સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વાચકોનાં સૂચનો

અહીં તમારાં સૂચનો આપશો તો આનંદ થશે.

50 responses to “વાચકોનાં સૂચનો

  1. Rajendra Trivedi,M.D. સપ્ટેમ્બર 11, 2006 પર 1:51 પી એમ(pm)

    Your work is a big reward to see others enjoy gujarati away from motherland.
    I will read on this site daily.
    Putting feelings in the words is an art and Leaving away from Gujarat makes to write in Gujarati becomes hard.
    With your Blog I will learn Gujarati again!
    Rajendra Trivedi

  2. Rajendra Trivedi,M.D. સપ્ટેમ્બર 14, 2006 પર 1:26 એ એમ (am)

    Dear Suresh,
    What a nice way to reconnect.Last we were in 1959.Let us stay in touch and make me learn and write GUJARATI.
    I will love to be using your BLOG and Be part of the GUJARATI LOVERS OF THE WORLD.YOU ARE DOING THE GREAT SERVICE TO GUJARTI READERS.

    Rajendra

  3. Jujalkisho ઓક્ટોબર 13, 2006 પર 4:49 એ એમ (am)

    Priy Guj.jan,
    I got this from Balvantbhai.Very good activity ! I will try to send about wellknown persons whose birth sent.comes this year.
    To day, on the very first day I,with hasitation, wish to draw your attention to an arror: In gujrati there is no word like VANCHAK the reader.It is VACHAK…Vanchvun is o.k…Vanchan is also o.k. But the reader who reads,is VACHAK.No anusvar on VA.In VANCHAN that means TO READ is spells both way : VACHAN and VANCHAN.But for reader it is VACHAK only. Please note. I wrote this becose it is veymutch on main page. My English is very poor you can see but sofar it is with Guj. I can suggest.Sorry for that. J.kishor.

  4. Jugalkishor નવેમ્બર 26, 2006 પર 2:05 એ એમ (am)

    ‘શાણી વાણીની વાત’આ સમગ્ર ચર્ચાના subject-heading પર રહી.હવે આજે બીજું સબ્જેક્ટ-હેડીંગ સુઝ્યું છે;આશા છે એ ફક્ત હેડીંગ ન રહેતાં SUBJECT બનીને આપણને છાવરી રહે:

    સો વાતની એક જ વાત: “NET-ગુર્જરી” ઉગે પ્રભાત !!
    ‘યુનીકોડ’નું મારું ભાંગ્યુંતુટ્યું અર્થઘટન આવું છે: “એકત્વના કોડ” !(યુની=એક અને koડએટલે હોંશ!)ચાલે ?

    મને ગુજરાતી લખવાની ખાંત, લખતાં કેમ આવડે રે !
    હજી લખવાની કરું શરુઆત, આ ફોન્ટડા બહુ કનડે રે !

    અને એટલે જ આજે આ આટલી બધી વાતોથી અભીભુત હું આપ સૌ સમક્ષ પ્રસ્તાવ મુકું છુ.સ્વીકારવા-ન સ્વીકારવાઅંગે પણ સૌ મન મુકીને ભાગ લે એવી પુર્વ-વીનંતી સાથે.

    આપણા મુખ્ય પ્રશ્નો છે જુદાજુદા ફોન્ટ્સ;જુદાજુદા પ્રદેશો-દેશો; લખવાના પેડની વીવીધતા;જુદીજુદી શૈલીઓ(ટેકનીકલ ગતીવીધીઓ);જુદા જુદા પ્રકારના કોમ્પ્યુટર અને એના જુદા જુદા સોફ્ટવેર્સ;કન્વર્ટ કરવા માટેની બાબતો-સવલતો અને ઇન્ટર્નેટના જુદાં જુદાં માધ્યમો-ચાલકો (ઇન્ટ.એક્સ્પ્લો.વગેરે)

    આ બધા માટે જાણકાર ગુજરાતીઓની ખોટ તો નથી જ.

    “INTERNET-ગુર્જરી-અભીયાન” (અંગ્રેજી શબ્દ ‘ઇન્ટર્નેટ’માં ‘ઇન્ટર્નેશનલ’પણ સમાઇ જાય છે).આવું એક શીર્ષક પણ રાખીએ.હું સંસ્થા કે ટ્રસ્ટ બનાવવાની વાત કરતો નથી!પણ આ રીતે,લોટમાં મૉણ નાખવાથી પીંડ (કે પીંડો) બંધાય છે.પછી જ રોટલીયું-ભાખરીયું વણાય છે.મૉણ વીનાનો લોટ ઉડ્યા કરે.એને રાંધવાનું શક્ય નથી.આ કે એવા બીજા કોઇ શીર્ષક હેઠળ આપણે ગુર્જરી દેવીની વંદના કરવા આરંભ કરીએ.

    આ માટે એક વ્યવસ્થા-જુથ બનાવીએ.(સંચાલક મંડળ એવું નામ પણ એને નહીં આપીએ.)

    આપણી પાસે ઓપીનીઅન અને માત્રુભાષા(ઓસ્ટ્રેલીયામાં મ્રુગેશભાઇનું)બે સામયીકો છે.સન્ડે મહેફીલ જેવું ઇ-સામયીક પણ છે.સુરેશભાઇ અને અન્ય ઘણાં મીત્રો બહુઆયામી સામયીકી ચલાવે છે.(વ્યક્તીગત બ્લોગ્સની વાત કરતો નથી);કેટલાક ફક્ત ઇજનેરી કામના જ વીશેષગ્નો છે.પૈસાની બહુ જરુર ન જણાય પણ જરુર પડ્યે એ માટેના ય સધ્ધર મહાનુભાવો ને આસ્થાળુઓ છે જ.તો પછી કાર્ય શા માટે ન થાય?

    હું એક નામાવલી રજુ કરું છું;સુધારા વધારાને પુરતો અવકાશ છે.

    સામયીકોવાળા મહાનુભાવોનું એક જુથ આ કાર્યની પ્રસીધ્ધીનું અને ગુજરાતીના ઘટતા જતા પ્રભાવ-વપરાશની ચીંતાનું કાર્ય કરે;
    તકનીકી નીષ્ણાતો પાના-પક્કડ-હથોડિયું લૈને આપણને આ ફોન્ટ વગેરેની દાદાગીરી માંથી બચાવવાની કુશળતાગીરી કરે;(બોલે તો બચાવ-ગીરી ચ ,ક્યા !)

    વ્યક્તીગત બ્લોગવાળાં ભાયું-બેન્યું આ આખી વાતનો ઝંડો લઇને નર્મદે ગાયેલાં ગુર્જરીનાં ગીતો ગાય-ગવડાવે.અને પછી આપણે હંધાય ગાઇએ કે જય જય ગરવી ગુજરાત !

    પણ આ બધાને સાથે રાખવા કારવવાનુ કામ બે વ્યક્તી કરે.ઉપર કોઇનાં નામો નથી આપ્યાં પણ અહીં બે નામો એવાં છે જેને આપણે ઓળખીએ જ છીએ.મુ.રતીભાઇ અને બાબુભાઇ.

    કેટલાંક નામો વીષયવાર નહીં,એમને એમ મુકું છું–સૌ આગળ આવીને વીચારે:
    વિપુલભાઇ,હર્નીશભાઇ,ઉત્તમભાઇ,વીજયભાઇ,સુરેશભાઇ,ધવલભાઇ,વીવેકભાઇ,કીશોરભાઇ,
    મ્રુગેશ્ભાઇ,હરીશભાઇ,હીમાંશુભાઇ,અશોકભાઇ,વીશાલભાઇ,બાકી ઘણાં રહી જતાં હશે,સૌ એ નામોને યાદ કરી સમાવેશ કરી શકે.આ તો ફક્ત એક નમુનાની વાત છે;એને સુધારી-વધારી શકાય.મારો કોઇ દાવ કે દાવો નથી !!આટલી ચર્ચાઓ પરથી એક નવા પ્રવેશેલ વ્યક્તી તરીકે રજુઆત કરી છે….જુગલકીશોર.j_jugalkishor@yahoo.co.in

    ——————————————————————————–
    Find out what India is talking about on – Yahoo! Answers India
    Send FREE SMS to your friend’s mobile from Yahoo! Messenger Version 8. Get it NOW

  5. manishi jani એપ્રિલ 1, 2007 પર 12:23 પી એમ(pm)

    kavi jay jani ne ugva doo…pushp ne jate khilva do..dada ane vyaj..banne ne shat shat abhinandan…manishi jani..

  6. Uttam Gajjar મે 9, 2007 પર 4:17 એ એમ (am)

    વહાલા સુનીલભાઈ અને સુરેશભાઈ,

    પહેલા ધન્યવાદ સુરેશભાઈ જાનીને કે, જેમણે અમેરીકે રહ્યે રહ્યે ભાષાક્ષેત્રની આ વૈજ્ઞાનીક ક્રાતીને આવકારી અને
    બીજા તમને કે, શીક્ષક તરીકેનાં વર્ષોના તમારા અનુભવને આધારે સાચું તારણ કાઢી તે બોલવાનું અને તેને
    અનુસરવાનું સાહસ કર્યું..બાકી ક્યાં કોઈને પડી છે..!!

    આપણે આપણા ચીંતન અને તેને અધારે ઘડાયેલાં મંતવ્યોને અમલમાં મુકવાં..જેને જે કહેવું હોય તે કહે..
    લોકો તો, જીવનનાં કોઈ પણ ક્ષેત્રમાં, ટુંકો રસ્તો શોધી આપનારને અભીનંદે અને મોડેવહેલે તેને અપનાવે જ છે..

    હા, આપણી જોડે ન સંમત થનારનાં મંતવ્ય માટેય ભરપુર આદર રાખવો..કારણ કે આપણેય ગઈકાલ સુધી એવું
    જ મંતવ્ય ધરાવતા હતા..પણ જાગ્યા ત્યારથી લખાણમાં એક જ ‘એક ઈ–ઉ’ને દીલથી અપનાવતા થયા..

    અમદાવાદના ભાઈ જુગલકીશોર વ્યાસ આ અંગે જબરી કામગીરી કરી રહ્યા છે..થોડા સમયમાં તે આપણને જોવા મળશે..
    તે જો, ખુલ્લું મન રાખી આપણે જોઈશું તો આખી વાત પાકી સમજાશે..

    જેને પુરીપાધરી જોડણી આવડતી જ નથી; છતાં તેમને, અડીખમ બનીને આ સરળ સુધારાનો આંખ મીચીને વીરોધ કરતા જોઉં છું
    ત્યારે ગ્લાની થાય છે..વ્યથા થાય છે..કેટલીક વાર તો એવું જોયું કે જેમ અજ્ઞાન વધારે તેમ વીરોધ વધારે..!! પણ એ તો
    એમ જ ચાલે..!! તેઓ પણ આપણા મીત્રો જ છે..

    આજે આટલું જ..ઉત્તમ અને મધુ..સુરત..

  7. Dr Jagdip Upadhyaya મે 19, 2007 પર 4:33 પી એમ(pm)

    સુરેશભાઇ,
    આપ ગુજરાતી ભાષા જીવંત રહે અને એનો વ્યાપ્ત વધે એ માટેના આપનાં અમેરીકા રહીને પણ અવિરત પ્રયાસો દાદ માગી લે છે.
    આ સાથે મારાં સ્વ. પિતાશ્રી રવિ ઉપાધ્યાયની રચનાઓનો બ્લોગ http://ravi-upadhyaya.blogspot.com/ visit કરવાં આમંત્રણ પાઠવું છું. માર્ગદર્શન કરશો.
    ડો. જગદીપ ઉપાધ્યાય.

  8. niraj જૂન 26, 2007 પર 3:03 એ એમ (am)

    બહુ કરે છે લોકો વાતો પ્રેમ નિ
    પણ કોને ખબર છે કે આ તો છે વાતો વહેમ નિ,

    આન્ખ થિ આન્ખ મડિ એટ્લે સમ્જે છે નિશાનિ પ્રેમ નિ
    પન એ નિશાનિ મા સર્વશ્વ લુટાવિ ને રહિ ગયા છે કેટ્લાય સહેજ થિ,

    જાન લેવા ને દેવા તૈયાર થઇ જાય છે લોકો પ્રેમ મા
    પન કોને ખબર છે કે જિન્દગિ નથિ મલ્તિ એમ કોઇ ના રહેમ થિ,

    માતા પિતા ને પન વિસરિ ને છોડિ દે છે લોકો પ્રેમ મા
    નથિ સમજ્તા કે જનમ દાતા નહિ મલે બિજા ,પ્રેમ તો ઘણા મલિ જસે નસિબ થિ..

    ————niraj 🙂

  9. niraj જૂન 29, 2007 પર 12:43 એ એમ (am)

    આ જીવન લઇને આવ્યો છુ આ જ જીવન લઇને જવાનો
    પ્રેમ ના શબ્દો બોલ્યો છુ નફ્ર્ર્ત ને મારી જવાનો,

    આઁખો થી હુ જોવુ છુ પણ દીલ થી સાઁભડ્વાનો
    ગાઁધી ના આ જગત મા હીઁસા ને મારી જવાનો,

    દિલ થી કહી છે આ વાત લોકોને સઁભડાઇ જવાનો
    રાવણ ના આ રાજ મા રામ શોધી જવાનો…..

    —- ‘JIVAN MARM’ by NIRAJ VYAS.

  10. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ. જુલાઇ 1, 2007 પર 10:17 એ એમ (am)

    સાર્થ જોડણીકોષ ને તેની ઉપર મહાત્માજીનો આશીર્વાદ જેવો હૂકમ:”હવે પછી સ્વેચ્છાએ જોડણી કરવાનો કોઈને અધિકાર નથી.”
    મારાથી જોડણીમાં ભૂલ થઈ શકે છે;પણ સ્વેચ્છાએ ગમે તેમ તો ન જ લખી શકું.
    ઉંઝા જોડણીને પહેલાં માન્યતા મળે ને જોડણીકોષમાં સ્વીકૃતી મળે ત્યાં સુધી રાહ જોવી જ જોઈએ.પરાણે ને જબરજસ્તીથી ઠોકી બેસાડાય નહીં.
    અહીં બધાં સમજદાર ભેગા થયાં છે એ બહુ સારી વાત છે;હવે આ વાતને અધિકારી વ્યક્તીઓના હવાલે સુપરત કરીને નીવેડો લાવવો જોઈએ.
    ત્યાં સુધી પ્રવર્તમાન નિયમોનાં બંધનમાં પ્રવ્રત્તિ થવી જોઈએ.મનમાની કોઈની પણ ચલાવી ન લેવાય.
    સુજ્ઞેષુ કિં બહુના?
    શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ.

  11. vijayprakash jani જુલાઇ 20, 2007 પર 2:27 એ એમ (am)

    dear Sureshbhai,
    Unza ane bija no vivad juno che. ani sharuaat ma hu bhag leto pan pachi thau ke aa to nakami mathafodi che etle padtu mukyu.
    bhasha nu swaroop badlatu rahe che ne e na roki shakay evi prakriya che.
    jemne je kahevu karvu hoy te samanya manas mate to gujarati e je lake vanche ne samje ej che.
    Aaje pandit yug ni gujarati chale khari? chale che??
    hu gujarati ma arogya nu masik kadhto hato ne jodani ni purati chinta sathe jem chapay tem java deto. ek be pandito sivay koi e kyare jodani ni vaat lakhi nathi.
    samjay dil ne sparse te bhasha biju bhadhu nakamu.
    ne bhasha na zanoon ma gali pradan karvu e to nakama loko ni mansikta che.. aam pan Magan madhyame gujarat ni ek aakhi pedhi nu satyanaash karyu che..
    Tamara prayogo chalu rakho..

  12. Tarjani Jadhav ડિસેમ્બર 6, 2007 પર 9:02 એ એમ (am)

    Namaste,
    Hu ek 11th ni vadodara ni alembic vidyalaya ni vidhyarthini chu.
    Tamara vishe vachine ane atli badhi information melvi ne mane khub j aanand thayo che, maru man kharekhar khub j prafullit thai uthyu tamara aa sundar ane saras-majana kavyo vachi ne.
    Gujarati sahitya ne zalahaltu rakhnar e kavi ne hun koti koti vandan karu chu.
    Bhagvan tamne sada khush rakhe ane vidya tamne valgi rahe tevi mari prarthna che.
    Jai Jai Garvi Gujarat.

  13. Suresh જાન્યુઆરી 12, 2008 પર 5:53 એ એમ (am)

    this is excellent work! my wife always ask me internet is only for english. she used to attend chatura no chotro in bombay when she was young. now i think this is the correct platform for such things.
    suggestion: can we have some authentic good compliations of gujarati songs? lyrics by sung by all data?
    we miss them. in a systematic way on the web. if somebody helps me with the data, i am ready to publish and design and maintain. suresh (ahmedabad)

  14. Amit Dave ફેબ્રુવારી 4, 2008 પર 12:36 એ એમ (am)

    I would like you guys to write your experience of Gujarati Blogs. Who are the users? who are the contributers? We would like to publish this article about Gujarati Blogs in Gujarati Writers’ Association’s newsletter ‘Lekhak ane lekhan’.
    Gujarati Writers Association (Gujarati Lekhak Mamdal, [GLM]) is a Registered Cooperative Society, Charitable Trust & Union of Writers [Trust/Charity Reg. No.: GUJ/4237/Ahd., F/4098/Ahd. & Trade Union Reg. No.: G-6250 (Govt. Approved)] established in 1993.

    GLM is non-profit fully democratic organization run by Gujarati writers. It fights for the cause of writers, creates awareness about copyright/copyright acts and induces fellow writers to practice professionalism and professional ethics.

    Today it has more than 500 writers as its permanent members. Its quarterly newsletter “Lekhak ane Lekhan’ has around 200 subscribers other than the members. GLM has organized 10 seminars, 8-10 writing skill development workshops, 17-20 talks and debates, 7 major literary surveys in Gujarat & Mumbai.

    GLM also offers its members the script registration services and guides writers fighting for copyrights related issues. It has on its own taken up several issues pertaining to the Gujarati Literature and writers. Such as campaign against censorship & unjust government policies. It has also passed resolutions for freedom of expression on various occasions along its 15 years long journey.

    With a book ” Bal Sahitya no navo yug kyare?”, it also enters into book publication.

    Thanks

    Amit Dave
    Secretary Gujarati Writers’ Association

  15. Ramesh Patel માર્ચ 9, 2008 પર 6:34 પી એમ(pm)

    shri shureshbhai,

    My poem as post for kavyasoor.please ,welcome and encourage by placing on web site, if it deserve?
    Ramesh Patel(aakashdeep)
    વધામણી વસંતની
    નિહાળી ઉપવને પાનખરમાં વૃક્ષોની દશાપામું વ્યથા
    વદે વૃક્ષ દેવતા,તપસ્યાના ફળ મળે ધીરજથી ભલા
    સમયના વહેણ તો વહેશે સદા નીજ રંગમાં
    નીરખો તમે મલકી રહી કેવી કૂંપળો રાગમાં

    મલકતી તામ્રવર્ણી પાંદડીઓ ફરફરી કહી રહી મને
    દાતા તો દિધ્યા કરશે , તું ખુદ થા શાબદા
    આવતા સપ્તાહે અમે નિમંત્ર્યા છે વનમિત્રોને
    છાબડીઓ છલકતા રંગો થકી જોજો વધામણી વસંતની

    ખીલી સૃષ્ટી સુમન થકી દેતી સંદેશ મ્હેંકાવતી
    દેખ કૌવત કેવી પલટાવી પાનખરને અમે વસંતમાં
    ભાગ્યશાળી છો તરુઓ તમે પૃથ્વીરજ સમ મિત્રથી
    સીંચે અમી તુજને રળવા સરપાવ સદા વસંતના

    ‘આકાશદીપ’વદે વાહ કુદરત્!તારા કરીશ્મા છે અકળ
    સખા દેજે સર્વને , આ ગુણીઅલ ધૂળ સમા.

    રમેશ પટેલ(આકાશદીપ)

  16. Sweta Patel માર્ચ 10, 2008 પર 11:21 એ એમ (am)

    I am delighted to read this beautiful song.
    Sweta Patel

  17. pragnaju માર્ચ 13, 2008 પર 1:26 પી એમ(pm)

    આવતી કાલે પાઈ(π) ડે છે.માર્ચ ૧૪ -૧.૫ એ
    આ નાના અછાંદસથી તેને અંજલી આપશો તેવી વીનંતી.
    હબલે વિષ્વને પ્રસરતું જોયું
    વોટસન અને ક્રીકે જીવની શરુઆત જોઈ
    આઈન્સટાઈને રીલેટીવીટી સમજાવી
    અને સર્જનોએ હ્રુદયનું આરોપણ કર્યું

    અને બધી થીયરી ભેગી કરી
    એક મસ મોટી થીયરી બનાવી
    બધા ગણીત શાસ્ત્રીઓને ભેગા કરી
    પાઈનો અંતનો આંકડો તો શોધો!

  18. Ramesh Patel માર્ચ 22, 2008 પર 1:11 પી એમ(pm)

    Shri Sureshbhai,
    My poem for kaavyasur,pl.wellcome.
    Ramesh Patel(Aakashdeep)
    પૂનમ વૈશાખની
    ગુફા મધ્યે નીરખી રહ્યો, સૌમ્ય મૂર્તિ બુધ્ધની
    આડે પડખે જમણે અંગે, પરમ શાન્તી પમાડતી

    પંદરસો વર્ષ પૂર્વે, હશે કેવી આ ધન્ય ઘડી
    વધાવે જન્મ વૈશાખી પૂનમ,મહામયી તું ભાવધરી

    ચાંદની ખુદ શાતા ઝીલે,પ્રકૃતિ દિસે સુખ દાયિની
    પૂર્ણ રુપે વૈશાખી ખીલી, પૂર્ણ સંગ બ્રહ્માંડે રમી

    ત્યાગી ગૃહ તપી ભમી ,પુનીત પીપળે આંખો ઢળી
    શીતલ વાયુ સુગંધ ઢોળે,પ્રસન્ન ફરી પુનમ વૈશાખની

    અનંત સુખ રમે મુખે, અનંતો દર્શનના સત્યો લાધી
    અનેરી તૃપ્તી,વન કન્યા સુજાતા,ધરે ખીર ભાવે હસી

    સંઘ વિહારથી ઉઠી લહર , બુધ્ધત્વના પંથે દોરે જગત
    અહીંસા પ્રેમથી રંગો જીવન,શિલ્પી કોતરે અમૃત વચન

    કુશીનારાનો ચંદ લુહાર,, ધરે અંતીમ ભીક્ષા ભગવંતને
    ધન્ય વૈશાખી પૂનમ,એંશી વર્ષ,દેવે દીધા સુખ જગતને

    સુણો અંતીમ બોધ,”આત્મ દીપ થાવ”બોલી મીંચ્યા નયન
    વરતે જગે આણ ચક્રવર્તી, આકાશદીપ ભાવે વંદે ચરણ

    ગાઉ મહીમા કોનો વધારે, વંદનીય વૈશાખી પૂનમ
    ના વીસરશું તારા ભાવ દર્શન શિલ્પી,કંડાર્યા પ્રભુના શયન

    રમેશ પટેલ(આકાશદીપ)

  19. Ramesh Patel માર્ચ 26, 2008 પર 5:12 પી એમ(pm)

    Shri Sureshabhaai
    My poem for kavyasoor,,can it enjoy your site?
    Ramesh Patel
    પ્રેમ રસ
    પરમ પ્રેમ પ્રગટ્યો પાતાળથી
    પ્રભુ દરબારે પુષ્પે પમરાવી સુગંધ
    ચાંદનીએ વરસાવ્યા વહાલ ગગનથી
    ને શાન્ત સાગરે ઘૂઘવ્યા ઉમંગ

    ગાયે કોમળ કૂંપળો રે ગીત
    જુઓ મારા પગલે પધારે વસંત
    શર્મીલા કોડે રુમઝૂમે કળી
    સંકોરવા રંગ ભર્યા ઉરે સંદેશ

    પંખીઓની વ્યોમે હાલી વણઝાર
    ભરતી કુદરતના ખોળે સંગીત
    ઉતર્યા સુંદર સરોવરને તીર
    સારસ સારસી શીખવે અનોખી રે પ્રીત

    કોયલનો ગૂંજે ટહૂંકો વનરાવને
    ફગણના ફાગે ડોલ્યા રે મન
    પ્રેમ રસે ઝબોળ્યા ઝૂરતા અંતર
    ને પ્રેમપાશે હીંચોળે મદમાતો પવન

    રમેશ પટેલ (આકાશદીપ)

  20. Ramesh Patel માર્ચ 31, 2008 પર 11:14 એ એમ (am)

    Shri Sureshbhai
    A poem for kavyasoor.Thank you for your encouragement.
    હેલે ચઢી તમારી યાદ
    સરોવરનાં નીર હેલે ચઢ્યાં ને ,
    હેલે ચઢી તમારી યાદ
    ઝરમર ઝરમર ઝીલ્યા મેહુલાને,
    મનમાં ટહૂંક્યા તમારા સાદ
    સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ

    કલબલ કલબલ શોરમાં ઝૂલ્યા અમે
    લઈ દિલડામાં વાસંતી ફાગ
    રણક્યા તાલે મધુરા ઝાંઝર ને,
    ઉરે છેડ્યા બંસરીના વ્હાલ
    સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ

    ચાંદલીયાના પલવડે શરમાયા તારલીયા
    ને તનમનમાં તરવરીયા તોફાન
    સજી શણગાર હું ઝાંખું ઝરુખાએ
    ટમટમે દિવડાઓ ચારે રે દ્વાર
    કે સાજન મારા ,આજ હેલે ચઢી તમારી યાદ

    રંગીલી રંગોળીથી શોભે આંગણિયાં ને,
    મલકે મુખલડે મધુરી આશ
    ગાશું રે ગીત હીંચીહીંચી ને
    આભલે ઉડાડશું આજે ઉજાશ
    કે સાજન મારા,આજ હેલે ચઢી તમારી યાદ
    રમેશ પટેલ(આકાશદીપ)

  21. Ramesh Patel એપ્રિલ 1, 2008 પર 12:58 પી એમ(pm)

    shri Sureshbhai,
    A poem expressing love…
    ચંદન સ્નેહ
    નથી મીનારા નથી ઝરુખા નથી મેડી મેહલાત
    નાના ખોરડે શોભે આંગણીયે આંગળીયારી ભાત

    પંખીના કલરવ કામણગારા,નાચે છાપરીએ મોર
    લીલા પોપટડા પારેવા સંગ ઝીલે કોયલ કલશોર

    રાત ઢળે ને ઢળે ઢોલીયા,હરખે આભલે રમતા તારા
    પડવો પાંચમ ગણતા ગણતા,થાયે પુનમના અજવાળા

    વહેલી પરોઢે સૂરના તાલે, પ્રભાતિયાં મીંઠાં ગૂંજે
    કુદરતના ખોળે રમતાં ભમતાં સ્નેહ બંધને ઝૂલે

    ભોળા દિલના ભોળા માનવી ભોળી ભોળી રીતો
    નદીના તટે મેળામાં મ્હાલે જીવનભરની પ્રીતો

    હરતાં ફરતાં વાટે વિચરતાં,નયનોમાં વરસે મેહ
    છાનાં છપનાં મલકી મલકી, અંતરમાં ઝીલે સ્નેહ

    ઉષાના રંગે સલૂણી સંધ્યાએ, કોઈ શમણામાં રમતું
    પ્રીતના પાનેતર ઓઢી હોંશે કંકુ પગલે પધારતું

    છલકાવી સાચો સ્નેહ સાગરસો,કુંદન જેમ રે તપીયાં
    લોહીની સગાઈથી સવાયાં થઈ આયખે રે ઘોળાયાં

    એકબીજા સંગ પ્રેમ પરમશ્વરે, દિધા મન મોટપ સથવારા
    દિધા દાતાએ રોટલા ઓટલા, ને સાચા સુખના ઝબકારા

    જીવન પતંગ ઝૂલાવ્યો લોટાવ્યો અનંત અધ્ધર આભે
    આયખે ઘસી ચંદન સ્નેહને જઈ ચમકાવ્યો ચાંદે
    રમેશ પટેલ(આકાશદીપ)

  22. Kamlesh Odedra એપ્રિલ 8, 2008 પર 1:36 એ એમ (am)

    I could not find any link on the blog to post a new poem in a new category. Please, let me know how new poets can send their poems here.

  23. jayeshupadhyaya એપ્રિલ 12, 2008 પર 3:29 એ એમ (am)

    એક ચાંગળુ આપણો સમય

    ને જીદંગી બેહીસાબ તરસ

    યાદોં સ્મૃતિ અતીત સાવ નકામું

    ફાટેલી આંખોમાં ખ્વાબ તરસ

    તને મોકલી અનરાધાર હેલી

    ને આવે તારો જવાબ તરસ

    જીવાતા શ્વાસો નો આ દબદબો

    ને આપણો અસબાબ તરસ

  24. Ramesh Patel એપ્રિલ 20, 2008 પર 3:49 પી એમ(pm)

    સંકટ મોચન
    અંજની જાયો કેસરી નંદન ,ભગવદ ભક્ત મહાન
    બાળા નામ છે સુંદર, સમરીએ કર જોડી હનુમાન
    જન્મ સાથે પરાક્રમ પ્રગટે, બળ બુધ્ધિ અમાપ
    ચૈત્ર પૂનમે અવતરીયા, પવન પુત્ર પ્રખ્યાત

    સરપાવ દીધા દેવ ગણોએ,કરવા જગ હીતકારી કામ
    ગતિ સામર્થ્ય ગરુડરાજનું, અંજની સુત મહાન
    ઋષ્યક પર્વતે શુભ મિલને, પુલકિત કેસરી નંદ
    પૃથ્વી પટે ભાર ઉતરશે, પ્રભુ સંગ શોભે બજરંગ

    વાત સુણી સીતાજી હરણની,સંચર્યા દક્ષિણ દેશ
    સીતામાતાની ભાળ કાજે ધરીયું રુપ વિશેષ
    વીર મારુતીની ભક્તિ શક્તિ,કંપ્યો મહેન્દ્ર ગિરિવર
    વાયુવેગે આકાશે વિચરે,રામ મુદ્રા સંગ કપિવીર

    છાયા પકડી લક્ષ્ય શોધતી સિંહકાને સંહારી
    કર્યો પરાભવ લંકાદેવીનો,હુંકાર ભરિયો લંકા નગરી
    શુરવીરોને દીધો પરિચય, હણ્યા ધુમ્રાક્ષ નિકુંભ
    અક્ષયરાજને પળમાં રોળ્યો, સેના શોધે શરણ

    ઈન્દ્ર જિતના બ્રહ્મપાશે બંધાયા, મુક્ત થઈને કીધો પ્રતિશોધ
    રાવણરાજની સભા મધ્યે, રામ દુતે દીધો મહા ભોધ
    પૂંછ પર લપેટી અગન જ્વાળ, કીધું લંકાનગરી દહન
    સીતામાતને રામ મુદ્રા આપી પૂછ્યા ક્ષેમ કુશળ

    પ્રભુ રામે સમરીયા સદાશીવ, રામેશ્વરે દીધા આશિષ
    રાજ તિલકે શોભે વિભીષણ,અટલ વિશ્વાસુ છે રઘુવીર
    સુગ્રીવ સેના જાણે સાગર, ભક્તિભાવે ભીંજાયે ધીર
    રામ કાજ કરવા અંગદ સંગ, હનુમંત દીસે વીરોના વીર

    નલ નીલ બજરંગી સેના, બાંધે સેતુ સાગરે રમતાં
    પથ્થર પાણી પર તરતા, નીંદર છોડી લંકેશ ભમતા
    કુંભકર્ણ માયાવી ઇન્દ્રજીત, યુધ્ધે દીશે અતી દુષ્કર
    અતિ સંહારી પ્રલય શક્તિથી,વેરે વિનાશ અવની અંબર

    મેઘનાદ રચે માયાવી જાળ, ઘવાયા રણમધ્યે લક્ષ્મણ ભ્રાત
    મૂર્છિત લક્ષ્મન શોકાતુર રામ,વિશાદનાં વાદળ ઘેરાયાં આજ
    ઔષધી સહ ઊંચક્યો પર્વત,મૃત સંજીવનિ લાવ્યા હનુમંત
    સંકટ ઘેરા પળમાં ટાળ્યા, યુધ્ધે ટંકાર કરે લક્ષ્મણ

    રામ પ્રભુનો ધનુષ્ય ટંકાર, કંપે દિશાઓ અપરંપાર
    સેવક ધર્મ બજાવે હનુમંત, જામ્યો સંગ્રામ કંપે સંસાર
    યુધ્ધ કૌશલ્ય રામનું અમાપ,હણ્યો દશાનન કુંભકર્ણ સાથ
    હનુમંત સુગ્રીવ વિજય વધાવે, ધર્મ પથ પર વરસે પુષ્પ

    રામ મુખે વહી પ્રશસ્તી, પરમવીર છે પવન પુત્ર
    વીર મારુતી થકી મળીયા, ભાઈ ભાર્યાને મિત્ર

    રામ કથા સંસારે ગવાશે ,અમરપટ ભોગવશે હનુમંત વીર
    શ્રીફળ સિંદૂર આકડાના ફૂલે, રીઝશે મહા મારુતી ધીર
    સીતામાતાએ દીધું સૌભાગ્ય સીંદૂર, આપત્તી ના આવે તમ પાસ
    અયોધ્યા મધ્યે હનુમાન ગઢીમાં, આજ પણ પ્રગટે તમારો વાસ

    સ્નેહે સમરીએ સંકટ મોચન, પ્રત્યક્ષ પરચો પામે ગુણીજન
    પંચાયતમાં સ્થાન તમારું, ભગવંત સંગ શોભે હનુમંત
    રમેશ પટેલ(આકાશદીપ)

  25. Ramesh Patel એપ્રિલ 26, 2008 પર 1:31 પી એમ(pm)

    Shri Sureshbhai,
    Dedicated, on the day of Gujarat ,First MAy(for kavyasoor)
    યશવંતી ગુજરાત
    ગુણીયલ ગુર્જર ગીરા અમારી, ગૌરવવંતા ગાન
    સ્નેહ સમર્પણ શૌર્ય શાન્તીના દીધા અમને પાઠ
    રાજવી સાક્ષર સંત મહાજન , ધરે રસવંતા થાળ
    જય જય યશવંતી ગુજરાત ,શોભે યશચંદ્ર તવ ભાલ

    જનમ્યા ગુર્જર દેશ ,સંસ્કૃતિના ખીલ્યા છે ગુલદસ્ત
    તવ રંગે સોડ્મે ખીલ્યાં, મઘમઘતાં માનવ પુષ્પ
    વિશ્વ પથ દર્શક ગાંધી ગરવો, ગુર્જર સપૂત મહાન
    ધન્ય ધન્ય ગુર્જરી માત ,તવ ચરણે મલ્યો અવતાર

    રમ્ય ડુંગરા સરિતા મલકે, ધરતી ઘણી રસાળ
    ગરબે ઝગમગે જીવન દીપને, જગત જનની નો સાથ
    ધરતી મારી કુબેર ભંડારી,ભરશું પ્રગતિ સોપાન
    જય જય રંગીલી ગુજરાત, શોભે યશચંદ્ર તવ ભાલ

    રત્નાકર ગરજે ગુર્જર દ્વારે, કરે શૌર્ય લલકાર
    મૈયા નર્મદા પુનિત દર્શિની, ભરે અન્ન ભંડાર
    માત મહિસાગર મહિમાવંતી, તાપી તેજ પ્રતાપ
    જય જય રસવંતી ગુજરાત,ધન્ય ધન્ય ગુર્જરી માત

    પાવન તીર્થ ,તીર્થંકરની કરુણા,અર્પે ગ્યાન અમાપ
    અનુપમ તારી શાખ ઝગમગે,જાણે તારલિયાની ભાત
    સહજાનંદ યોગેશ્વર વસે અંતરે,સુખદાતા મીરાં દાતાર
    વહાલો વલ્લભ સરદાર ,ગજવે ગગને જય સોમનાથ
    ધન્ય ધન્ય ગુર્જરી માત , શોભે યશચંદ્ર તવ ભાલ

    ભારતવર્ષે પરમ પ્રકાશે, જાણે હસ્તી પર અંબાડી
    સપ્ત સમંદર સવારી અમારી, દરિયા દિલ વિશ્વાસી
    ધન્ય ધીંગી ધરા સલૂણી, પુણ્ય પ્રતાપી રંગ
    ‘આકાશદીપ’ વંદે ગિરા ગુર્જરી છાયો પ્રેમ અનંત
    તારે ચરણે નમીએ માત,આશિષ માગે તારાં બાળ
    ધન્ય ધન્ય ગુર્જરી માત, શોભે યશચંદ્ર તવ ભાલ(૨)

    રમેશ પટેલ(આકાશદીપ)

  26. jayeshupadhyaya એપ્રિલ 30, 2008 પર 7:57 એ એમ (am)

    પ્રિય
    માન્યું કે હું
    તડકા માં શેકાઇ રહ્યો છું
    પણ
    તું
    તો જે દીવાલના
    છાંયે ઉભી છે
    એતો ક્યારનીય
    તુટુ તુટુ થાય છે

  27. Ramesh Patel મે 6, 2008 પર 12:40 પી એમ(pm)

    Shri Sureshbhai
    vatanani yad ..tamarathaki for..kavyasoor
    ચરોતરી ફોરમ
    ચરણ ચારુ રત્નોના પડે ,ને મહાસાગર માર્ગો ચીંધે
    પુનમની ચાંદની બની ખીલે આભે , તેને કોણ સીમાડે રોકી શકે?

    ઝગમગ સેવા કાર્યોથી મ્હેંકે સવાયા જેના અંતરા
    છે રુડી ચરોતરની ધરા જાણે સોના ઉર્વરા

    શોભતા સાબર શેઢી મોહરના વનરાજી ને કોતરો
    મહીસાગર વાત્રકના પુનીત જલથી છલકે તેના ખેતરો

    સ્વપ્ન દૃષ્ટા સાહસીઓ જગવે નશીબ જગના પુરૂષાર્થે
    સ્વેત ક્રાન્તિની મિશાલે ભારતે દૂધની ગંગા વહે

    ફૂલની ફોરમ બની, ગાજ્યો વલ્લભ ગાંધી સંગ
    ભાઈ ભીખાનું વિધ્યાનગર ગર્વથી સજાવે નવયુગી રંગ

    સપ્ત ખંડે શોભે થઈ ગરીમા , સાહસી ચરોતરી રતન
    શાણા ઉદાર સત્સંગી , દાનવીરોના પૂણ્યે તપે વતન

    રમેશ પટેલ(આકાશદીપ)

  28. Ramesh Patel મે 11, 2008 પર 11:49 એ એમ (am)

    Shri Sureshabhaai,
    aavo halaka thaiae..for kaavyasoor
    વદે રાઈનો દાણો
    ના જાણજો મુજને નાનો, વદે રાઈનો દાણો
    ધ્રુજે બ્રહ્માંડ ઉર્જા વિસ્ફોટે, એ પરમાણું નાનો

    નાના બુંદને કહી બાપડું, રખે તમે રે હસતા
    મહાસાગર થઈ બાપ સવાયા સિંહ સમા ગરજતા

    તમે માનો એટલા સૌને નાના ના સમજતા
    વિશાળ વ્યોમને ભેગા મળીને ભરતા નાના તારા

    નાનાં નાનાં પગલાં ને વળી પંખ પંખીની નાની
    સાત સાગરને લાંબી ડગરો લાગે તેને ટૂંકી

    નાજુક નમણાં નાના અંકુરો રઝળે ઠોકર ખાતા
    જળથળના સથવારે અજબ ગજબના ખેલ કરે રુપાળા

    નથી જગે કોઈ નાનું ભાઈલા, સત્ય લેજો સ્વીકારી
    સૂક્ષ્મમાં સંચીત વિરાટ શક્તિ એ પરમેસ્વરને પ્યારી

    હળવા હલકા થાવ અંતરથી, ભલે કહે સૌ નાના
    મોટા એવા કરશે પ્રભુજી,સમાશે સર્વ અજવાળા

    રમેશ પટેલ(આકાશદીપ)

  29. Ramesh Patel મે 12, 2008 પર 11:35 એ એમ (am)

    બીચારું ભૂલકું
    દફ્તર પાટીને દિધી છૂટ્ટી,હલકા ફૂલકા થઈ રમશું માડી
    ધીંગા મસ્તી નદીની રેતી, ઝૂલવું હવે પીપળની ડાળી
    રજાની મજા લીમડાની છાયા, ગીલ્લી દંડા સંગ રમશું લખોટી
    બાળપણ વ્હાલું રમતું ન્યારું, હરખે કરશું વેકેશન ઉજાણી

    ઓટલે બેસી વડીલ વીચારે,ભૂલકાંની બેહાલી
    શાળાની છૂટ્ટી ,વીકાસ વ્યાધીએ હાય કેવી લૂંટી

    વિજ્ઞાન યુગમાં માનવ તને દીઠો યંત્ર જ થાતાં
    વેકેશન વર્ગના ભરમાળે બીચારા બાળારાજા ફસાણા

    હરીફાઈ ક્રીએટીવના ખ્યાલોમાં બાળપણ નંદવાયું
    પ્રકૃતી ખોળે રમતા ઝૂમતા હરખવાનું ભૂલાયું

    ભોળા શીશુ ભોળી નાદાની, ગમે ધીંગા મસ્તી
    નવા જમાને છીનવી લીધી, બાળપણની મહામૂડી

    રમેશ પટેલ(આકાશદીપ)

  30. Ramesh Patel જૂન 6, 2008 પર 11:42 એ એમ (am)

    ભલે ભલો

    ભલે બ્રહ્માંડે ખપતો પ્રખર ઝગમગતો સૂરજ
    લાગે ભલો સ્વજન આ દિપક અજવાળતો ઘરખૂણો

    ભલે વિહરે આભે મોટા થવા ગરજતા વાદળો
    લાગે ભલા ધરણીને મેઘ વરસતા ઘર આંગણે

    ભલે પૂંજાય ઘૂઘવતી સરીતા કરતી લીલાછમ ખેતરો
    લાગે ભલું નાનકું ઝરણું જીવન મલકાવતું ડુંગરે

    ભલે સૌંદર્યથી મઢે મલકાતા પુષ્પો જગને ઉપવને
    લાગે ભલી સૌને પ્રભુ ચરણે રમતી શ્રધ્ધા પાંદડી

    ભલે ગજવો ભજન સંગીત ગાજીગાજી ચારે દીશ
    સાંભળે ભલો મૌનની ભાષા કાન દઈ મારો ઈશ

    ભલે ખનખન ધ્વની લાગે વ્હાલા હેમરત્નના
    મીઠો ભલો રણકાર માણું ટપટપ રોટલે માવડીના

    ભલે જમાનો ઘૂમતો ધરીને વેશ રોજ જુદાજુદા
    દિઠો ભલો વિસામો તો એક હરિવડના આશરે

    રમેશ પટેલ (આકાશદીપ)

  31. Ramesh Patel જૂન 18, 2008 પર 11:45 એ એમ (am)

    Shri Sureshbhai
    Rakshaa bandhana aavi.શ્રાવણી પૂનમ

    શ્રાવણી પૂનમે હસતા ઉપવન
    સ્નેહ સુમનથી મહેંકે આંગણ
    આંખ ધરે, પ્રેમ મોતીના થાળા
    કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
    ફૂલ હસે ને હસે બહેનડી
    તારા હસે ને હસે ભાઈલો
    સ્નેહે છલક્યા સરોવર સારા
    કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
    ઝરમર વરસે મેઘ આભલે
    બહેનનાં હૈયાં હરખે હેતે
    મીલન મધુરાં મોંઘાં ભાળ્યાં
    કે આજ ખીલ્યાં પૂનમનાં અજવાળાં
    રેશમનો દોરો સ્નેહનો ગોટો
    ભાલે તીલક કરી હેતે બાંધ્યો
    આરતી કરે સ્નેહ ફૂવારા
    કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
    ખોલ રે મુખ, ઓ મારા ફૂલ
    આશીષ પ્રસાદે ઓવારું સુખ
    જુગજુગ જીવજો ભાઈલા મારા
    કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
    મંગલ જોડી ભાઈ બહેનની
    વીરો પૂરસે આશડી તારી
    છલકાવું અમર પ્રેમના પ્યાલા
    કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

    રમેશ પટેલ (આકાશદીપ)

  32. Ramesh Patel જૂન 19, 2008 પર 12:01 પી એમ(pm)

    મહાનામ

    ધોમ ધખંતા તાપમાં કરતો, ખેડૂત ખંતથી કામ

    ધરતી માતને વંદન કરતાં,પાતો પુરુષાર્થનાં પાન

    ગગન દ્વારથી નીરખે વિધાતા,જગત તાતની લીલા

    પરસેવાની પૂણ્ય કમાણી,કર્મ એજ ભક્તિની ધારા

    પૂછે પાલનહાર અંતર પટે, તારે કેટલું ખાવું?

    શાને કાજે આટલી મહેનત, ધૂપ વરસાદમાં ન્હાવું?

    બોલ્યો ખેડૂત મારા વ્હાલા, શાશ્ત્રોને ના સમજું

    અન્નપૂર્ણાની મળે પ્રસાદી, ભરોસે હાંકુ ગાડું

    ધરતી હરિયાળી વૃક્ષો લહેરે, પંખી કરતાં કલશોર

    મોર ગોર ને પશુધન પહેલાં,કરવા હરિજનના સત્કાર

    ભક્તિ વંદના સાંજ સવારે, થાકે બોલે હે રામ

    ચિત્રગુપ્તે ચોપડે નોંધ્યું ,શ્રી ગણેશ પછી મહાનામ

    વૈકુંઠે લાગીકતારને, રાજરાજેશ્વર કરતા રે વિચાર

    યગ્ય્ન દાન લાખોનાં કિધાં, ક્યાં સંતાયું અમ નામ?

    પીઠ થાબડી શ્રી હરિ બોલ્યા, ભેદ ઉકેલ્યા ભારી

    ભૂખે સૂઈ ભગવદ્ કામ કીધા, આપ બડાઈ ના કીધી

    નથી સવાયો કોઈ તાતથી, ભોળી એની ભક્તિ

    આંખે ઉભરે વ્હાલના વારિ, હૈયે ધરણી ધરની મરજી

    રમેશ પટેલ (આકાશદીપ)

  33. Ramesh Patel જૂન 24, 2008 પર 11:32 એ એમ (am)

    હીંડોળા
    નયન રમ્ય હીંડોળે પ્રેમથી ઝૂલાવીએ
    ઝૂલોને નંદના લાલ,
    મારે આંગણીયે આનંદ ગુલાલ

    આવ્યો અષાઢ લઈ મંગલ મલકાટ
    ચાંદી હીંડોળે નંદાલયે ઝૂલે નંદલાલ
    પધારી ઠાકોરજી કરજો રે વ્હાલ
    મારે આંગણીયે આનંદ ગુલાલ

    નોમ અષાઢી વદે હરખે ગિરીરાજ
    ઝૂલા શણગાર્યા ઊંચે વૃક્ષોની ડાળ
    ગિરી કુંજ ભક્તિથી રીઝવે ગોપાલ
    મારે આંગણીયે આનંદ ગુલાલ

    શ્રાવણ સુદ નોંમે ઘેલાં યમુનાજી
    ઝૂલે કદમની ડાળ નાના ઠાકોરજી
    ભાગ્યવંતો નીરખે જશોદાનો લાલ
    મારે આંગણીયે આનંદ ગુલાલ

    શ્રાવણ ભાદોના હીંડોળા મનભાવન
    પ્રભુની સન્મુખ પધાર્યા રે શ્રાવણ
    ટહૂંકે કોયલ ને વેર મોરલો કામણ
    ચમકે વીજ ને હરખે હરિલાલ
    મારે આંગણીયે આનંદ ગુલાલ

    આવોને ઝૂલે ઝૂલાવીએ નંદલાલ
    વૃન્દાવન કામવન ઉછાળે ગુલાલ
    વ્રજ ગોવર્ધન શણગારે લાલ
    મારે આંગણીયે આનંદ ગુલાલ

    રમેશ પટેલ(આકાશદીપ)

  34. Neil Patel જુલાઇ 1, 2008 પર 11:51 એ એમ (am)

    Shri Janidada
    Waitng for more poems.I am always enjoying kaavyasoor.

    Neil Patel

  35. Ramesh Patel જુલાઇ 2, 2008 પર 4:56 પી એમ(pm)

    શ્રી ભગવાન

    ચૌદલોકના અધિપતિ અવતરિયા, ઘેલુંકીધું ગોકુળિયું ગામ
    મોર મુગટ પીતામ્બર શોભે, મનમોહક છે સુંદર શ્યામ

    બાળ કનૈયો રુપ રુપૈયો, નટખટ નાનો નંદ કિશોર
    સ્નેહ સૂરનો બંસી બજૈયો,શુધ-બુધ ભૂલે વ્રજની નાર

    મુખ મનોહર કામણ ગારું, વૃન્દાવનનો વરસે પ્યાર
    ઘેલી ગોપી ,ગાય વાછરડુ, જશોદાજી છલકાવે વ્હાલ

    માખણ આરોગી થનથન નાચે,ગોપસખાનો કાનો આજ
    યમુના તટે કદમ્બની ડાળે, બજાવે બંસી રાધેશ્યામ

    સુદર્શન હણે આતતાયી,કલ્યાણ યુધ્ધની કીધી વાત
    ધર્મ યુધ્ધની દેતાં દુહાઈ,અર્જુનને દીધું ગીતા ગ્નાન

    મિત્ર સુદામાને સ્નેહે ભેટે, ગુંજે જગે પંચજન્ય શંખનાદ
    યુગ યુગોથી યોગેશ્વરની માયા, ભાવે ભજે સહુ શ્રીભગવાન

    રાસવિહારી રાસ રચાયે, નિર્મળ ભક્તિથી ઝૂમે નરનાર
    શ્રીહરિ દર્શને ઠરસે અંતર, રીઝ્યા શ્રીજી, પૂણ્ય અપાર

    રમેશ પટેલ(આકાશદીપ)

  36. Ramesh Patel જુલાઇ 3, 2008 પર 3:55 પી એમ(pm)

    પંચવટી
    હું રે પંચવટી રાજા રામની,મંગલકારી ધરણી ભારત ભોમની
    ચરણ રજ હૈયે ધરી , પ્રભુતા પખાળે માત ગોદાવરી

    રામ રાવણના રે ભેદ, અમે નીરખ્યા ભરી આંખડી
    ભારતવર્ષના પલટ્યા રે ભાગ્ય, વદુ હરખે રુડી વાતડી

    પ્રતિગ્યા પાલક અયોધ્યા રાજવી, સાથે ભ્રાતા લક્ષમણ વીર
    ધનુષ્ય બાણે શોભે રામજી, બનાવે અભય અરણ્યને ધીર

    પુષ્પો પંખી લાગે પ્રેમડાં,સીતા રામના વરસે રે સ્નેહ
    નગરનાં સુખ લાગ્યાં વામણાં,જંગલના મંગલ દિશે રે વેશ

    મોહીત શૂર્પંણખા વને ભમતી,ગર્વે ધસી કરે રે ધૃષ્ટતા
    કોપિત લક્ષમણે દિધા દંડદા, લંકા જઈ નાખે રે ધા

    તપસ્વી વેષે રાવણ આવીયો,સીતા હરણના ખેલ્યા રે દાવ
    થયો મારીચ સોના મૃગલો,પાથરી આસુરી માયાનો પ્રભાવ

    ભૂલ્યો રે ભાન અભિમાની અંતમાં,ના ઓળખી વિનાશની આગ
    જલાવી લંકા ભક્ત હનુમાને, રામ મુદ્રા દઈ આપી પહેચાન

    કપિગણે રામસેતુ રચીયો,સાગર ઓળંગી આવ્યા લંકા દ્વાર
    રોળ્યો રાવણ વિજયા દશમીએ,ધર્મ ધ્વજા ફરકાવી સંસાર

    વંદે પરમ ભાગ્યને પંચવટી,તવ ચરણે તીર્થ પ્રગટ્યા યુગાવતરી
    ધન્ય ધન્ય પંચવટી રાજા રામની,ભાવે થઈતું ચરણ અનુરાગિણી

    રમેશ પટેલ(આકાશદીપ)

  37. Ramesh Patel જુલાઇ 16, 2008 પર 10:57 એ એમ (am)

    Shri Shreshbhai
    aavo bhulakane motakari aagalvadhie
    … .. સજાવી જાયછે
    ગડગડાટ આભલે વાદળોની શક્તિથી સરજાય છે
    કંદરાના પડઘા મફતમાં હુંકારા ધરી જાય છે
    લાવ લાવની લતે સાગર ખારો થઈ પસ્તાય છે
    ન્યોછાવરી મેઘો લીલોતરીની પ્રસાદી પીરસી જાય છે

    છળકપટી જાદુ જમાનાનો સઘળે વરતાય છે
    ઢોળના દાગીના સુર્વણ ભાવે વેચાઈ જાય છે
    સાચા ફૂલો થયા જે બીચારા તવાયે શેકાય છે
    કાગળના ફૂલો મહેફીલના રંગો માણી જાય છે

    દ્વારે ઊભા ભગવાન સામે કમાડ બંધ થાય છે
    થાપ દઈ શ્રધાને પાખંડી ખુદ પૂંજાઈ જાય છે
    રંગમાં રંગ ભળે તો વસંત ખીલી જાય છે
    માનવમાં માનવતા ખીલે તો પ્રભુતા પ્રગટી જાય છે

    આકાશદીપ ગ્રહણ દોષે વિષાદી વરતાય છે
    થઈ સપ્તરંગી વિજ ઉત્સવો સજાવી જાય છે

    રમેશ પટેલ(આકાશદીપ)

  38. Ramesh. Patel જુલાઇ 30, 2008 પર 10:46 એ એમ (am)

    …..ચાહને ગૂંજાવતું રમે
    હોય અંધારી રાત પણ સામે મનગમતો ચાંદો ખીલે
    રાતરાણી થઇ મ્હેંકી ઊઠું ને આકાશ નાનું પડે

    સાગર કિનારે અટૂલો એકલો હું ને આવી મોંજાં ઉછળે
    પામું સ્નેહ કુંભ ને મન મંથને અમી સીચું બધે

    વિટંબણાના ચક્રવ્યૂહે પથ્થર દિલે હું નીશદિન ઘૂમું
    આવું ઘરે ને શીરે માયાળું માવડીના હાથું ફરે

    પાનખરે નીરખું સુકી ડાળ ને એક કૂંપળ ફૂટે
    જીવન પુષ્પો એવાં ખીલે કે પ્રભુનું શરણું મળે

    પ્રગટાવું દીપ ગોખલે ને સાથે જલાવું ધૂપસળી
    હૃદયના ભાવ છલકે અશ્રુથી ને હરિ વૈકુંઠડું ભૂલે

    કોઈ એવું સામું મળે કે ભાવથી ભેટી પડે
    હસી હસાવી માંહ્યલાને ચાહથી ગૂંજાવતું રમે

    કરતાલ આવે હાથ ને છેડું મલ્હાર આભલે
    ઝીલું ઝીલું મેઘો એવો કે યૌવન હરખડું જલે

    રમેશ પટેલ(આકાશદીપ)

  39. Ramesh Patel ઓગસ્ટ 22, 2008 પર 10:25 એ એમ (am)

    ધન્ય અભિનવ

    વતનની શાન ત્રિરંગો રાષ્ટ્ર ધુને આકાશે ફરફરે

    ઓલમ્પિકના સુવર્ણ ઈલકાબે ધન્ય અભિનવ મલકી ઊઠે

    એક સુરજ ઝળહળે ને આભલું ઝગમગી ઊઠે

    એક લાડલા અભિનવના કીર્તિમાને ભારત મલકી ઊઠે

    એક ચંદ્રની રોશનીથી સાત સમંદર હેલે ચઢે

    એક અભિનવના નિશાને લક્ષ કોટિ દિલ મલકી ઊઠે

    એક કોહીનૂર રત્ન ભંડારે પહાડ નૂરનો દીસે

    એક અભિનવ દેશનો શીર મુગટ થઈ મલકી ઊઠે

    એક ગુલાબનું ફૂલ રાજ રાજેશ્વર સમ ખીલે

    એક અભિનવ ના પુરુષાર્થે ભારત વર્ષ મ્હેંકી ઊઠે

    રમેશ પટેલ(આકાશદીપ)
    Shri Sureshbhai
    For kaavyasoor

  40. Ramesh Patel ઓગસ્ટ 23, 2008 પર 3:23 પી એમ(pm)

    ગુજરાતી છોગાળા

    અમે તમારા તમે અમારા

    વિશ્વે રમીએ થઈ રુપાળા

    છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા

    દીધું દાતાએ ભરી તિજોરી

    હરખે કરીએ મહેમાન નવાજી

    વહે દાન પૂણ્યની ધારા

    છીએ અમે ભાઈ ગુજરાર્તી છોગાળા

    રાષ્ટ્ર પ્રેમથી ધરણી છલકે

    વલ્લભ ગાંધી વદતાં મલકે

    સિંહની ધરણીના અમે લાલા

    છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા

    પૂણ્ય ભુમિ સુખ દુખના સંગાથી

    સપ્ત સમંદર સવારી અમારી

    આયખે સાહસના સથવારા

    છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા

    ધરતી મેઘના મિલન મધુરાં

    એવા સ્નેહના બંધન અમારા

    ફતેહના ડંકા સદાએ દેતા

    જન્મ ભૂમિના રતન રુપાળા

    છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા

    રમેશ પટેલ(આકાશદીપ)

  41. Ramesh Patel ઓગસ્ટ 29, 2008 પર 11:56 એ એમ (am)

    પુણ્ય પ્રસાદ

    ઢોલ ધબૂક્યા વૃન્દાવનમાં ,શરદ પૂનમની ખીલી રાત

    ગોપ ગોપીઓની નિર્મળ ભક્તિ,કાના સંગ સૌને રમવો રાસ

    ઝટઝટ વાળું લીધું આટોપી,દોડ્યૂં ગોકુળ વૃન્દાવન વાટ

    વરસી વ્યોમથી અમૃત હેલી,પ્રગટ પ્રભુનો પામવા પ્યાર

    શીતળ સમીરના વીંઝણા વાયે,છૂપાયો નટખટ રઢિયાળી રાત

    બહાવરાં નૈન શોધે વ્રજનાર,શ્રી હરિ સંગે રમવોછે રાસ

    ગામ ઘેલું થઈ પૂછતું વાત,નથી ફોડી મટકી કાનાએ આજ

    નથી લૂંટ્યા માખણનાં દાન,બોલો જશોદાજી ક્યાં છૂપાયો કાન

    હસતી રાધા કહે શ્યામને,કેમકરી સૌ સંગ રમશો રાસ?

    રુસણાં લેશે ગોપગોપીઓ,કેમ રીઝવશો સૌને શ્યામ?

    પીળાં પીતામ્બર જરકશી ઝામા, મધરાતે વાયા વેણુના નાદ

    લીન થયા બ્રહ્મનાદે ગુણીજન,ભૂલ્યાં વિરહમાં દેહનાં ભાન

    રાસ ભક્યિમાં મગન વ્રજવાસી,દીઠો જોડીધર જગદીશ સૌ સંગ

    સ્નેહ ભક્તિનો રાસ રચાયો, મન ભરી માધવે છલકાવ્યો રંગ

    ગગન ગોખથી નીરખે યોગમાયા, બહુ રુપ ધરી કાનો રમતો રાસ

    છોગાળો લાલો લાગે વહાલો, ભગવત કૃપાનો ધરિયો થાળ

    રમેશ પટેલ(આઅકાશદીપ)

  42. Ramesh Patel સપ્ટેમ્બર 21, 2008 પર 12:10 પી એમ(pm)

    પ્રેમને રે પંથ

    એકવાર ભૂરા આકાશ નીચે,

    એકાંતમાં ઘૂઘવ્યુંતું પૂર

    ભૂરી આંખોમાં ભાળીને હેત

    ઉમટ્યાતા વાદળના નૂર

    પ્રથમ નઝરે બંધાણી પ્રીતડીને,

    ભાગ્યે દિધી અણમોલ ભેટ

    પગલામાં માણ્યા મીઠા રણકારને

    નયનોમાં ચમક્યા રે હેત

    વસંતને બોલાવવા ગોત્યાં રે ગીતડાં

    મન મંદિરમાં વાગ્યા રે ઘંટ

    દુનિયાને સજાવી લઈ રંગોળીને

    અમે દોડ્યા રે પ્રેમને રે પંથ

    આંખોમાં નાચ્યો કળાયેલ મોરલો

    વિના મેઘે ગાજ્યા ગગન

    ઉરના ગોખેથી બોલી કોયલડી

    ને ભાન ભૂલ્યા પ્રેમે સજન

    આવ્યા શ્રાવણ આભલે હરખતા

    ભીંજાયા જોડવા રે નાતો

    સાત જનમનો શોધ્યો સથવારો

    તોય લોકમુખે વહી ભૂંડી વાતો

    રમેશ પટેલ(આકાશદીપ)

  43. Bhavesh ઓક્ટોબર 6, 2008 પર 12:32 એ એમ (am)

    Are you interested to exchage the link?
    please send me mail @ iambhavinbhvsar@yhoo.com

  44. wahgujarat નવેમ્બર 2, 2008 પર 6:06 એ એમ (am)

    કેમ છો… મજામાં,
    ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ http://www.wahgujarat.com નવા રંગ-રૂપ અને આપની મદદથી રજુ કરેલ છે, તો http://www.wahgujarat.com ” ગુજરાતી સાયબર વિસામો ” બની રહેશે કે કેમ ? તે વીશે આપના બ્‍લોગ પર એક પોસ્‍ટ ત્‍થા લીંક મુકવા વિનંતી.
    ( સંજય બાપુ, અમરેલી. )

  45. dhufari એપ્રિલ 16, 2009 પર 12:37 પી એમ(pm)

    ભુલાવા લાગેલા આપણા છદ શાસ્ત્ર તરફ એક અંગુલિનિર્દેશ.

    આજ એ ફોર એપલનો જમાનો છે,દિવસા દિવસ ગુજરાતીનો એકડો નીકળતો જાય છે આજે એક વત્તા એક માટે પણ કેલક્યુલેટર વાપરનારા જુવાનોની એક જમાત ઊભી છે.એક જમાનો હતો જ્યારે એકડે એક થી ચાલીસ સુધી અને પા થી ઊઠા સુધી મોપાઠ શિખવાડવામાં આવતા જેથી સામાન્ય હિસાબ મોઢે કરી શકાતા.એ જમાનામાં આપણા મોટા ગજાના સાહિત્યકારોની અમરકૃતિઓ કવિતા તરિકે પાઠ્યપુસ્તકોમાં ચાલતી જેમાં વપરાયેલા છેંદોનું જ્ઞાન વર્ગ શિક્ષકોને રહેતું.પહેલાં કવિતા સ્વયં ગાતા અને ભાવર્થ સમજાવતા ત્યાર બાદ વિદ્યાર્થિ પાસેથી ગવાડાવી ગાતા શિખડાવતા.આજે ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં એવું કંઇ દેખાય છે?
    આજે કેટલાને શિખરિણી,અનુષ્ટુપ,વસંતતિલકા,મંદાક્રાંતા,માલિની,હરિણી,ચોપાઇ જેવા છંદ યાદ હશે એ હું નથી જાણતો પણ કેટલાક ઉદાહરણોથી અંગુલિનિર્દેશ કરવાનો પ્રયાસ માત્ર કરૂ છું.મારા આ લેખમાં ઘણા એવા કાવ્ય આવશે જે પ્રચલિત તો હશે પણ એ ક્યા છંદમાં લખાયલા છે એ લોકો નહિ જાણતા હોય.ગંધર્વ પુષ્પદંતે મદાંધ થઇને ભૂલથી શિવ નિર્માલ્ય(બિલીપત્ર)પર પગ મુકી દિધો ત્યારે શાપિત પુષ્પદંતે ભગવાન શિવને રીજવવા જે કાવ્યનું સર્જન કર્યુ તેને શિવ મહિમ્ન સ્તોત્ર કહેવાય છે.જેમાં તેણે શરૂઆતના શ્લોકથી ૨૯માં સુધી ના શ્લોક શિખરિણી છંદમાં રચેલ છે,શ્લોક ૩૦તથા ૩૧ હરિણી છંદમાં રચેલ છે.શ્લોક ૩૨ થી ૩૪ તથા ૩૭,૩૮,૪૩ માલિની છંદમાં રચેલ છે.શ્લોક ૩૫,૩૬,૩૯થી૪૧ અનુષ્ટુપ છંદમાં રચેલ છે.જ્યારે શ્લોક ૪૨ વસંતતિલકામાં રચેલ છે.શિવની આરાધના તરિકે નહિ પણ છંદના રસાસ્વાદમાણવા માટે તો જરૂર વાંચવા લાયક છે.
    આપણા સદીઓ પુરાણા વેદ,પુરાણ તથા ઉપનિષદના ૮૫ થી ૯૦ ટકાના શ્લોકો અનુષ્ટુપ છંદમાં રચાયેલા છે.જરા ગીતાના બીજા અધ્યાયના ૨૩મા,૪૭મા અને ૬૯મા પ્રચલિત શ્લોકોને યાદ કરો
    (૨૩)”નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ
    ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ”
    (૪૭)”કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન
    મા કર્મફલહેતુર્ભૂર્મા તે સઙ્ગોસ્ત્વકર્મણિ”
    (૬૯)”યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી
    યસ્યાં જાગર્તિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુનેઃ
    આ બધી રચનાઓ અનુષ્ટુપ છંદ છે.એવા જ એક પ્રચલિત છંદ યાદ કરો શિવ મહિમ્ન સ્તોત્રનો ૩૨મો શ્લોક
    “અસિતગિરિસમં સ્યાત્કજ્જલં સિંધુપાત્રે
    સુરતરુવરશાખા લેખની પત્રમુર્વી
    લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલં
    તદપિ તવ ગુણાનામીશ પારં ન યાતિ” આ મલિની છંદ રચના છે.
    કવિશ્રી કલાપિની એક રચનાની બે લીટીઓ
    “રે પંખીડા!સુખથી ચણજો ગીત વા કાંઇ ગાજો
    શાને આવાં,મુજથી ડરીને ખેલ છોડી ઉડો છૉ?” આ મંદાક્રાન્તા છંદ રચના છે.
    કવિશ્રી નર્મદાશંકરની એક રચનાની ચાર લીટીઓ
    “ભુરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમસે પહાડ સરખો
    નદી વચ્ચે ઉભો નિરભયપણે એક સરખો
    દીસ્યો હાર્યો જોધ્ધો,હરિતણું હ્રદે ધ્યાન ધરતો
    સવારે એકાંતે કબીરવડ એ શોક હરતો” આ શિખરિણી છંદ રચના છે
    તેમની જ એક પ્રખ્યાત રચનાની બે લીટીઓ
    “સહુ ચાલો જીતવા જંગ,બ્યૂગલો વાગે,
    યા હોમ કરીને પડો ,ફતેહ છે આગે.” આ લાવણી છંદની રચના છે.
    કવિશ્રી નરસિંહ મહેતાની કેટલીક રચનાઓ
    (૧)”જે ગમે જગતગુરુ દેવ જગદીશને,તે તણો ખરખરો ફોક કરવો
    આપણો ચિંતવ્યો અર્થ કાંઇ નવ સરે,ઉગરે એક ઉદ્વેગ ધરવો”
    (૨)”રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી સાધુ પુરૂષને સુઇ ન રહેવું
    નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ,એક તું એક તું એમ કહેવું” આ પ્રભાત છંદ રચનાઓ
    છે.(જેના લીધે જ કદાચ પ્રભાતિયા કહેવાતા હશે.)
    “પછી શામળીયો બોલીઆ તને સાંભરે રે
    હજી ન્હાનાપણાની પેર મ્હને કેમ વીસરે રે” આ સામગ્રી છંદની રચના છે
    કવિશ્રી અખાભગતની રચનામાંની ચાર પ્રખ્યાત લીટીઓ
    “ત્રિલક કરતાં ત્રેપન વહ્યાં,જપમાળાનાં નાકાં ગયાં
    તીરથ ફરી ફરી થાક્યા ચર્ણ,તોય ન પોતા હરિને શર્ણ
    એક મૂરખને એવી ટેવ,પત્થર એડલા પૂજે દેવ
    પાણીને દેખી કરે સ્નાન,તુલશી દેખી તોડે પાન” આ અખાભગતના છપ્પા છે.
    કવિશ્રી શામળદાસની એક રચના રાવણ અને અંગદ વચ્ચે થયેલ સંવાદની ચાર લીટીઓ
    “ત્ર્યંબક જ્યાં તોડિયો માનતજમોડિયો,છોડિયો ત્યાંથનેધર્મ ધાર્યો
    દુશ્મન જે દાખમાં રાખીઓ કાંખમાં,ખલક એક પાંખમાં હાડ હાર્યો
    કોટિ રાક્ષસ હણ્યા ભય તેના નવ ગણ્યા,વેદભણીઆહવેતારો વારો
    મારવો રંકને લુંટવી લંકને,પાપ ઓસરે રામ મ્હારો.” આ ઝુલણા છંદની રચના છે.
    બીજી રચના રાવણે અંગદને આપેલ જવાબની
    “રાંક જાત તે રત્ન શું ઓળખે,આખર ચૈતન્ય ચાકરનો;
    ગરીબતણે ઘેર પેટ ભરે તે,ઠાઠ શું જાણે ઠાકરનો.
    મેરૂતણો મહિમા નવ દીઠો,કરે વખાણ તે કાંકરનો;
    ખાખરની ખીલોડી અંગદ,સ્વાદ શું જાણે સાકરનો” આ સવૈયો છંદની રચના છે
    કવિશ્રી બાળાશંકર ઉલ્લાસરામની એક પ્રખ્યાત રચનાની બે લીટીઓ
    “ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે,
    ગણ્યું જે પ્યારૂં પ્યારાએ અતિ પ્યારૂં ગણી લેજે. આ ગઝલ છંદની રચના છે.
    અને છેલ્લે સંતકવિ તુલસીદાસની બે લીટીઓ
    “રઘુકુલ રીત સદા ચલી આઈ
    પ્રાણ જાય અરૂ બચન ન જાઇ” આ ચોપાઇ છંદ રચના છે.
    ઉપર આપેલ ઉદાહરણો મારી પાસે એક અતિજર્જરિત સાહિત્ય રત્ન નામનું
    પુસ્તક છે તેના આધારે આપેલ છે.જેની ૧૨મી આવૃતિ ૧૯૨૯માં ઇશ્વરલાલ પ્રાણલાલ ખાનસાહેબ, બી.એ.(હેડમાસ્તર,સાર્વજનિક હાઇસ્કૂલ સુરત દ્વારા ધી ડાયમંડ જ્યુબિલિ પ્રિન્ટીગ પ્રેસમાં પારીખ દેવીદાસ છગનલાલે છાપી પ્રકાશિત કરેલ છે.ત્યારે તેની કિંમત રૂ.૧-૮-૦ હતી.(એટલે રૂ.૧.૫૦પૈસા) મને કોઇ છંદના બંધારણ વિષે ન પુછતાં કારણ કે,તેમાં એની છણાવટ કરવામાં આવેલ નથી અને હું કોઇ મોટો સાહિત્યકાર નથી જે તમને મારી રીતે સમજાવી શકું.
    -અસ્તુ

  46. jjkishor એપ્રિલ 16, 2009 પર 7:28 પી એમ(pm)

    ભગવદ્ ગીતામાંની છંદયોજના માટે મેં એક ખાસ પોસ્ટ મુકી હતી જે આ સાથે મુકું છું. ઉપરાંત આ સાથેની લીંક પણ જોશો તો છંદ વીશે કેટલીક માહીતી મળી રહેશે.
    http://jjkishor.wordpress.com/category/%e0%aa%9b%e0%aa%82%e0%aa%a6-%e0%aa%85%e0%aa%82%e0%aa%97%e0%ab%87/

    ભગવદ્ ગીતામાં છંદ-યોજના.

    ગીતામાં કુલ 701 શ્લોકો છે. આમાંના કુલ 646 શ્લોકો અનુષ્ટુપમાં છે. અર્થાત્ ગીતા લગભગ અનુષ્ટુપમાં જ ગવાઈ છે. પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે 55 શ્લોકો જે અન્ય છંદમાં છે તે સૌથી ઓછા અક્ષરના છંદ ઉપજાતિમાં છે !! વળી ઉપજાતિ એટલે જ મિશ્રછંદ. ગીતાના ઉપજાતિમાં કયા કયા છંદોનું મિશ્રણ છે જાણો છો ? મને તો એમાં ઈન્દ્રવજ્રા,ઉપેન્દ્રવજ્રા, વંશસ્થ વગેરે ઉપરાંત શાલિની પણ જોવા મળ્યો છે ! તમે સૌ પ્રયત્ન કરી જોજો,બીજા મળે છે?

    એટલું જ નહીં પણ ગીતાનો પ્રધાન રસ ભક્તિ, કર્મ અને જ્ઞાનનો મહિમા ગાવામાં રહેલો છે અને એ જ એનું લક્ષ પણ છે. છતાં સમગ્ર ગીતામાં કદાચ એક જ જગ્યાએ જે કંઈ નાટ્યાત્મકતાનો પ્રયોગ થયો છે તે અગિયારમા અધ્યાયમાં, કે જ્યાં કૃષ્ણ અર્જુનને વિરાટ સ્વરુપ બતાવે છે અને સૌથી વિશેષ તો આ અધ્યાયમાં રસવૈવિધ્ય પણ જોવા મળે છે ! આ અધ્યાયમાં વીર, અદ્ભુત, રૌદ્ર અને કરુણ રસ તો મળે છે પરંતુ બીભત્સ રસ પણ જોવા મળે છે !( જુગુપ્સાનો ભાવ બીભત્સરસમાં પરિણમે છે). વિરાટ સ્વરૂપના મોંમાં માનવીનાં ચૂર્ણ થઈ ગયેલાં મસ્તકોનું જે જુગુપ્સાભર્યું વર્ણન છે તે એનું ઉદાહરણ છે.

    પણ મારે જે કહેવું છે તે એ કે આ બધા રસોને વેદવ્યાસે ઉપજાતિ છંદમાં વહાવ્યા છે ! એક બીજું ધ્યાન ખેંચનારું તત્વ પણ અહીં જોઈ લઈએ. વિરાટરૂપદર્શન યોગમાં જ્યારે વિરાટરૂપનું વર્ણન શરુ થાય છે ત્યારે જ ઉપજાતિ આવે છે અને દર્શનને જેવું સમેટી લેવાય છે કે તરત જ અનુષ્ટુપ છંદ આવી જાય છે ! જાણે કે આ રૌદ્રને ઝીલી લેવા માટે જ ઉપજાતિને પ્રયોજવામાં આવ્યો ન હોય !! મિત્રો, ગીતાને મૂલવવાનો આપણો ઉપક્રમ નથી પણ છંદની વાતમાંય જો આ ગ્રંથ આવી જતો હોય તો શા માટે એનો લાભ ન લેવો ?!

  47. Manoj Shah, USA જૂન 28, 2009 પર 8:50 એ એમ (am)

    http://pkunal.wordpress.com/aboutme/
    on this website I looked at your commenO.
    ભાઇ કુણાલ,
    આજે પહેલી વખત તારા બ્લોગ પર ઉર્દુ ડીક્શનેરી જોઇ. એક ન આવડતા શબ્દનો અર્થ પણ મળી ગયો. આની ઉપર કોઇ દેવેનાગરી સ્ક્રીપ્ટ ઉમેરે તો મજા આવી જાય.
    મારા ફેવરીટમાં ચીપકાવી દીધી.
    આભાર
    I feel the following website has answer for you.
    http://www.shabdkosh.com/
    http://geocities.com/urdudict/

  48. પ્રવિણ કે.શ્રીમાળી ઓગસ્ટ 3, 2009 પર 10:26 પી એમ(pm)

    વેરી ગુડ, ખુબ જ સરસ પ્રવૃતિ!! ગુજરાતી ભાષા માટે ની આપણી સેવા અનન્ય છે.
    લાખ-લાખ અભિનંદન !!
    -પ્રવિણ કે.શ્રીમાળી

  49. નાદ-યોગ ડિસેમ્બર 1, 2009 પર 1:19 પી એમ(pm)

    મિત્રો, આપ ને બ્લોગમાં આમંત્રુ છું http://naadyog.wordpress.com/

    મારી હિંચકા યુનિવર્સિટીના પરિપાક રુપે આવતું અજ્ઞાન ઓકી રહ્યો છું.જેના મૂળમાં ચોખામાંથી કુસકી દૂર થઇ જાય ત્યાં સુધી વિષયને તળેઉપર કરવાની ભાવના છે કદાચ જ્ઞાન પ્રાપ્ત કરવાની મારી બાલીશ સમજ્ણ પણ.

    ઇતિહાસ ગવાહ છે કે પ્રશ્નોપનિષદ એ મહર્ષિ પિપલ્લાદ પાસે બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવા ગયેલા છ યુવાન ઋષિઓના પ્રશ્નોનો પરિપાક છે. અને ‘ભગવદ ગીતા’ પણ કૄષ્ણ અને અર્જુનનું પ્રશ્નોપનિષદ. તેવી જ રીતે ‘યોગવસિષ્ઠ’ પણ શ્રી રામ અને વસિષ્ઠ્નો વાર્તાલાપ.

    બસ, આવા ધૂની ખ્યાલ સાથે ન્યાયશાસ્ત્રમાં કહ્યું છે તેમ

    वादे वादे जायते तत्वबोधः તેવા હેતુથી વહેચીને માણવાનો મારો પ્રયત્ન છે. ‘જીવતા પ્રશ્નો’ને વલોવીને, વિવાદમાંથી સંવાદ શોધવાનો પ્રયત્ન છે.આપની સક્રિયતા એ જ મારી અપેક્ષા છે.આપની સમજ-

    સૂચનને અહિંયા પુરતો અવકાશ છે. અવશ્ય આવકારીશ. વિષયનો વિચારસેતુ બંધાય અને વલોવાય તો જ વિશિષ્ઠ ઉપજે. કેમ કે પ્લેટોના કહેવા મુજબ આ સૃષ્ટિ વિચારોની જ તો બનેલી છે.

    પ્રશાંત વિષ્ણુ સોની
    CT, USA

  50. madhu rye સપ્ટેમ્બર 17, 2011 પર 9:43 પી એમ(pm)

    ગુજરાતીમાં નવા વાર્તાકારોને પ્રોત્સાહિત કરવા એક સમયનાં ચાંદની આરામ, સરિતા વગેરે માસિકોની જેમ એક વાર્તામાસિક મમતા, વાર્તાકાર મધુ રાયના સંપાદન હેઠળ ૧૧–૧૧–૧૧થી શરૂ થશે. તે નિમિત્તે એક રૂ. ૫૧,૦૦૦ના પ્રથમ પારિતોષિક સાથે એક વાર્તા હરીફાઈ પણ યોજાઈ છે. વધુ વિગત માટે ઇમેઇલનું સરનામું: mamatamonthly@hotmail.com.
    આ સમાચાર તમારા બ્લોગ ઉપર તેમ જ મિત્રોમાં પ્રસારિત કરવા વિનંતી.

%d bloggers like this: