“ હું તો નથી જ્ઞાન વિશાળ આંબલો,
છાયા ધરંતો, ફળ મિષ્ટ આપતો;
તથાપિ ઉગ્યો ઉર ઊર્મિ છોડવો
ધરી કૂણાં પર્ણ વિવિધ કૂંપળો.
હું માનવી અલ્પ ધરી મહેચ્છા,
યત્નો કરું ભાવ સુગંધ મ્હેંકવા,
વીણી ફૂલો સૌ ઉરછોડ પાંગર્યાં,
પરોવી સૂત્રે ધરું પ્રેમમાળ આ. “
————–
મારા સાહિત્યરસને ઉત્તેજનાર, સંવર્ધન કરનાર મારા કાકા
– સુરેશ જાની
———————————————
જન્મ
અવસાન
કુટુમ્બ
- પીતા– જગજીવનદાસ; માતા– જડીબા
- પત્ની – 1) લલીતાબેન 2) શારદાબેન 3) શાન્તાબેન
- સંતાન
શારદાબેનથી –
પુત્રો- ભાલચન્દ્ર( એનેસ્થેટીક ડોક્ટર); સ્વ. જયેન્દ્ર- બોરીંગનો વ્યવસાય
શાન્તાબેનથી –
પુત્રો – દિલીપ(ફીઝીશીયન/સર્જન- યુ.કે./યુ.એસ.એ,); સ્વ.ગૌતમ – સીવીલ એન્જીનીયર); નીતિન – સેફ્ટી કન્સલ્ટીંગનો વ્યવસાય(યુ.એસ.એ,)
પુત્રી – ઈલાબેન (સામાજીક કાર્યકર)
અભ્યાસ
- ઈલેક્ટ્રીકલ સર્ટીફીકેટ કોર્સ( આર.સી. ટેક્નીકલ ઈંસ્ટીટ્યુટ)
વ્યવસાય
- ચીફ એન્જીનીયર- ભરતખંડ ટેક્સાઈલ મીલ અને ન્યુ ટેકસાઈલ મીલ
જીવનઝરમર
- અનુભવથી વ્યવસાયમાં કુશળ અને ચીવટવાળા એન્જીનીયર
- કારકીર્દી દરમ્યાન બીલીમોરાની મીલમાં નીષ્ણાત તરીકે સેવા.
- જ્યારે અમદાવાદની મીલો ઈલેક્ટ્રીસીટી કમ્પની પાસેથી વીજળી ખરીદવા તૈયાર ન હતી; ત્યારે તેમણે વીજળીથી મીલો ચલાવવાના ફાયદા વીગતવાર અભ્યાસ કરી દૈનીકોમાં છપાવ્યા હતા અને મીલ માલીકોને સમજાવ્યા હતા.
- વયવસાય ઉપરાંત ગુજરાતી સાહીત્યમાં ઉંડો રસ – ન્હાનાલાલ કવી એમને અત્યંત પ્રીય હતા.
- એમના ખાસ મીત્ર – કવીશ્રી, જયંતિલાલ આચાર્ય
- ગુજરાતીમાં તકનીકી સાહીત્ય હોવું જોઈએ, તેમ તે દ્રઢપણે માનતા અને તે માટે ઘણું કામ કર્યું હતું. અનેક પુસ્તકો છપાવવા માટેની હસ્તપ્રતો જાતે તૈયાર કરી હતી.
- પોતાની જ્ઞાતી( ઔદીચ્ય સહસ્ત્ર) ના ઈતીહાસનું વીગતે ઉંડું સંશોધન કરી ગ્રંથ છપાવ્યો હતો.
- જ્ઞાતીને હાનીકારક પ્રેતજમણ જેવા કુરીવાજોના વીરોધી અને શીક્ષણનો પ્રસાર કરવાના હીમાયતી. અન્ય આગેવાનો સાથે, આ બાબત આગળ પડતો ભાગ લઈ, જ્ઞાતીસેવાનાં અનેક કામો કર્યાં હતાં.
રચનાઓ
- કાવ્ય – વીશ્વની લોકમાતાઓ (દુનીયાની નદીઓ વીશે અનુષ્ટુપ છંદમાં મહાકાવ્ય)
- સંશોધન – ઔદીચ્ય સ્મૃતીગ્રંથ
સાભાર
- પુત્રી – ઈલા દવે, પુત્રવધુઓ – સોનલ જાની, મુદ્રા જાની
Like this:
Like Loading...
Related
વાચકોના પ્રતિભાવ