ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 651,772 લટાર મારી ગયા.
પરમપૂજ્ય બા/બાપુજી

Join 418 other subscribers
ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
મારું એક સામાન્ય સૂત્ર છે: ગમે તેવા ટ્રાફિકમાં રસ્તાની પેલી બાજુ પહોંચવા જગ્યા મળી જ જાય છે. આ સૂત્રમાં જાતઅનુભવ છે અને અન્ય લોકોને રસ્તો પાર કરતા જોવાનો અનુભવ પણ છે. જીવનમાં ઊભા થયેલા પડકારોના સમયમાં બીજી પણ એક વાત મારા મનમાં આવ્યા કરે કે ભવિષ્યમાં કોઈક સાંજ એવી આવશે જ્યારે હું મારા ઘરના હીંચકા પર નિરાંતે બેસીને વિચારતો હોઈશ કે જીવનમાં આવા મુશ્કેલ દિવસો પણ આવ્યા હતા. મૂળ વાત ગમે તેવી તકલીફને ધીરજપૂર્વક પાર કરી જવાની છે. કટોકટીની વચ્ચે હોઈએ ત્યારે દિશા સૂઝે નહીં, પરંતુ આકરા તાપમાં ખુલ્લા પગે ડામરની સડક પર ચાલવા જેવી પરિસ્થિતિમાં જ ક્યાંકથી છાંયડો મળી જાય છે. એક તિબેટી કહેવત છે કે સૂર્ય પ્રકાશિત હોય તો કોઈ પર્વત ઊંચો હોતો નથી, કોઈ કામ મુશ્કેલ હોતું નથી.
– વીનેશ અંતાણી
અનુભવની એરણ પર ઘડાયેલો આ ચિંતન લેખ બહુ જ ગમ્યો .
વાચકોના પ્રતિભાવ