1] પૂર્વે , છેક ઓગષ્ટ 2015’માં શ્રી નાનકભાઇ મેઘાણી અને તેમના ‘ગ્રંથાગાર’ વિશે એક સરસ લેખ અહીં બ્લોગ પર જ વહેંચેલો અને હવે સાડા ત્રણ વર્ષે તેમના જ સહોદર એવા શ્રી જયંતભાઈ મેઘાણી‘નો આ લેખ અહીં બ્લોગ પર વહેંચતા ઝાઝો બદ્ધો રાજીપો અનુભવું છું અને તે માટે ફરી એકવાર શ્રી સંજય શ્રીપાદ ભાવે નિમિત્ત બન્યા છે!
2] બન્યું એવું કે , એકદા ભાવે સાહેબની ફેસબુક વોલ પર શ્રી જયંત મેઘાણી વિશે જ કોઈ વાતરૂપી વાર્તા છેડાઈ હતી અને મેં કહ્યું કે સર , જયંતભાઈ પર તમે નાનકભાઇ જેવો જ કોઈ આર્ટિકલ લખો ને. . અને અહો આશ્ચર્યમ: કે તેમણે જણાવ્યું કે હું તો આરપાર મેગેઝીન માટે 3 મે , 2004’ના રોજ જ એક આર્ટિકલ લખી ચુક્યો છું! અને તરત જ મેં તે આર્ટિકલની એઝ યુઝઅલ ઉઘરાણી આદરી પણ તેઓએ જણાવ્યું કે હાલમાં તો તે શોધવો કઠિન બની રહેશે છતાં પણ તેઓ પ્રયત્ન કરશે અને થોડા જ દિવસોમાં તો મેગેઝીનમાં…
સ્વ. શ્રી જયંતભાઈ અને એમના પુસ્તકાલયની ચિરસમરણીય મુલાકાતનું સદભાગ્ય પામ્યાનો આનંદ છે.