ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 638,438 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Robert Quillen"There are glimpses of heaven to us in every act, or thought, or word, that raises us above ourselves."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- સ્વ. ડો. કનક રાવળ જૂન 6, 2022
- દાઉદભાઈ ઘાંચી મે 19, 2022
- રમાબહેન મહેતા એપ્રિલ 16, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

વિભાગો
તાજેતરની સામગ્રી
વાચકોના પ્રતિભાવ
pragnaju પર શીલા – ૩ | |
શીલા – ૩ | સૂર… પર શીલા – ૨ | |
શીલા – ૩ | સૂર… પર શીલા – ૧ | |
pragnaju પર શીલા – ૨ | |
શીલા – ૨ | સૂરસાધના પર શીલા – ૧ | |
Niravrave Blog પર શીલા – ૧ | |
pragnaju પર શીલા – ૧ | |
Valibhai Musa પર શીલા – ૧ | |
pragnaju પર ચિત્રકાર દાદીમા | |
gujratgaurav પર માતૃભક્ત મન્જિરો |
પથારી સંકેલો – સ્વરાંકન & સ્વર અરવિંદ બારોટ મા માણ્યુ
સાથે પડઘાય સુ શ્રી ગાર્ગી વોરાનો સ્વર
(જાગી જવાનું ગીત)
વીતી ગઈ છે રાત: પથારી સંકેલો !
પોકારે પરભાત: પથારી સંકેલો !
અનહદના ઓંછાયા ઓરા ઓરા આવે,
રુંવે રુંવે રણઝણતું કો’ બીન બજાવે;
આ જ ઘડી રળિયાત: પથારી સંકેલો !
મોંસૂઝણાની વેળા થઈ છે:નેણાં ખોલો !
અજવાળાનાં પગલાં થાશે:ખડકી ખોલો !
પરદા ખૂલશે સાત: પથારી સંકેલો !
બચકાં બાંધો: જાવું છે છેટાની વાટે ,
વાટ જુએ છે શામળિયો જમનાને ઘાટે;
ભેળી લેજો જાત: પથારી સંકેલો !
-અરવિંદ બારોટ કવિએ નિર્દેશ્યુ છે, – જાગી જવાનું ગીત, આને મોહનિન્દ્રામાંથી જાગવાનું ગીત કહી શકાય ? અંતિમ ઘડી આવે ત્યાં સુધી અંદર રહેલા આત્માની કોઈ ખેવના રાખ્યા વગર જંજાળોમાં જીવ્યે જતા માણસ માટે ! જાગૃતિની ક્ષણ કોઈનેય ક્યારેય પણ આવે, એ આવે એટલું જ મહત્વનું…
ધન્યવાદ
આજ ના ધમાલિયા વાતાવરણ માં જીવન ની હકીકત:
વીતી ગઈ છે રાત: પથારી સંકેલો
પોકારે પરભાત: પથારી સંકેલો
જોબ પર જવું છે: પથારી સંકેલો
તૈયાર પણ થવું છે: પથારી સંકેલો
આજે ટ્રાફિક પણ જામ છે: પથારી સંકેલો
ઓફિસ માં ઘણું કામ છે: પથારી સંકેલો
ટાંકી પણ ભરવી છે: પથારી સંકેલો
લોન્ડરી પણ કરવી છે: પથારી સંકેલો
કાસીમ અબ્બાસ