ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 651,772 લટાર મારી ગયા.
પરમપૂજ્ય બા/બાપુજી

Join 418 other subscribers
ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
શ્રી. હરનિશ જાનીના વિચારપ્રેરક લેખ ‘ એ તો એમ જ ચાલે.’ પરથી ઘણા વિચારો ઊભા થયા. આ જ બાબતને ‘ આવાહંક ( આક્રમક વાહન હંકારવાની કળા) ‘ લેખશ્રેણીમાં બહુ હળવાશથી, પણ ભીતરી વ્યથાના ઓથાર નીચે અભિવ્યક્ત કરી હતી.
આવું ઘણું લખાયું છે. સામ્પ્રત સમાજની લાક્ષણિક અને ઊડીને આંખે વળગે તેવી નબળાઈઓ માટે ભાગ્યે જ કોઈ પણ ભારતીય અદનો આદમી, કોઈ પણ નેતા, કોઈ પણ ધર્મ કે સમ્પ્રદાયના વડા હશે કે, જેનો જીવ બળતો ન હોય. ભલે આપણે એને હસીને આપણો અણગમો વ્યક્ત કરીએ; સવાલ હમ્મેશ એ જ ઊઠે છે કે,
આપણે આમાં શું કરી શકીએ?
પણ આ સવાલનો અર્થ આપણે હમ્મેશ નકારાત્મક જ લઈએ છીએ.
આપણે એમાં કશું કરી શકીએ તેમ નથી.
અથવા લાક્ષણિક ગુજરાતી રીતે –
‘એમાં આપણા કેટલા ટકા?’
અમેરિકામાં રહીને દસથી વધારે વર્ષ આ બધી બાબતોમાં ઘણી બધી હકારાત્મકતા જોયા અનુભવ્યા બાદ કશુંક પણ સૂચન મારા જેવા આપે; તો લોકો તેને અવગણવાના જ.
‘ એ તો ભાઈ! તમારે અમેરિકામાં રહ્યે રહ્યે બોલવાનું છે.
અમારી વ્યથાઓ તમને ક્યાંથી સમજાય? ‘
અને વાત પણ સાવ સાચી તો છે જ.
અમદાવાદ કે કોઈ પણ, નાના મોટા શહેરમાં આ જ રીત વ્યાપક છે.
રસ્તાઓની સંકડાશ, વાહનોની અવિરત વધતી સંખ્યા, સામાન્ય લોકોની વધતી જતી અપેક્ષાઓ, રાજકીય, કાયદો અને વ્યવસ્થાના પાલકો, અને ધાર્મિક, સામાજિક નેતાઓની આ બાબત અસૂયા….. આવાં અનેક કારણોને લીધે ખાસ કશું હકારાત્મક થતું નથી.
નવી સગવડો જરૂર ઊભી થઈ છે; પણ તે જરૂરિયાત કરતાં ઘણા વર્ષો પછી થઈ છે; અને ભવિષ્યની વધનારી જરૂરિયાતોને મોટા ભાગે ધ્યાનમાં રાખ્યા વગર જ આડે ધડે ઊભી કરી દેવાતી જોવા મળે છે.
અને છતાં નીચેના પ્રશ્નો ભારતમાં વસનાર પ્રત્યેક વાચક પોતાની જાતને પૂછી શકે –
———————-
આ બાબત વાચકો પોતાના વિચારો / વ્યાવહારિક સૂચનો જણાવશે તો કદાચ ઠીક ઠીક વિચાર દોહન થશે… અને કદાચ એક ડગલું / ચપટીક સુધાર થાય પણ ખરો.
વાચકોના પ્રતિભાવ