મા, જ્યારે તેં કહ્યું
“લાવ….જરા, તારા ગાલે હાથ ફેરવવા દે”
અને….તે મને સ્પર્શ કર્યો,
ને…………..જાણે……………
મારી ત્વચા પર
લીલુછમ્મ ઘાસ
કેમ ઉગી નીકળે છે.!?
મારૂં દિલ
બરફસી શિતળ
ઠંડક કેમ અનુભવે છે !?
મારૂં દિમાગ
સ્વર્ગસી સુગંધથી
કેમ મહોરી ઉઠે છે !?
મારા અંગેઅંગમાં
અવર્ણનીય – અકલ્પનીય
કળ કેમ વળે છે !?
બધો ઉચાટ શમી જાય છે.
બધો થાક ઉતરી જાય છે.
બધા દુ:ખો વિસરાય જાય છે.
પ્રશાંત નિદર આવી જાય છે.
નવું જોમ………..નવી તાજગી
નવો ઉત્સાહ…….નરી પ્રસન્નતા
રોમ-રોમમાં…….પ્રસરી જાય છે.
કદાચ એને જ…………………
ટચ થેરાપી કહે છે.
——————————
( ક્યાંક વાંચેલુ, સ્મૃતિના આધારે ) ધીરૂભાઇ વૈદ્ય – સૂરત
Like this:
Like Loading...
Related
વાચકોના પ્રતિભાવ