હરનિશ જાની એ શ્રધ્ધાનો વિષય નથી, હાસ્યનો વિષય છે, એટલે એમને શ્રધ્ધાંજલિ નહી.., હાસ્યાંજલિ શોભે! એમને ગુમાવ્યાનું દુ:ખ જરૂર થયું છે.., કારણ એક હાસ્યકાર ગુમાવ્યો છે.., એ કહેતા “ Laughing is a serious matter!” અમે બંને એક જ ક્ષેત્રમાં હતા, એટલે મને એમને ઓળખવાની તક વધારે મળેલ. વર્ષો પહેલાં કિશોરભાઇના ગુર્જરીના પહેલા અંકથી જ પરિચય થયેલ. ગુર્જરીમાં એમનો હાસ્ય લેખ વાંચતાં વાંચતાં જ નક્કી કરી લીધેલ, કે આ માણસ મળવા જેવો છે, અને એ પર ચક્રો ગતિમાન કરી દીધાં! પછી તો એમનો એક પણ લેખ વાંચવાનો બાકી નહીં રાખેલ! ફોન, પત્ર દ્વારા મળવાનું થયું, ને અવાર નવાર રૂબરું પણ મળવાનું થયું. સામાન્ય રીતે એક બાજુ જાણીતી વ્યક્તિ હોય, અને બીજી બાજુ મારા જેવી સામાન્ય વ્યક્તિ હોય તો કેમેસ્ટ્રી જામે નહીં.., તમે ગમે તેટલાં ફાંફાં મારો પણ દાળ ગળે નહીં. અમારી બાબતમાં ઉલટું થયું! એમને જાણતા પહેલાં એ મને માણતા થઇ ગયા! ક્યાંય પણ એમનો કાર્યક્રમ હોય, ત્યાં મને પણ રેકમન્ડ કરતા! હ્યુસ્ટન, યુકે, ન્યુ જર્સી ઘણી જગ્યાએ અમારા કાર્યક્રમો સાથે થયા, એક બાજુ હરનિશ જાનીનો સ્ટેન્ડઅપ કોમેડી શો હોય તો બીજી બાજુ મહેન્દ્ર શાહનો સ્ટેન્ડઅપ કાર્ટુન શો હોય.., બસ ફરક ફક્ત એટલો જ કે હરનિશભાઇ ઉભા ઉભા સ્ટેન્ડઅપ કોમેડી કરતા, ને લોકો બેઠા બેઠા માણતા. મહેન્દ્ર શાહની બાબતમાં લોકો ઉભા ઉભા એમનાં કાર્ટુન્સ માણતા ને મહેન્દ્ર શાહ એક ખૂણામાં ખુરસી પર બેસી માણવાવાળાને નીરખતા! જો કે લોકોને આ કેમેસ્ટ્રી માફક આવી ગયેલ, લોકોને હાસ્ય માણવાના ઓપ્સન્સ મળતા.., લોકો એક ખૂણે ઉભા ઉભા કાર્ટુન્સ જોઇને કંટાળતા તો આખું ટોળું બીજા ખૂણે હરનિશભાઇને સાંભળવા જતું રહેતું! હરનિશભાઇને કહેતો.., “ માફ કરજો, પણ હમેશાં હું “ હરનિશ ” લખવામાં કન્ફ્યુઝ થાઉં છું.., “ ન” ને હ્રસ્વઇ આવે કે દીર્ઘઇ? એ કહેતા, “ ગુજરાતીમાં લખો, તો હ્રસ્વઇ દીર્ઘઇ કંઇ ફરક નથી પડતો, પણ અંગ્રેજીમાં લખો તો એપોસ્ટ્રોપી “ S” કરવાનો!હરનિશભાઇ મારાં કાર્ટુન્સ પ્રદર્શનના આગ્રહી જ નહીં પ્રોત્સાહક પણ હતા, અને મિત્રોને મારી ઓળખાણ આપી ખાસ કહેતા.., ક્યાંક સાહિત્ય, લીટરરી કે ચાલો ગુજરાતના મેળાવડામાં હજ્જારો સાહિત્યકારો, કવિઓ, લેખકો જોવા મળશે પણ કાર્ટુનીસ્ટ તો એક જ જોવા મળશે!”
હંસા બહેન, તમે અને કટુંબ એકલા જ નહીં.., આપણે બધા હરનિશભાઇને મીસ કરશું! એમને યાદ કરીએ ત્યારે એમના હાસ્ય લેખો , અને કોમેડી યાદ આવે જ ને? અને એ યાદ આવે ત્યારે હોઠો પર હાસ્ય આવે , તો પછી એમને “હાસ્યાંજલી” કેમ નહીં?
આ સાથે અવારનવાર પ્રસંગોપાત્ત એમના પર બનાવેલ કાર્ટુન્સ. એક પ્રસંગ તો ખાસ યાદ રહી જાય એવો, વીપુલભાઇએ એમના ઓપીનીયનના દસમી એનીવર્સરીના કાર્યક્રમમાં અમને લંડન આમંત્રેલ અને દુનિયાની નાનામાં નાની ગાડીમાં કીર્તીદા જોષી, ચંદ્રિકા જોષી નણંદ ભોજાઇ હોટલ પરથી હરનિશ કપલને પીકઅપ કરી ચાર જણ અને આઠ બેગો સાથે લંડન સફરે ગયેલ, મેં એ પ્રસંગ ઘરે આવતાં જ કાર્ટુનમાં ઢાળેલ!
-મહેન્દ્ર શાહ.




હરનિશભાઈના કુટુંબીજનો ( ફોટો સૌજન્ય – ડો. રાજેન્દ્ર ત્રિવેદી )

Like this:
Like Loading...
Related
બધા હાસ્ય કલાકારોને આ દુનિયા નાની પડી કે દુનિયા ને તેમનુ હાસ્ય ના સમજાયું કારણ ગમે તે રહ્યું પણ તેઓએ સ્વર્ગને પોતાનોહાસ્ય દરબારમા બનાવી લીધો.
હૃદયસ્થ હરનીશભાઈને હાસ્યાંજલી…
બહુ સરસ હસ્યંજલી છે.
Sent from Yahoo Mail on Android
હરનીશભાઈને હાસ્યાંજલી
સરસ હસ્યંજલી હરનીશભાઈને
We will also miss him.
Sent from my Windows 10 phone
________________________________