ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 651,772 લટાર મારી ગયા.
પરમપૂજ્ય બા/બાપુજી

Join 418 other subscribers
ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
સરકી જાયે પલ
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ
નહિ વર્ષામાં પૂર નહિ ગ્રીષ્મ મહીં શોષાય
કોઈના સંગ નિ:સંગની એને કશી અસર નવ થાય
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ
છલક છલક છલકાય છતાં યે કદી શકી નવ ઢળી
વૃન્દાવનમાં વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી
જાય તેડી પોઢેલાંને યે નવે લોક, નવ સ્થલ
-મણિલાલ દેસાઈ
અહીં સાંભળો – માવજીભાઈ મુંબઈવાળાએ એ બહુ પ્રેમથી એ પળને સાચવી રાખી છે !
આ ક્ષણ, આ પળ – જે કાંઈ પણ થાય છે તે આ પળમાં જ થઈ શકે છે. એ વિતી જાય પછી સુખદ કે દુઃખદ સ્મૃતિ જ બાકી રહી જાય છે. અથવા આવનાર કાળની આશા કે ભય માત્ર જ આપણા ચિત્તમાં હોય છે.
વાચકોના પ્રતિભાવ