આમ તો આ કવિતા ‘કાવ્યસૂર’ પર ૩૦, નવેમ્બર-૨૦૦૯ ના રોજ પ્રકાશિત કરી હતી. પણ કળાના એક સાવ અલગ જ પાસાંને ઉજાગર કરવા એનું બહુ જ કલાત્મક રૂપ ‘હોબી વિશ્વ’ પર ૨૧, જુલાઈ- ૨૦૧૧ના રોજ તરતું મુક્યું હતું. યુ.કે.ના અનેક પ્રતિભાઓ ધરાવતા શ્રી. દિલીપ ગજ્જરે એ કવિતાને કેલિગ્રાફિક દેહ આપ્યો હતો.
સૂર ની સાધનામાં આ બહુ જ વ્હાલી રચનાના આ બન્ને દેહ વાચકોને માણવા મળે; એવો ભાવ જાગ્યો; અને આ કવિતા પુનઃ પ્રકાશિત થઈ રહી છે.
કેલિગ્રાફિક દેહ

શબ્દ દેહ
મધુર ગીત ગાવાની ઝંખના ઊઠે,
ટહૂકો રણકારતો સ્વર જો ભળે – એવું ના બને? એવુંયે બને.
નર્તનમાં ઝૂમવાના કોડ હો દિલે,
તાલ આપનારો ઢોલી જો મળે. – એવું ના બને? એવુંયે બને.
બળબળતી હોય આગ દુખતા દિલે,
શિતળ સંવેદનાનો વાયરો મળે.- એવું ના બને? એવુંયે બને.
મૂંઝવતી હોય લાખ વિપદા મને
કોયડો ઊક્લતો જાય, ગેબી પળે .- એવું ના બને? એવુંયે બને.
કાળઝાળ જંગલમાં ભટકો તમે,
હૂંફવાળી વાત કરતું જણ જો મળે. – એવું ના બને? એવુંયે બને.
વાદ ને વિવાદોના તણખા ઝરે,
દિશા એક કરનારો ધોરી જો મળે. – એવું ના બને? એવુંયે બને.
ભૂત અને ભાવિનાં વમળો ગ્રસે,
હાલમાં મહેંકવાની પળ જો મળે. – એવું ના બને? એવુંયે બને.
————————
તા. 28 નવેમ્બર, 2009 ના દિને રીવરસાઈડ, કેલિફોર્નીયા ખાતે (લોસ એન્જેલસ વિસ્તારમાં) શ્રી. રમેશ પટેલ (આકાશદીપ) ના ત્રીજા કાવ્ય સંગ્રહ ‘ત્રિપથગા ના વિમોચન પ્રસંગે એક બહેને અત્યંત મધૂર કંઠમાં રમેશભાઈની એક રચના ‘એવું ના બને’ નું પઠન કર્યું હતું; અને બીજાં બહેને વહેતા કરી દે તેવા લયમાં એ પંક્તિઓ ગાઈ સંભળાવી હતી. આજે, મારા ભાણેજ શ્રી. સમીર વ્યાસ અને તેની પત્ની ભૈરવીના સાન હોઝે ખાતેના ઘેર પાછા ફરી, બપોરની વામકુક્ષી દરમિયાન ઉપરોક્ત રચના આકસ્મિક ઊભરી આવી.
આ પસંગે નેટમિત્રો સર્વ શ્રી. ચન્દ્રકાંત મિસ્ત્રી, દિલીપ પટેલ, જયેશ પટેલ, વલ્લભ ભક્ત અને બીજા નવા મિત્રોને મળવાનો પણ અમૂલ્ય લ્હાવો મળ્યો. બીજા આવા જ સ્નેહી મિત્ર કેપ્ટન નરેન્દ્ર ફણસેના 75મા જન્મદિનની ઊજવણી પણ આ જ સમયે હોવાના કારણે તેઓ આવી શક્યા ન હતા; પણ અંતરથી બધાંની સાથે જ હતા. કેપ્ટનને જન્મદિન મુબારક.
આવો અપ્રતિમ સંજોગ પૂરો પાડવા માટે, રમેશભાઈ અને તેમના કુટુમ્બીજનોનો અને સમારંભના સંચાલકોનો અને કાર્યકરોનો આભાર માનું એટલો ઓછો છે.
રમેશભાઈનો પરિચય
રવિવાર તા. 29 ના રોજ શ્રી રમેશભાઈએ પોતાનો બ્લોગ આકાશ દીપ નેટ જગતમાં તરતો મૂક્યો છે. એની મૂલાકાત લેવા વાચકોને ઈજન છે.
આ સમારંભનો લાગણી સભર પ્રારંભિક અહેવાલ વાંચવા અહીં ‘ ક્લીક’ કરો.
Like this:
Like Loading...
Related
” કાળઝાળ જંગલમાં ભટકો તમે,
હૂંફવાળી વાત કરતું જણ જો મળે. – એવું ના બને? એવુંયે બને.
વાદ ને વિવાદોના તણખા ઝરે,
દિશા એક કરનારો ધોરી જો મળે. – એવું ના બને? એવુંયે બને.
ભૂત અને ભાવિનાં વમળો મહીં,
હાલમાં મહેંકવાની પળ જો મળે. – એવું ના બને? એવુંયે બને.
Dear Bhai Suresh,
When you see your self in others the world is yours!
I have seen it away from home overfourty years.
Since thanksgiving , we was thinking of you all.
Give my regards to all our Internet Friends!
Dhavalrajgeera – Geeta Rajendra and Trivedi Parivar
http://www.bpaindia.org
Sureshbhai…Nice to read this Post…it reminds me of that Dat on Saturday 28th NOVEMBER 2009 when I met you for the 1st time personally….along with Rameshbhai & also Dilipbhai Patel (of Kavlig)….And it was the opportunity to meet others like Anand Rao (Gunjan), Pravin Shukla, Bharatbhai Kapadia ..& Vallabh Bhakta too !
This was all POSSIBLE because of the Event of the VIMOCHAN of TRIPTHGA…a new Kavya Sangrah Book of Rameshbhai Patel ( Aakashdeep).
I have a a Post related to this Event on my Blog Chandrapukar…ALL are invited to read that Post ! http://www.chandrapukar.wordpress.com
DR. CHANDRAVADAN MISTRY
મધુર ગીત ગાવાની ઝંખના ઊઠે,
ટહૂકો રણકારતો સ્વર જો ભળે – એવું ના બને? એવુંયે બને.
I just posted my comment…but forgot to touch on that GEET we heard at the Event…It was SO NICELY sung by 2 ladies…sorry I forgot their names ….ABHINANDAN to both Ladies & the Kavi Rameshbhai !
DR. CHANDRAVADAN MISTRY
બળબળતી હોય આગ દુખતા દિલે,
શિતળ સંવેદનાનો વાયરો મળે.- એવું ના બને? એવુંયે બને.
saras panktio ..
બળબળતી હોય આગ દુખતા દિલે,
શિતળ સંવેદનાનો વાયરો મળે.- એવું ના બને? એવુંયે બને.
વાદ ને વિવાદોના તણખા ઝરે,
દિશા એક કરનારો ધોરી જો મળે. – એવું ના બને? એવુંયે બને.
Enjoyed your new creation. Keep sharing.
CHAMAN
આવું સરજાય જો મનગમતું મ્હાંયરું… એવું ના બને? એવું પણ બને. સરસ દાદા. લગે રહો…
મૂંઝવતી હોય લાખ વિપદા મને
કોયડો ઊક્લતો જાય, ગેબી પળે .- એવું ના બને? એવુંયે બને.
khub saras..
હૂંફવાળી વાત કરતું જણ જો મળે. – એવું ના બને? એવુંયે બને.
I have experienced worm feelings in winter.
Great moments for my life,to meet
Shri sureshbhai Jani
Dr Chandravadanbhai
Dr Dilipbhai
Shri vallabha bhakta
and Pravin Shukla
and hearing my geet …
અત્યંત મધૂર કંઠમાં એક રચના ‘એવું ના બને’ નું પઠન કર્યું હતું; અને બીજાં બહેને વહેતા કરી દે તેવા લયમાં એ પંક્તિઓ ગાઈ સંભળાવી હતી.
Sushri Pratimaben and sushri Pushpaben Raval
Very much thanks to all and My daughter Sweta and Son in law Chandreshkumar .
Ramesh Patel(Aakashdeep)
Evu Na Bane ? Evu y bane.
Excellent line-Wonderful idea-No Kavi has ever expolred.-You better start writing poetry.
“ભૂત અને ભાવિનાં વમળો ગ્રસે,
હાલમાં મહેંકવાની પળ જો મળે.”
સાચે જ! હાલમાં મહેંકવાની પળ જો મળે,
એવી પળ જો મળે, તો જીવન મહેકી ઊઠે!
This is marvelous! This is possible in life provided you give love & repect to others. Charity begins from home. It is very simple thing to do but ego comes in the way.
Thanks so much.
Pradeep H. Desai
Dear Sureshbhai, Congratulations! You indeed write poems as good as your stories! I am happy that you have entered into the world of poetry. Look forward to reading your future poems.
With best wishes and warmest personal regards,
Dinesh O. Shah, New York City, USA
મારી આ બ્લોગ પરની બધી રચનાઓ – મોટા ભાગની કવીતાઓ
http://kaavyasoor.wordpress.com/category/%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AB%81%E0%AA%9F%E0%AB%81%E0%AA%82%E0%AA%AC/%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6/%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE/
ભૂત અને ભાવિનાં વમળો ગ્રસે,
હાલમાં મહેંકવાની પળ જો મળે. …………………….
માનવીને પીડા તેની વૃત્તિઓનું ઊઘ્ર્વગમન કરીને તે શુદ્ધ બનાવે છે. પીડા અને ખાસ કરીને પ્રતીક્ષાની પીડા ! ઘવાયેલું હરણ જેમ ઊચામાં ઊચા કૂદકા મારીને ખૂબ દોડી શકે છે તેમ પ્રેમમાં ઘવાયેલું અને પ્રેમીની પ્રતીક્ષા કરનારું પાત્ર અદ્ભુત બળ મેળવે છે. દોસ્તોવસ્કીએ કહેલું: પ્રતીક્ષા કરવી-પ્રતીક્ષામાં પીડાવું અને એ પીડા દ્વારા પરમ ચેતના મેળવવી એ માનવીના જીવનનો એક ભાગ છે. સમગ્ર સૃષ્ટિના જે જે ધર્મોછે કે ઉપદેશો છે તેમાં ફિલોસોફી ઓફ વેઇટિંગની વાત છે. મહાભારતની જ વાત લો. જગતમાં અધર્મ વધી જશે ત્યારે ભગવાન જન્મ લઈને અધર્મનો નાશ કરશે તેવી ગેરંટીને કારણે આપણને ઈશ્વરના નવા અવતારની પ્રતીક્ષા રહે છે.
મનભાવક કવિતા. રમેશભાઈને કાવ્ય-સંગ્રહ બદલ અભિનંદન.
ગુજરાતી ભાષાના લેખકો / કવિઓ અને વિવેચકો ના અભિપ્રાયો વાંચીને ઍમ થાય છે :
આવા મિત્રોને મળવાનુ થાય – ઍવુ ના બને ?
વિખવાદી હોળીઓમાં, મનડું શેકાય ત્યારે,
રસિકોની વીરડીમાં માનવ મહોરે.
બોલો…
– એવું ના બને? એવુંયે બને
DEAR BHAI SURESH,
READ…..
READ ABOVE COMMENTS AND BE HAPPIER!
એવું ના બને? એવુંયે બને
અવલોકને ,અવલોકને,આવી રીતે પણ
શબ્દોની વાટે ,ગીતજો બને.. એવું ના બને ? એવું યે બને.
મધુર ગીત ગાવાની ઝંખના થાય ‘જાની’
રણકાતો સ્વર જો ભળે તો વાટ મળે અજાણી, એવું ના બને? એવું પણ બને….. ખુબ ખુબ અભિનન્દન
Congratulations,To captain Narerdra bhai Fanashe;on happy event of the threefourth century of travel of Life.
Satam Jivem Sharadah.
Congratulations to Sureshbhai Jani for optimistic poem “Avu Ye Bane”[In contrast to pessimistic-“pankher”]
ત્રિપથગા’ કાવ્ય સંગ્રહમાંથી શ્રીમતી પ્રતિમાબેન અને પુષ્પાબેન રાવલની
જુગલબંધીએ, સાહિત્ય રસિક શ્રોતાજનોનો મનભાવન પ્રતિસાદ ઝીલતાં, આ ભાવ છલકતી
રચના રજૂ કરી.પુષ્પાબેનના મધુર કંઠે ગીતને આપેલા લયથી,શ્રી સુરેશભાઈએ
કહ્યું તેમ સૌને વહેતા કરી દીધા.એક મંત્ર મુગ્ધ કરે તેવી ક્ષણો ઉપસ્થિત લોકોએ માણી.
મનમાં આ રવનો ગુંજાર ને ઝીલી શ્રી સુરેશભાઈ જાનીએ ‘એવું ય બને’ ની ઉત્તમ રચના
કાવ્યસૂર પર ભેટ ધરી.
મને પણ પ્રતિદિન ‘ના બને’કાવ્ય માટે સંદેશા મળ્યા,તો આવો આજે ૨૮ નવેમ્બરે ,૨૦૦૯
સૌના દિલ જીતતી રચના માણીએ.
એવું ના બને
વસંત પધારે ને ફૂલડાં ના હસે, એવું ના બને
પૂનમનો ચંદ્ર આભે ખીલે,ને સાગર હેલે ના ચઢે
એવું ના બને
મેહુલિયો ગાજે ગગને, મોરલો ટહુકા ના કરે
બોલો એવું બને? એવું ના બને
pl visit..nabhakashdeep.wordpress.com New blog req .to visit.
Ramesh Patel(Aakashdeep)
– એવું ના બને? એવુંયે બને ,નો વીચાર ગમાડનાર રચના અને તેની પર વીશ્લેષણ વાંચવું સુજ્ઞ વાચકને જરુર ગમશે —–
http://nabhakashdeep.wordpress.com/2009/12/04/44/#comment-39
સુંદર રચના !!
આદરણીય સુરેશ અંકલ,
આમ તો internet બ્લોગ જગત દ્વારા આપના સર્જન ને ઘણા સમયથી જાણું છું અને માણું છું. થોડા સમય પહેલા મેં પણ એક બ્લોગ(http://vicharjagat88.wordpress.com/) શરુ કરી ‘સાગર ને ગાગર’ માં સમાવવાનો પ્રયત્ન કર્યો છે..તો આપના આશીર્વચનો (comments)ની અપેક્ષા રાખું છું..
સાદર વંદન !!
– જગત અવાશિયા
What a beautiful bath in TRIPATHAGA on RIVERSIDE to cherish its treasure
A sweet meet with RAMESH SURESH CHANDRA was indeed a great pleasure
Thank you Rameshbhai (and FAMILY) for inviting in a memorable unique event of TRIPATHAGA book VIMOCHAN VIDHI and uniting blogger friends on THANKS-GIVING WEEKEND.
Unfortunately my GUJARATI FONTS do not work. So bear my ENGLISH.
Please read what these Three blogger friends have to say about the TRIPATHAGA VIMOCHAN event in their unique way.
http://pateldr.wordpress.com/2009/12/04/%e2%80%9c%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%bf%e0%aa%aa%e0%aa%a5%e0%aa%97%e0%aa%be%e2%80%9d-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%ae%e0%ab%8b%e0%aa%9a%e0%aa%a8/
રસ્તો અચલ છે ‘ને હું ચાલ્યા કરુ છુ
સતત ‘ને સતત.
જીવનરાહ પર શાતા વળતી નથી
હાંસલ કર્યાના સંતોષની,
અજંપો કંઇક
સતત ‘ને સતત.
કોને પુછુ કેટલે આવ્યા ?
બધા આ જ પ્રશ્ન લઇને ફરે છે,
સતત ‘ને સતત.
એક મિત્રએ મજાક કરી,
તું ય ચાલે છે ‘ને રસ્તો પણ ચાલે છે.
શું જીવન એક્સરસાઇઝ છે વોકીંગ મશીન પરની ?
હું ય ચાલુ છુ ‘ને રસ્તો પણ ચાલે છે,
જ્યાં હતો ત્યાં જ છુ,
હું ય ઉભો છુ ‘ને રસ્તો ય ઉભો છે
.
સુરેશભાઇ, એવું બને ?
કૃપયા જવાબ ના આપતા મજાકીયા મિત્ર જેવો
હા, એવું ય બને.
– પી. યુ. ઠક્કર
મનમાં ધોળાતા વિચારોએ શબ્દનું સ્વરૂપ લીધુ.
મારા બ્લોગ પર ઘણાં સમયથી કંઇ પોસ્ટ થયુ ન્હોતું. ‘સતત અને સતત’ ના ટાઇટલથી આ કવિતા મૂકી શકાશે. સુરેશભાઇનો આભાર.
શ્રી સુરેશભાઈ,
કુશળ હશો.
મને તો તમે અને રમેશભાઈ બંને જાદુગર જ લાગ્યા! ‘એવું ના બને-એવુંય બને’ ને અંગ્રેજીમાં Burden Line (Refrain) કહેવાય, પણ તમે લોકોએ તો એ શબ્દોને એવા હળવા બનાવીને રમાડી નાખ્યા કે શ્રોતા/વાંચકો/વિવેચકો પણ એમના ગુંજનમાં ઘેલા બનીને મનોમન નાચી ઊઠે! પંક્તિએ પંક્તિએ ઉદ્દીપનો બદલાતાં રહે અને ધ્રૂવ પંક્તિનો એ જ પ્રશ્ન અને તેનો પ્રત્યુત્તર યથાવત્ રહીને પુનરાવર્તિત થતો રહે અને છતાંય જરાયે ના કઠે. તમારી રચનાને પ્રતિકાવ્ય નહિ, પણ અનુકાવ્ય કહેવાય; પ્રતિકાવ્યો તો શોધકને અનેક મળે, પણ અનુકાવ્યો તો જવલ્લે જ મળે.
ધ્રૂવ પંક્તિની જાદુઈ અસર મારી જેમ અન્યોએ પણ એવી મહેસુસ કરી હશે કે તેમની સામે એક એવું શબ્દચિત્ર આકાર પામે કે જ્યાં ચકળવકળ અને કુતુહલપૂર્ણ આંખે કોઈ માસુમ બાળક વડીલજનને પૂછે ‘એવું ના બને?’ અને પેલા પરિપક્વ વડીલજન ગંભીર મુખમુદ્રાએ જાણે કે જવાબ વાળતા હોય, ‘હા, એવું પણ બને!’. સામાન્ય રીતે ‘કાર્યકારણ’નો સિદ્ધાંત શરતોને આધીન હોય છે, જ્યારે ‘જોગસંજોગ’ તો ભાગ્યાધીન હોય છે અને એવી ઈચ્છાપૂર્તિ ટાણે ગેબી મદદો પ્રાપ્ત થયાના નાનામોટા કરિશ્માઓ ઘણાના જીવનમાં બનતા હોય છે.
કવિ વિવિધતાપૂર્ણ અપેક્ષિત પ્રસંગો અને પરિસ્થિતિઓ દર્શાવતા જાય છે અને તેમનાં સમાધાનો માટેની શક્યતાઓ પણ સુચવતા જાય છે, એ સઘળામાં કવિની લયતંતુની જાળવણી માટેની દરકાર અને તેની માવજત અનન્ય રીતે ઝળકી ઊઠે છે. કાવ્યની અભિવ્યક્તિમાં એક ખૂબી એવી પણ છુપાએલી છે કે કાવ્યભોક્તાને ખબર પણ ન પડે અને અજાણતાં જ તેના માનસમાં જીવન પરત્વેનો હકારાત્મક અભિગમ કેળવાતો અને વિકસતો જાય.
કાવ્યનાં બધાં જ કંડિકાયુગ્મ સોનેમઢ્યા જેવાં છે એટલે તેમની પરસ્પરની સરખામણી કોઈકને અન્યાય કરી બેસે. આમ છતાંય મને મારા એક સમભાવી આકર્ષણના કારણે આ કંડિકાઓ વિશેષ ગમી છે :
“નર્તનમાં ઝૂમવાના કોડ હો દિલે,
તાલ આપનારો ઢોલી જો મળે. – એવું ના બને? એવુંયે બને.”
અતિવિસ્તારનું જોખમ ઊઠાવીને પણ મારા સમભાવી આકર્ષણને સમજાવી દઉં, મારા જ આ હાયકુ વડે :
”ઢોલ ઢબુકે,
નાચનિષેધ, કન્યા
ભીડે પલાંઠી!”
વિદ્વાન કોમેન્ટ વાંચકોએ જાતે જ જાણી લેવું પડશે છે કે ‘તે કન્યાને નાચનિષેધ કેમ છે અને તે કેમ પલાંઠી ભીડી દે છે?’ અહીં તેની ચર્ચાને અવકાશ નથી.
ગુણાનુરાગી,
વલીભાઈ મુસા
.
વલીભાઈ મુસા,
સુંદર રચના !
“નર્તનમાં ઝૂમવાના કોડ હો દિલે,
તાલ આપનારો ઢોલી જો મળે.
એવું ના બને? એવુંયે બને”
Rajendra Trivedi.M.D.
http://www.bpaindia.org
સહજ રીતે ,સૌ કોઈ એવા વહ્યા
કે વગર વરસાદે ભીંજાતા રહ્યા
ઢોલના થાપ વલીભાઈએ દીધા
ને ‘દીપ પૂનમ થઈ ખીલી ઊઠ્યા
સુરેશભાઈ એવું બને?
રમેશ પટેલ(આકાશદીપ)
વલીભાઈ જેવા ઊચ્ચ કક્ષાના વિચારક અને લેખક આપણા બેની કવિતા માણે , એ આપણા બન્નેનું પરમ સૌભાગ્ય છે.
મુસા એટલે મોઝીસ – ટેન કમાન્ડમેન્ટ્સ ના દ્રષ્ટા
શ્રીશ્રી સુરેશભાઈ અને રમેશભાઈ; કે પછી, શ્રીશ્રી રમેશભાઈ અને સુરેશભાઈ (!)
દ્વિધા છે જગજાહેર કે વૃક્ષ પહેલું કે બીજ પહેલું? બસ એવું જ કંઈક છે, મારા પ્રારંભિક સંબોધનમાં! મારે મન (આપ બંનેની સત્તાવાર ઉઁમરની જાણ નથી અને એ ગૌણ છે) આપ બંને મહાનુભાવ છો, સાહિત્યક્ષેત્રે. સાહિયમાં મારું લેખિત કોઈ જ પ્રદાન નથી અને વિનુ માંકડની જેમ ઝળકવા માટેનો સમય હાથમાંથી સરકી ગયો. માંકડને વિશ્વયુદ્ધોના સમયગાળામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો શુન્યાવકાશ નડ્યો અને મેં ધંધાવ્યવસાયના વિકાસમાં ગળાડૂબ રહ્યો હોવાના કારણે દસકાઓ સુધી સાહિત્યનો સથવારો છોડ્યો, પણ તેના પરત્વેનો પ્રેમ અકબંધ રાખીને!
મૂળ મુદ્દે આવું તો પરમ સૌભાગ્ય કોનાં એ તો આપણ ત્રણેયને સારી રીતે જાણનાર કોઈ ત્રાહિત જ નક્કી કરી શકે. વળી ઘણી બાબતો એવી હોય છે કે અનિર્ણીત રહેતી હોય છે, વાંચો આ મારું હાઈકુ :
આંગળી ઝાલી
શિશુજરઠ ચાલે,
કોણ સહારો ?
જીવનમાં ગંભીરતા અને હળવાશને સાથે લઈને સાત દાયકા પૂરા કરવાની સમીપે છું, ઈશ્વરેચ્છા હશે તો! સમયાનુસાર રમુજ કરી લેવી એ મારી આદત કે વ્યસન છે!
અંતે એટલું જ કહીશ કે ચણાનો છોડ હોય, ઝાડ નહિ; અને તમે લોકોએ ‘પરમ સૌભાગ્ય’ શબ્દોથી 80 કિલોથી વધુ વજન ધરાવનાર માણસને (મને) તેને ઝાડ સમજીને ઉપર ચઢાવી દીધો! એ ચણાનો છોડ મારું વજન ખમશે ખરો!
શામળના નામ વિષેના છપ્પાની જેમ ‘ભૂપ (નામધારી) ભીખંતો દીઠો’. મુસા (મોઝીઝ) પ્રભુના પયગંબર હતા, મારી વિસાત શી?
આવી બધી ચર્ચાઓમાં મને તો મજા પડે છે, સામે આવું કંઈક વળતું આવે તો ઓર મજા પડે! યુવાનવયે વોલીબોલનો પ્રખર ખેલાડી હતો એટલે કહું છું કે વળતો બોલ જ ન આવે તો રમત કેવી રીતે જામે!
ધન્યવાદ.
ચણાનો છોડ હોય, ઝાડ નહિ!
But Tree may break,
But Bush will not.. It is flexible.
So,I will say..” ચણાનો છોડ હોય, ઝાડ નહિ !” and that
will keep growing Grams and hungry surfers will
enjoy with Grams.
એવું ના બને, એવું યે બને”
બસ, આટલા જ શબ્દોની શરૂઆતથી,
શું બન્તું એ જ મારે કહેવું……
પહેલ હતી, રમેશભાઈની,
પોસ્ટ કાવ્ય-રચના હતી સુરેશભાઈની,
અનેક પ્રતિભાવો બાદ,
પધાર્યા અહી, વલિભાઈ…..
નર્તન..અને વલિ-ઢોલ નાદે, આવે રમેશબાઈ,
વગર વરસાદે ભીંજવી, સુરેશને એ લાવે,
મુસાને “મોસીસ” કહેતા, વલિભાઈ આવે,
“નથી ઝાડ, છું ચણાનો છોડ હું “કહે વલિ,
ત્યારે, વલિ શબ્દોને ચુંટી…..
અંતે, ચંદ્ર કહે……
આ તો વોલીબોલની રમત રમાય છે,
બોલ દીશાઓ બદલે, ‘ને રમત રમાય છે
અને ખુશી છે ચંદ્ર હૈયે…
એવું ના બને, એવું યે બને !
ચંદ્રવદન.
I am really happy to note the visit/comments of Valibhai…& the exchange of “thoughts”.
Chandravadan !
સુરેશભાઈ,
આ એકદમ શું થઈ ગયું કે લાંબા વિરામે બધા ચર્ચામાં કૂદી પડ્યા! મને લાગે છે કે લોકો ‘એવું ના બને, એવુંયે બને!’ શબ્દોને તકિયા કલામ તરીકે વાપરતા તો નહિ થઈ જાય. એમ થાય તો સારું, લોકોનો આત્મવિશ્વાસ વધશે; અને એના જશનાં પોટલાં તમારે એકલાએ જ બાંધવાં પડશે, અમે કોઈ મદદે નહિ આવીએ! પણ હા, રમેશ્ભાઈને જરૂર બોલાવજો!
આ ચોરાને કાયમ રાખી, ઘરડાં વાતે વળગે
આનંદી ચહેરે ચિત ચોંટે, ગપસપ, જ્ઞાને મહેંકે.
એવું ના બને? એવું યે બને !!
ચોરાને ચોટીને રહીને ચારે દિશે ફરીએ,
ઇન્ટર નેટમાના બ્ન્ધાતા નભમા નાદો કરીએ.
માઉસ ને કીબોર્ડ ને બે આગળીથી ગુજરાતીને લખીએ,
ચાલો સૌ ચૌદશી ને છોડી પુર્ણીમાને વરીએ.
હુ તો છુ ત્યાનો ત્યા …. રાજેન્દ્ર ત્રિવેદી !
એવું ના બને? એવુંયે બને !
રાજેન્દ્ર ત્રિવેદી
જીવ અમારો તકનિકી ,રચ્યાપચ્યા રહી વહાવી ગુર્જરપટે વીજ ધાર
નિવૃતિમાં પ્રવૃતિ મળી,કવિલોકના દિલીપભાઇએ પોંખ્યા લઈ હાર
સુરેશભાઈ એ કહ્યા કવિ, ચંદ્રવદનભાઈ ને હિતેશભાઈનો મળ્યો પ્યાર
પાનો ચડાવ્યો વલીભાઈએ ને ફૂલકી થઈ ફરે અમારી જમાત
ને રાજેન્દ્રભાઈ હોંશે બોલ ભાઇ ખરું ખરું બને આવો જમાડીએ જાન
રમેશ પટેલ(આકાશદીપ)
To day I have read a post of Kalapi on Read Gujarati blog by shri Mrugeshbhai Shah.
something touching our heart
‘અક્કલ કહે છે છોડવા, હૈયું કહે છે એ ના બને.’
શોભનાના પ્રણયની ઝંખના ન થઈ હોત તો કલાપીમાં કવિતા પ્રગટત નહીં એમ માનનારો વર્ગ પણ આપણે ત્યાં છે. ‘કલાપીથી શોભના કે શોભનાથી કલાપી ?’ રમાબાથી એ વાત છાની નહોતી. ઠાકોર સાહેબ પોતાની દાસી મોંઘી સાથે લગ્ન કરે એ વિચાર જ એમનાથી સહી શકાય તેમ નહોતો અને એમની સંમતિ વગર લગ્ન તો શક્ય જ નહોતા. રમાબાને સમજાવવાના કલાપીના પ્રયાસ સફળ ન થયા. લગ્ન થાય તો પણ પોતાના હૃદયમાં રમાનું સ્થાન જે હતું તે જ રહેવાનું હતું.
તુંને ચાહું, ન બન્યું કદી એ.
તેને ન ચાહું, ન બને કદી એ.
ચાહું છું તો ચાહીશ બેયને હું,
ચાહું નહિ તો નવ કોઈને હું.
નીતિભાવના, સમાજ, રાજા તરીકેનું કર્તવ્ય અને ન્યાય વગેરે કલાપીને શોભનાથી દૂર રહેવાનો અનુરોધ કરવા લાગ્યા. બીજી બાજુ શોભનાનો પ્રેમ, સૌંદર્ય અને આકર્ષણ રોજરોજ વધતા જ ગયા.
‘પ્રણય ઘસડે તોડી દેવાં અહો સહુ પિંજરા !
ફરજ ઘસડે કેદી થાવા અને મરવા દુ:ખે !’
‘અક્કલ કહે છે છોડવા, હૈયું કહે છે એ ના બને.’
Thanks to Read Gujarati
‘અક્કલ કહે છે છોડવા, હૈયું કહે છે એ ના બને.’
વલી ભાઈની કોમે ન્ટ નો જવાબ
નાચનિષેધ, કન્યા
—————–
સામાજિક આચાર સંહિતા/ બંધનો ?
————————————————–
અને એમનો ઈમેલ જવાબ ..
આપનું સામાન્ય સંજોગોમાંનું અનુમાન સાચું છે. અહીં વિશિષ્ટ સંજોગ છે, અર્થાત્ હાઈકુ નાયિકા સ્વયં લગ્નમંડપે વધૂ તરીકે છે. અન્યોના લગ્ન પ્રસંગે મુક્ત રીતે નાચી શકતી આ કન્યા પોતાના જ પ્રસંગમાં નાચી શકતી નથી, પ્રોટોકોલ નડે છે! ઢબુકતો ઢોલ તો નાચવા પ્રેરે છે, પણ સંયમ જાળવવા પોતાની પલાંઠીને ભીડી દે છે, રખેને નાચી ન પડે!
વાહ, સુરેશ્ભાઈ, વાહ!
તમારું કામકાજ જેટ વિમાનની ઝડપે ચાલે છે! ઇતિહાસમાઁ ચાંચની અણી માત્ર જ ડૂબે, પણ પેલા નેપોલિયન ભાઈ કોઈ આસાન જીત પ્રસંગે કંઈક આવા મતલબનું બોલ્યા હતા I saw it, went there and conquered it. મેં હમણાં જ મેઈલ કરી છે અને સામે આવીને વચ્ચેથી જ તફડાવી લીધી લાગે છે! નવોદિતો અને ઉદય પામી ચુકેલા કવિમિત્રો કૂદી પડો આવી અને અન્ય બ્લોગ ઉપરની અન્ય રચનાઓમાં પોતની કોમેન્ટ્સ મૂકવા, પણ પ્રોટોકોલ જાળવીને હોં કે! નહિ તો પછી, પંચમ ભાઈને કોઈક કહી દેશે, હાઆઆ!
llસુંદર રચના !!
આદરણીય સુરેશભાઈ
આમ તો internet બ્લોગ જગત દ્વારા આપના સર્જન ને ઘણા સમયથી જાણું છું અને માણું છું. કવિતા વિષે લખવું માર્રી ક્ષમતા બાહર ની વાત છે છતાં જે સમજી તે લખું છું
ખુબ જ સરસ .
.એવું ના બને? એવુંયે બને……..અહી ..બે વાત ધ્યાન ખેચે છે ..એક તો નકારમાંથી હકાર તરફ વળવું ..જે સૂચવે છે જીવન નો હકારાત્મક અભિગમ
અને કોઈ નો સાથ મળે તો માનવ મહોરે….જિંદગીની વાસ્તવિકતા .
મધુર ગીત ગાવાની ઝંખના ઊઠે,
ટહૂકો રણકારતો સ્વર જો ભળે –
નર્તનમાં ઝૂમવાના કોડ હો દિલે,
તાલ આપનારો ઢોલી જો મળે. –
અને અંત માં …..
ભૂત અને ભાવિનાં વમળો ગ્રસે,
હાલમાં મહેંકવાની પળ જો મળે…..જિંદગી ને જોવાનું વલણ …….
૮૪લાખ ફેરા ફર્યા પછી આ માનવ જન્મ મળ્યો તો દરેક ક્ષણ ને માણો અને મ્હેકો ..
…..
કુછ ભી હો શકતા હૈ! અનિશ્ચિતતા ચોક્કસ નિશ્ચિત છે!ઓચિંતાનું યકાયક કઈં પણ બની શકે! એટલે ખોરવાયેલી ગાડીગમે ત્યારે લાઇન પર/પાટે ચડી શકે,કર્મ અને ક્રમમાં હોય તે બને જ.ઘડ બેસે તેવી તર્કની સહજ વાત છે.
–લા’ કાન્ત.
(3) એક ક્ષણનો ઝબકાર …..ને …સોયનાં નાકામાં દોરો પસાર…
કર્મને જડ પુદગલ પરમાણુયુક્ત કહેવાય છે! પણ કર્મ છે તો ગતિ છે।
જીવન અસ્તિત્વ છે! હકીકતે ….કર્મ/પર્યાય અને ‘ધ્રુવ/સત’ એકજ ,ભાવ નામના સિક્કાની બે બાજુઓની છાપ માત્ર છે। બેઉ એકબીજાને ટેકે/આધારેજ ટકેલા છે।બેઉનું મહત્વ એકસરખુંજ છે.જેટલો કોઈ એક “ભાવ” શુદ્ધ એટલી એની પરિણતિ શુદ્ધ.આ દ્વંદ્વભાવ જ અસ્તિત્વનું મૂળ છે! સમગ્ર અખિલાઇનું “એકત્વ” પ્રમાણિત થઈ સ્વયં ” સ્વ “માં સમજ રૂપે સ્થિરભાવ પામી વિરામે તેજ ક્ષણ સાક્ષાત્કાર / મોક્ષ સમજાવાની ક્ષણ છે….એવો કો’ક જ્ઞાનીનો સાર છે! જેની એ ક્ષણ
સૌથી વધુ લાંબી…અનંત તે “મુકત “આત્મા….પરમાત્મા…..ઈશ્વર તરીકે જેને ઓળખવામાં આવે છે તે તત્વ-ભાવ।
અર્થ તો કાઢવાની વાત છે,મર્મ તો સમજવાની વાત છે।
અર્થ કરીને બોલો , મર્મ સમજીને ચુપ રહેવાની વાત છે।
અર્થનો અનર્થ પણ થાય,મર્મ સમજી સ્મિતવાની વાતછે,
અર્થને સહી પ્રમાણીએ તો,મર્મ સમજી પામવાની વાત છે।
મૂળ દેખાતો લોચન મનનો ઝગડો, સમજી જવાનીવાત છે,
બુદ્ધિની દલીલો હૈયાના ભાવો વિષે , વિચારવાની વાત છે।
વધુ ઊંડા ઉતરી શકાય,તો,સ્થૂળ-સૂક્ષ્મની પારની વાત છે.
આ તો ભાઈ,ખુલ્લા મન,માન્યતાને પ્રમાણવાની વાત છે.***
લા’ કાન્ત ,”કઇંક”
Pingback: શેરડીનો સાંઠો – એક અવલોકન « ગદ્યસુર
Pingback: અમદાવાદ સભા નં. ૨નું કેટલુંક – | NET-ગુર્જરી
બધા થોડી ધીરજ રાખો, જરૂર તમે ઇચ્છો છો એ બનસે.
સરસ! 🙂
Pingback: ( 266 ) શું મારા પપ્પાના આત્માને શાંતિ નહીં મળે? ( વાર્તા ) — લેખિકા જ્યોતિબેન ઉનડકટ | વિનોદ વિહાર
એવું જ બને અને આનંદ મળે