૨૦૦૦ પહેલાં આવો પોતીકો બ્લોગ હશે, એવો સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો. નિવૃત્ત થયા પછી ‘અમદાવાદના મારા ફ્લેટની નજીક આવેલા શરદ મહેતા પાર્ટી પ્લોટની બાજુના મ્યુનિ. બગીચામાં સમવયસ્કો સાથે બાંકડા પર બેસીને ગપસપ કરીશ.’ – એવો ધૂંધળો ખ્યાલ હતો.
પણ નિયતિનો કાંઈક અલગ જ પ્લાન હતો!’
૧૭ વર્ષ વીતી ગયાં અને જીવન એ મૂળ ધારણા કરતાં અનેક ગણું સભર બની ગયું. વતન ઝૂરાપાના રોદણાના સ્થાને ‘ કેટલું બધું કરવું છે, પણ સમય ઓછો પડે છે.’– એ માહોલનો સુભગ હાલ છે !
આવી મારી એકલાની નિયતિ નથી. ઘણા બધા ૬૦+ વયસ્કો એ ‘હાલ’માં હાલ મશગૂલ બનીને મ્હાલે છે.
એનો એક સરસ ચિતાર નેટ મિત્ર શ્રી . વિજય શાહના સંકલનથી બનાવેલ ઈ-બુકમાં છે. આ રહી એ …

આ મુખ પૃષ્ઠ પર ક્લિક કરી એ ઈ-બુક માણો
Like this:
Like Loading...
Related
બહુ લાંબી વાર્તા છે,વાંચતાં વાંચતાં પણ થાકી જવાય… થોડા પ્રકરણૉ વાંચ્યાં…હજી બધા પ્રકરણો વાંચવાના બાકી….
________________________________
હા મનસુખભાઈ , નિવૃતિનો પણ થાક લાગતો હોય છે. અંગો આરામ વહેલા માગે છે.
Reblogged this on વિનોદ વિહાર and commented:
સીનીયરો માટે ઉપયોગી ઈ-બુક ” નિવૃત્ત થયા પછી ”..
નિવૃત થયા એટલે કમાવા માટેની રોજ બ રોજની પ્રવૃતિઓ અને વૃત્તિઓ લગભગ નહીવત થઇ જાય છે.મન ગમતી પ્રવૃત્તિમાં મન પરોવી ઘણું ઉપયોગી કામ આ સમયે થઇ શકે છે.એ કરવા માટે સમયની મૂડી હાથવગી હોય છે.
નેટ જગતમાં જાણીતા સાહિત્ય મિત્ર શ્રી. વિજય શાહના સંકલનથી બનાવેલ ૬૦+ના નિવૃત વયસ્કોએ ખાસ વાંચવા જેવી ઈ-બુક
” નિવૃત્ત થયા પછી ”માં સીનીયરો માટે ઉપયોગી વાચન સામગ્રી બનશે.(રી-બ્લોગ માટે આભાર ..શ્રી સુરેશ જાની )
વિનોદ પટેલ