જીંદગી એટલે પ્રશ્નોની હારમાળા; શૈશવના પ્રશ્નો, અભ્યાસ-શિક્ષણનાં પ્રશ્નો, કારકિર્દીના પ્રશ્નો, યુવા અજંપો, દાંપત્ય જીવન-કૌટુમ્બિકના પ્રશ્નો, સામાજીક સમસ્યાઓ, આવક-મિલકતના મુદ્દાઓ, તંદુરસ્તીની બાબતો, રીટાયર થાય તો નિવૃત્તિના પ્રશ્નો.
આ પૃથ્વી પર એવી એક પણ વ્યક્તિ એવી નથી કે જેને પ્રશ્નો-સમસ્યા ન હોય અને પૃથ્વી પર એવી કોઇ સમસ્યા નથી કે જેનું સમાધાન ન હોય. સમસ્યા અંગે વિચાર કર્યા કરવાથી બહાનાં દેખાશે અને સમાધાનનો વિચાર કરવાથી ઉકેલ મળશે.
સંતા: જીવનમાં કોઇ પણપ્રશ્ન હોય તો ક્યાં શું કરવું? ક્યા જવું?
બંતા: ખેડુત પાસે જવું
તો સંતા પુછે છે કેમ?
બંતાનો જવાબ: ખેડુત પાસે હલ હોય છે !
જીંદગી ને આસાન-સરળ નહી બનાવી શકાય, બલ્કે પોતે મજબુત બનવું પડશે. પ્રશ્ન પરત્વે આપણો અભિગમ એકદમ સહજ એક્દમ ચીલાચાલુ રહેતો હોય છે. પ્રશ્નને પ્રશ્ન તરીકે જોવાની દ્રષ્ટિનો સદંતર અભાવ પણ, કમનસીબે, એટલી જ રોજિંદી જોવા મળતી ઘટના થઇ પડી છે. પ્રશ્નો – સમસ્યાનું જે દર્દ આપણે આજે ઉપાડીએ છીએ તે આવતી કાલ માટે તાકાત બની રહી શકે છે.
————————————
વાદળી અક્ષરોમાંની વાત ભલે જોક લાગે પણ જીવન માટે એ ‘હલ’ ની શોધ હોય તો એ હળ આ રહ્યું !

આ લોગો પર ક્લિક કરો
આમાં કોઈ ધર્મશાસ્ત્ર કે ઉપદેશની વાત નથી. બિલકુલ વૈજ્ઞાનિક પદ્ધતિની વાત છે. અને એ જેટલી વિજ્ઞાન કે મેનેજમેન્ટના ક્ષેત્રમાં જરૂરી અને અસરકારક છે, એટલી જ જીવન સુધારણા માટે પણ છે. કદાચ વધારે જરૂરી છે કારણકે, ભૌતિક ક્ષેત્રે માનવ જાતે અદભૂત સિદ્ધિઓ હાંસલ કરી હોવા છતાં , જીવનમાં નડતા પ્રશ્નો તો વધતા જ જાય છે, બલ્કે વધારે ને વધારે વિકરાળ થતા જાય છે. આપણા સૌનો સામાન્ય અનુભવ છે કે, બહુ નાની ઉમરથી આધુનિક જીવન તણાવો ખડા કરે છે, અને એના ઉકેલ માટે આપણે સૌ જાતજાતના હવાતિયાં મારતા હોઈએ છીએ.
કદાચ…
ઉપર જણાવેલા લેખમાં એ આશા જન્મે છે કે, એ પદ્ધતિ જીવનના પ્રશ્નોમાં પણ ઉપયોગી નીવડે.
સ્વાનુભવે…
એ શક્ય છે. આમ ….

આ ચિત્ર પર ક્લિક કરો
વાચકોના પ્રતિભાવ