ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 663,184 લટાર મારી ગયા.
સાથિયા પુરાવો રાજ!
પરમપૂજ્ય બા/બાપુજી
Join 417 other subscribers
ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
સંધ્યા કાળનો સમય હતો.
ચાલતાં ચાલતાં ડાબી બાજુ આવતી મસ્જિદ તરફ સહેજ ડોકું નમાવીને તેણે કહ્યું, ‘જય શ્રી કૃષ્ણ’.
થોડે આગળ જતાં મંદિર આવ્યું, મનોમન બોલ્યો, ‘અલ્લા અકબર.’– ડો. હાર્દિક યાજ્ઞિક
આવી ઘણી બધી માઇક્રો ફિક્શન વાર્તાઓ અને માઇક્રો ફિક્શન વાર્તા વિશે અહીં….
અને એવી ટચૂકડી વાર્તાઓનો મોટ્ટો ખજાનો આ રહ્યો….
સાથે સાથે …
૨૦૧૧ માં અમદાવાદની મારી ઝુંપડી ખાતે યોજેલ શ્રીમતિ મીનાબેન ઠક્કર ના ભજન વખતે ભાવપૂર્વક હાજર રહેલ બંધુ સમાન મિત્ર વલીદા તેમના કુટુમ્બના થોડાક સભ્યો સાથે ( ત્રણ પેઢી … શ્રીમાન અને શ્રીમતિ વલીભાઈ મુસા અને તેમના પુત્ર અકબર ભાઈનું કુટુમ્બ ) પધાર્યા હતા અને પ્રેમપૂર્વક પ્રસાદ સ્વીકાર્યો હતો – તે યાદ તાજી થઈ ગઈ.
તે લોકો ઘણા મોડા આવ્યા હતા, અને મેં કહ્યું હતું ,” વહેલા ન આવ્યા તે સારું જ થયું , નહીં તો અમારાં ભજનોથી તમે કંટાળી જાત.”
અને વલીદાએ આપેલ જવાબ હજુ ગઈકાલે જ સાંભળ્યો હોય તેવો તાજો છે …
” અરે! હોતું’શ વળી કંઈ?
અમેય ભજનમાં તાળીઓ પાડી જોડાઈ જાત. “
એ સુમધુર સાંજની એક ઝાંખી આ રહી …. ‘લાલાને વ્હાલાં ‘
અને એ ભજન સંધ્યાની યાદ ઉપર મિત્રોએ આપેલ પ્રતિભાવો ( ખાસ કરીને વલીદા અને પ્રવીણ ભાઈના ) જરૂર વાંચજો. બહુ બહુ મધુર યાદો તાજી થઈ ગઈ. આભાર – વિનોદ ભાઈનો
નવા મોટા ઘરમાં બેકયાર્ડ બહુ જ મોટું છે. જૂનું લોન મુવર સ્વયંસંચાલિત નથી. એને આગળ પાછળ કરવા ધક્કો મારવો પડે છે. આથી અમે વધી ગયેલી લોન કાપવાનું કામ મજૂરીથી કરાવીએ છીએ. આથી અમે હવે લોન મુવર વાપરતા નથી. છેવટે તે વેચી દેવાનું નક્કી કર્યું.
તે દિવસે એક ઘરાક તે લેવા આવ્યો. અમે લોન મુવર ધોઈ કરીને સાફ કરી રાખ્યું હતું. ઘરાક તેને ચમકતું જોઈ ખુશ થઈ ગયો. અમે આશા અને ઉત્સાહથી દોરડી ખેંચી લોન મુવર ચાલુ કરી બતાવવા ગયા. પણ લોન મુવર ચાલુ ન થયું. ત્રણેક વાર પ્રયત્નો કર્યા; પણ બધા પ્રયત્ન નિષ્ફળ. ઘરાકે પણ પ્રયત્ન કર્યો. પણ લોન મુવર ચાલુ ન થયું, તે ન જ થયું.
અચાનક મારી નજર એની બાજુમાં થોડેક નીચેના ભાગ પર ગઈ. એક કાળો વાયર લટકતો દેખાયો. મેં કમર નમાવી જોયું. સ્પાર્ક પ્લગનો વાયર લબડતો હતો. વાયર જોડી દીધો. દોરીના એક જ ખેંચાણે લોન મુવર ચાલુ થઈ ધમધમાટ કરવા લાગ્યું.
હવે એને સ્પાર્ક મળી ગયો હતો.
સવારમાં છ વાગે ઊઠી ચાલવા જવું છે. એલાર્મ વાગે છે. એની ઘંટડી દબાવીને સૂઇ જાઉં છું. ‘કાલે જરૂર ઊઠીશ.’
એ કાલ કદી આવતી નથી.
બ્લડ પ્રેશર હાઈ છે. ડોક્ટરે ચરબીવાળો અને ગળ્યો ખોરાક બંધ કરવાની તાકીદ કરી છે. ખાવાની થાળી આવે છે; અને લાલચ રોકી શકતો નથી. ‘કાલે જરૂર રોકીશ.’
એ કાલ કદી આવતી નથી.
મિત્ર સાથે કારણ વગર ગુસ્સે થઈ ગયો હતો. વાંક મારો જ હતો. ‘કાલે જરૂર એની માફી માંગીશ.’
એ કાલ કદી આવતી નથી.
ઓફિસમાં આજે કોન્ટ્રાક્ટર લાંચ આપી ગયો. લાંચ લેવી અનીતિ છે. ‘હવે કદી એમ નહીં કરું.’ પણ ..
એવો દિવસ કદી આવતો નથી.
રવિવારે ધર્મકથા સાંભળવા અચૂક જઉં છું. ગીતાનો ઉપદેશ બહુ સરસ છે, સીધો હૃદયમાં ઊતરી જાય તેવો છે. પણ ઘેર આવીને તે અચૂક ભુલી જાઉં છું.
મારામાં દુર્યોધન સંતાઈને બેઠો છે. હું તેને બહુ સારી રીતે જાણું છું.
હું એને હણી શકતો નથી.
પણ કથાના અર્જુન જરૂર બનવું છે.
એવો દિવસ કદી આવતો નથી.
મૂળ આરંભ
———————————- તેર તેર શક્ય અંતો વાંચ્યા!
હવે વાંચો છેવટનો અંત!
સત્યેન્દ્ર વિચારતો બેઠો હતો; ત્યાં જ એના રૂમનું બારણું ખૂલ્યું. મુનિમજી ચાર ગુંડાઓ સાથે દાખલ થયા અને લાકડીઓ મારી મારીને સત્યેન્દ્રને અવલ મંજિલ પહોંચાડી દીધો. આ આઘાત ન જિરવી શકાતાં ચંપાબેને આપઘાત કર્યો. મુનિમને પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા હવે છૂટ્ટો દોર મળી ગયો.
…
સત્યેન્દ્રે પેઢીનો વહિવટ હસ્તગત કર્યો. એની બાહોશી જોઈ સૂર્યપ્રસાદે રાહતનો દમ ખેંચ્યો અને હરદ્વાર જઈ આત્માના કલ્યાણ માટે ભજન, ધ્યાન જેવી પ્રવૃત્તિઓમાં સમય ગાળવા માંડ્યો.
—
હજુ બીજા બે ચાર શક્ય અંતો મનમાં આકાર લઈ રહ્યા છે !
પણ આ કથા કોઈ જૂદા જ રાહ પર મારા મનમાં ફંટાઈ રહી છે.
આ આમંત્રણને વધારે જાહેરાત અને પ્રચારથી વધારે લોકો સુધી પહોંચાડી શકાયું હોત. દૈનિકોના માધ્યમનો સહારો લઈ, લાખો લોકો સુધી પહોંચાડી શકાયું હોત. અંગ્રેજી, હિન્દી, મરાઠી , તામીલ., સ્પેનીશ … ભાષીઓ સુધી આ ઈજન વિસ્તરી શક્યું હોત.
જાતજાતના લોકોની ભાતભાતની વિચારસરણીને છૂટ્ટો દોર આપી શકાયો હોત. અને એક જ મૂળના, એક જ આરંભવાળા વાર્તાપ્રવાહને સાવ વિભિન્ન દિશાઓમાં વાળી શકાયો હોત.
અનુભવી નિરીક્ષકો પાસે આ હંધીય કથાઓનું વિવેચન કરાવી શકાયું હોત. કાબેલ નિર્ણાયકો પાસે એ સૌનું મૂલ્યાંકન કરાવી ઈનામો આપી શકાયાં હોત.
પણ .. એમ નથી કરવું – નથી કર્યું !
હવે તો આખાયે પ્રયોગ પર સુરેશ જાની બ્રાન્ડ ‘અવલોકન’ કરવાનો વખત આવી પૂગ્યો છે!
…………….
જીવનની બધીયે વાર્તાઓનું મૂળ એક જ. શ્રી. દિનેશ વકીલ જેવા કો’ક સર્જકને એક દી’ દિવ્ય કે દુષ્ટ વિચાર આવ્યો અને સર્જનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. એની ચરમસીમાએ માનવજીવ સર્જાયો અને લો! બધીયે ઘડભાંગ શરૂ. એક જ પ્રસંગ અને અનેક અંત. અનેક વિચાર ધારાઓ, અનેક સંસ્કાર. અનેક ભાષાઓ, ધર્મો, રિવાજો, રસમો, રીતભાતો. અનેક મૂલ્યાંકનો. જ્ઞાન અને વિજ્ઞાન. યુદ્ધ અને વિનાશ. વિજય અને હાર. વિકાસ અને આગેકૂચ. સંસ્કૃતિઓનો પ્રાદુર્ભાવ, ઉત્થાન અને પતન. અનેક સુધારકો, વિચારકો, પેગંબરો, રાજાઓ, સમ્રાટો, સેનાપતિઓ આવ્યા અને ગયા. નકશાઓ બદલાતા રહ્યા. વાતાવરણ અને પર્યાવરણ પલટાતાં ગયાં. અનેક રૂપે નવી નવી વાર્તાઓ આકાર લેતી ગઈ. જીવનની જટીલતા વધતાં માનવજીવનના સ્ફટિકમાં અનેક પાસાં ઊમેરાતાં ગયાં.
આ જ તો છે. માનવ મનના મેઘધનુષ્યના રંગો. અરે! એ સાત રંગો તો શું? પેઈન્ટ શોપની કલર પેલેટના હજારો રંગોને પણ રજકણ સમાન બનાવી દે; તેવાં આ અફલાતૂન માનવ મનના રંગો છે. એની કથા હજારો મહાભારતને પણ પાછા પાડી દે તેવી મહાકાય છે.
ધન્ય છે શ્રી. દિનેશ વકીલને – ભૂલ્યો એ અજાણ્યા અણદીઠ સર્જકને – જેણે આ ગુરુકથાના નાયક જેવા માનવ જંતુનું સર્જન કર્યું. કદાચ એ પણ પસ્તાતો હશે.
જો કે, આપણા દિનેશ ભાઈ તો આ પ્રયોગથી બહુ ખુશ છે, એવો ઈમેલ સંદેશ મળ્યો છે !!
મૂળ આરંભ
———————————- હવે વાંચો વધુ એક શક્ય અંત મૂળ સર્જક પાસેથી !
સત્યેન્દ્ર આટલી તંદુરસ્ત વ્યાપાર વ્યવસ્થા જોઇને ચકિત થઇ ગયો; અને સુર્યપ્રસાદના પગે પડી આભાર માનવા લાગ્યો.
સુર્યપ્રસાદ મનમાં વિચારવા લાગ્યા ..
“વર્ષો પહેલા એ કાચી ક્ષણે ચંપકલાલના ખુનનો વિચાર આવ્યો, અમલમાં મુક્યો અકસ્માતમાં ખપાવી ભલે આટલું પ્રાયશ્ચિત કર્યું..પણ સાચું પ્રાયશ્ચિત તો તે ભૂલ કબુલ કરી માફી માંગી લેવામાં છે. સુર્યા, અભિમાન છોડીને માફી માંગ..”
મારા વહાલા વાચક મિત્રો.. શું સુર્યપ્રસાદ માફી માંગી શકશે?
– દિનેશ વકીલ : અમદાવાદ
આવતીકાલે આખા અભિયાનનું સમાપન : મારી કથા સાથે …..
મૂળ આરંભ
———————————- હવે વાંચો વધુ એક શક્ય અંત
બેલેન્સ શીટ ઉપર નજર નાખતા એનું મન આગલા દિવસની ઘટના સાથે જોડાઈ ગયું. તેને જાણીતી કંપની તરફથી ૨૫ લાખના પેકેજની ઓફર થઇ હતી..મન ડગુ મગુ થઇ રહ્યું હતું..શું ફેસલો લેવો તે નક્કી કરી નહોતો શકતો.. આખી રાત સુઈ નહોતો શક્યો. મલ્ટી નેશનલ કંપનીના સપના આવ્યા કરતા હતા.
મૈ ઇધર જાઉં યા ઉધર જાઉં?
ચોપડા જોઇને વિચાર પાક્કો કર્યો.. નાનો પણ રાઈનો દાણો છું. આટલી સારી ચાલતી પેઢીને જ શું કામ ઉપર ના લાવું? દેશનું ધન દેશમાંજ કેમ ના રહેવા દઉં ?
મેરા ભારત મહાન.
અંકિત વોરા
મૂળ આરંભ
———————————- હવે વાંચો વધુ એક શક્ય અંત….
જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડવા માટે સત્યેન્દ્ર મુનીમજીના વખાણ કરે છે. ઍક જ કંપનીના નેજા હેઠળ કારોબાર થવાને લીધે આવકવેરો ઘણો ભરવો પડતો હતો. સત્યેન્દ્ર તેના અભ્યાસ અને નાણાકીય કૌશલથી મુનીમજી ને જુદી જુદી કંપનીઓ બનાવવાનુ કહે છે. દરેક કંપનીના શૅરો બહાર પાડવાનુ સૂચન કરે છે. મુનીમજી ને કામની કદર રૂપે sweat equity offer કરે છે અને ખભે-ખભા મિલાવીને પ્રગતી કરવાનુ વચન આપે છે.
– ઉલ્લાસ ઓઝા- મુંબાઈ
મૂળ આરંભ
———————————- હવે વાંચો વધુ એક શક્ય અંત….
૧-ધધો જુનવાણી રસમથી ચાલે છે.
૨-ઍણે સૌ પ્રથમ સુર્યપ્રસાદજીને ઉમર થઈ ગઈ છે એ કારણસર છુટા કર્યા.
૩-હીસાબ કીતાબની નવી પધ્ધતી અપનાવી.
૪-આ ધીરધારની પેઢી છે શખાવત કે સદાવ્રત નથી કહી જુના લેણદારોના ખાતા તેમની ગીરવે મુકેલી અસ્ક્યમતો વેચી સરભર કર્યા.
૫.-પેઢીની વરસો જુની વિશ્વસનીયતા ઝંખવાણી,
૫- છાપામા પહેલે પાને છપાણુ ‘ ‘૧૦૦ વરસ જુની જાણીતી ધ્રીરધાર પેઢી ચંપક્લાલ મરફતીયા પેઢી એ દેવાળુ ફુન્ક્યું.”
– ભરત પંડ્યા : ભાવનગર
મૂળ આરંભ
———————————- હવે વાંચો વધુ એક શક્ય અંત….
સત્યેન્દ્ર સુર્યપ્રસાદને મળવા ગયો અને સુર્યપ્રસાદને કંપનીના ચેરમેન બનાવ્યા અને પોતે મેનેજીંગ director થયો.
સત્યેન્દ્રે સુર્યપ્રસાદની સંમતિથી computerisesd accounts સિસ્ટમ ચાલુ કરાવી જેથી બધુ જ કામ સરળતાથી અને ત્વરિત ગતિથી થવા માંડ્યું. ધંધો વધારવા વધુ સમય મળતા ઊંચા નિશાન સાધી શકાયા.
માતા ચંપાબેનને કામદારોના કલ્યાણની જવાબદારી આપી. કામદારો પણ ખુશીથી વધુ કામ કરતા થયા.
– દેવેન્દ્ર દેસાઈ
મૂળ આરંભ
———————————- હવે વાંચો વધુ એક શક્ય અંત….
જૂની રીતભાતથી ચાલતી પેઢીને નવો સ્વરૂપ આપવો જોઈએ. પેઢીનો બધો કામકાજ હવે કમ્પ્યુટર થી થવા લાગ્યો એટલું જ નહી; મુનીમજી પણ કમ્પ્યુટર શીખી ગયા કલાકોનું કામ હવે મિનીટોમાં થવા લાગ્યું. પેઢીનું નવું સ્વરૂપ જોઈ, ચંપાબેન ખુશ થઈ ગયા અને એમણે સત્યેન્દ્રને આશીર્વાદ આપ્યા. પછી બને જણ ચંપકલાલ ના ફોટા પાસે ગયા અને એમના આશીર્વાદ મેળવ્યા સત્યેન્દ્રે માતાને વચન આપ્યો કે તે પેઢીને આસમાનની ઉચાઈ સુધી લઈ જશે
દિવ્ય વિધાની : અમદાવાદ
વાચકોના પ્રતિભાવ