરાતી ટાઈપ કરતા થઈ ગયા, તે જોઈ બહુ આનંદ થયો.
” સુખરોગ ?”
DO NOT ABUSE BUT USE ” ” સુખ ” FOR EVERYONE .
KEEP MIND BODY AND SPIRIT LINKED TO ONE ONLY THY …..” GOD ”
FOR ME I LOVE RADHA ……
BECAUSE TO COMPLETE KANA THY NEEDS RADHA OTHERWISE THY THY REMAINS HALF.
AMARO DHAN RADHA RADHA RADHA RADHA
only one answer
મા.શ્રી ધવલભાઈ
DO NOT ABUSE BUT USE ” ” સુખ ” FOR EVERYONE .
KEEP MIND BODY AND SPIRIT LINKED TO ONE ONLY THY …..” GOD ”
FOR ME I LOVE RADHA ……
સંપૂર્ણ સહમત ભાઈ તમારી સાથે !!!
નજર સામે અનુભવો થાય
તો શું લખવું એવાઓના ” સુખ “માટે !!!
જેની અંતિમ યાત્રાની ખબર
ગામના મુખીઆને દેવી પડે
યાત્રામાં માંડ પાંચ હોય એ પણ ડોશીમાઓ
એવા સ્વજનો ના “સુખ “ને શું કહેવું ?
નજર જ મારી વાંકી ના જોવાનું જુએ શું કરવું ?
જોઈને દુઃખ થાય એ બિમારી મને શું કરવું ?
મા.શ્રી જાની સાહેબ
તમને ખાત્રી હતી કે તમારા બધાનો ” ચેપ ” (ગુજરાતી ટાઇપનો) મને નથી લાગવાનો ?
આ માટે ભાઈ રાઉલ અને શ્રી ચંદ્રવદન મીસ્ત્રીનો દેવાદાર છું.
તમને ચેપ લાગ્યો એ ગમ્યું. ડોક્ટરે ચેપ લગાડ્યો છે. એટલે એ ઊતરવાની સહેજ પણ ધાસ્તી નથી !!
હવે રોગને બરાબર પાકો કરી ઘરમાં ઘાલી દો, અને ગદ્યસુર કે હાસ્ય દરબાર પર પથરાવી દો. મન થાય તો પોતાનો બ્લોગ પણ બનાવી દો. બધી મદદ કરવા બાંહેધરી.
Pingback: સુખરોગ – પોપટભાઈ પટેલ « ગદ્યસુર
પ્રિય સુરેશભાઈ,
સ્વાસ્થ્યની વાત ચાલે એટલે આપણા સુપ્રસિદ્ધ ગુજરાતી લેખક શ્રીગુણવંત શાહના પુસ્તક ‘વિરાટને હિંડોળે’માંનો એમનો એક લેખ ‘અખંડ સૌભાગ્યવતી જઠરદેવી’ અચૂક યાદ આવે છે. એમાંનો થોડો ભાગ અહિં વાંચકો માટે મૂક્યો છે. આશા છે સૌને વાંચવો ગમશે.
અખંડ સૌભાગ્યવતી જઠરદેવી
‘રીડર્સ ડાયજેસ્ટ‘માં લેખ વાંચ્યાનું યાદ છેઃ ‘Six ways of Murdering Your Husband.’ વિગતો યાદ નથી આવતી, પરંતુ એના આધારે ભારતીય સ્ત્રી પતિને પ્રેમપુર્વક કઈ રીતે વહેલો ખતમ કરી શકે તે અંગે પાંચ સૂચનો આ રહ્યાઃ
· પતિને વારંવાર આગ્રહ કરીને વધારે ખવડાવતા રહેવું.
· તેલમાં લથપથ એવું શાક પીરસવું.
· રસોઈમાં મીઠું ઉદારતાપૂર્વક ઉમેરવાનું ન ભૂલવું અને ઘી છૂટથી પીરસવું, ફળ ન ખવાય તો ચાલે પણ ફરસાણના ડબ્બા તો હાજર રાખવા.
· પોતે ચાલવું નહીં અને પતિને ચાલવા દેવો નહીં. (પૈડા એ જ પગ)
· પાર્ટીમાં જવાની અને કૅલરીસમૃદ્ધ પંજાબી વાનગીઓ ઝાપટવાની એક પણ તક છોડવી નહીં.
માણસની અખંડ સૌભાગ્યવતી જઠરદેવીને વાચા ફૂટે તો !
જીવનભર એ બિચારી ધણીના નિર્દય અત્યાચારો સહન કરતી જ રહે છે. પચાસ વર્ષની ઉંમર થાય તોય માણસ ક્યારેક પોતાના જ શરિરથી અપરિચત રહી જાય છે. શરીર પણ પ્રેમ ઝંખે છે અને માવજતની અપેક્ષા રાખે છે. આયુર્વેદના જાણકારો પથ્ય અપથ્ય વચ્ચેના વિવેકને પથ્યાપથ્યવિવેક કહે છે. બધું બધાંને નથી ફાવતું. શરીરને પોતીકા ગમા–અણગમા હોય છે. પચાસ–સાઠની ઉંમર થાય ત્યાં સુધીમાં તો શરીર સાથેની મૈત્રી પાકી થઈ જવી જોઈએ. આવું ન બને તેમાં શરીરનું અપમાન છે. વારંવાર અપમાન થાય ત્યારે શરીરને ખોટું લાગે છે. ખોટું લાગે ત્યારે શરીર રિસાઈ પણ જાય છે. શરીરની રિબામણ અને રિસામણ વધી પડે ત્યારે એ શરીરનો માલિક કહે છેઃ‘આજે કંઈ સારું નથી લાગતું.’ શરીર લગભગ ભારતીય નારીની માફક વેઠાય તેટલું વેઠે છે. વાત વધી પડે, પીડાનો કોઈ અંત ન દેખાય ત્યારે એ ભાંગી પડે છે અને આપઘાત પણ કરે છે. જઠરદેવી પતિવ્રતા હોય છે. ધણી મરી જાય તે સાથે એ પણ બળી મરે છે. મહાસતી જઠરદેવી નો જય હો.
વાહ ! મજા આવી ગઈ.
એક જ પોસ્ટરે કેટલી બધી ચર્ચા જગાવી દીધી !
http://bhajman-vartalap.blogspot.com/2010/03/2_26.html?showComment=1269607248770_AIe9_BFUIhzoCNOkAxR7TE6ncDyHGUFO5MURR8uNIeOsUHTKB253m2shEIT2T1ZZDiiBu8gF_P7ZjIbFaFr0taIMJCXO6s2cIceW0gPaNZfXQ92Mkha9urEcTlxSJ9fQ