આજે ઘરમાં લાંબા સમય પછી જરા આનંદનો, આરામનો માહોલ હતો. પ્રસન્નનું સત્ર બે દિવસ પહેલા સમાપ્ત થયું અને પિંકીની પરીક્ષાઓ પણ કાલે પૂરી થઈ એટલે જાણે ઘર પરથી અને છોકરાઓના મન પરથી કેટલોય બોજ ઉતરી ગયો હોય એવું હળવું ફૂલ જેવું વાતાવરણ હતુ. હવે પરિણામની ચિંતા થોડા દિવસ સુધી આગળ ઠેલીને આઝાદી માણવાના દિવસો શરૂ થયા હતા.
વેકેશનમાં ક્યાંક બહાર જવાના અયોજનને લઈને જમવાના ટેબલ પર કલબલાટ મચ્યો હતો. હર એક જણ પાસે જાત જાતની ફરમાઈશ અને જાત જાતના સુઝાવ હતા.
પિંકી અને પ્રસન્નના પિતા મિ.પ્રસાદે થોડીવાર આ શોરબકોર ચાલવા દીધો અને પછી વાતનો દોર પોતાના હાથમાં લેતા બોલ્યા, “ બધી વાત બરાબર પણ તમને એ તો ખબર છે ને કે પપ્પાની ઓફિસમાં વેકેશન નથી હોતું.”
“અરે, તો પછી તમે આરામથી ઘરે બેસી રહેજો પણ હું તો છેવટે દસ પંદર દિવસ માટેય ક્યાંક તો જઈશ. તમને તો ઓફિસ સિવાય બીજુ ક્યાં કઈ યાદ રહે છે, આ…
કેર્લીફોર્નિયા યુનિવર્સીટીના સાઈકોલોજી વિભાગના પ્રોફેસર ડો. રચેલ વોએ એક અભ્યાસમાં કહ્યું છે કે- “મોટી ઉંમરમાં નવો હુન્નર શીખવાથી, છ જ સપ્તાહમાં તમારું મગજ ત્રણ દાયકા જેટલું યુવાન થઇ જાય છે.” વૈજ્ઞાનિકો કહે છે કે- “યાદદાસ્ત ઓછી થવી, નિર્ણયશક્તિ ધીમી થઇ જવી અને બોલવામાં મુશ્કેલી આવવી તેવી મોટી ઉંમરની અલ્ઝેઈમરની બીમારીમાં ફોટોગ્રાફી, સંગીત, પેઇન્ટિંગ કે લખવા જેવા શોખ મગજના પાવરને મજબુત બનાવે છે!
જીવંત રહેવા માટે જીવવું જરુરી છે. ઉમંગ સાથે, ઉત્સાહ સાથે, સ્વિકાર સાથે, અને ગમતીલી પ્રવૃતિઓ સાથે તથા ગમતીલા વ્યક્તિ સાથે. આ જ મંગળ જીવન!
ઉંમર અને શોખને કે ઉંમર અને ગમતી પ્રવૃતિને કોઇ બંધન હોતુ નથી.
*તમારુ જીવન; તમારા શોખ! આપણા દેશમાં, સમાજમાં લોકોને ઉંમરને લઈને બહુ વાંધા હોય છે. “આ ઉંમરે તેણે આવું બધું કરવાની શું જરૂર છે?” એવું લોકો પૂછ-પૂછ કરે. આ માનસિકતા બદલવાની જરૂર છે. તમારામાં થનગનાટ હોય, અને મન ખુલ્લું હોય, તો તમે જે ચાહો તે શીખી શકો છો. શોખને ઉંમરનુ કોઇ બંધન નહિ હોવું જોઈએ. ઉલ્ટુ ઉંમર થાય, તેમ શોખનું મહત્વ વધવુ જોઇએ. શોખ ખર્ચાળ હોય, તેવુ પણ જરૂરી નથી. શોખ હોવો જરુરી છે. એક ધ્યેય, મક્સદ, પાગલપન જરૂરી છે.
મોટી ઉંમરે કેવી રીતે જીવાય!? તે વહીદા રહેમાન પાસે શીખવા જેવું છે. ‘પ્યાસા,’ ‘કાગજ કે ફૂલ,’ ‘સાહેબ, બીબી ઔર ગુલામ,’ ‘ગાઈડ’ અને ‘નીલ કમલ’ જેવી યાદગાર ફિલ્મોની સ્ટારને તેની સમકાલીન એક્ટ્રેસ આશા પારેખ (74) અને હેલન (81) સાથે ખાસ બહેનપણાં છે. ત્રણે અવારનવાર રખડવા ઉપડી જાય. સિનેમા જોવા જાય. ખાવા-પીવા માટે ભેગાં થાય. એકલા હશો તો તુટી જશો. પેલી લાકડાની ભારી જેવુ. સયુક્ત હશો તો જલદી નહિ તુટો! Like minded લોકો સાથે જીવવાનો આગ્રહ જરૂરી છે. મોટી ઉમ્મરે Marriage પણ કરાય. અથવા Live in Relationships માં પણ રહેવાય. પણ મસ્ત જ જીવાય! આ મસ્ત જીવન માટે શારીરિક અને આર્થિક તંદુરસ્તી એ પાયાની શર્ત છે. બાકી ઘડપણ એ દયા નથી, વૈભવ છે! ઇશ્વરે આપેલી ઉમદા તક છે. જે તમે તમારા વ્યસ્ત જીવનમા નહિ કરી શક્યા, ન પામી શક્યા તે બધુ જ ઘડપણમાં મેળવવાની સુવર્ણ તક છે.! હમણાં થોડા દિવસ પહેલાં ટ્વિંકલ ખન્નાએ વહીદા રહેમાન સાથે એક નાનકડો ઈન્ટરવ્યુ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. એમાં ટ્વિંકલે પૂછ્યું હતું કે- “હવે જીવનમાં શું કરવાનું બાકી છે?” ત્યારે વહીદાએ આંખનું મટકું માર્યા વગર કહ્યું હતું, સ્કૂબા ડાઈવિંગ!! ટ્વિંકલ સ્તબ્ધ થઇ ગઈ! “૮૧ વર્ષની ઉંમરે સ્કુબા ડાઈવિંગ કરવું છે?” “તો શું થયું?” વહીદાએ વળતો સવાલ કર્યો. “હું તંદુરસ્ત હોઉં, તો હું એ પણ કરી જ શકું.” “તો શું થયું?” તેમાં ઢળતી ઉંમરે કેવી રીતે વ્યસ્ત અને સકારાત્મક જીવાય, તેનો મંત્ર છુપાયેલો છે. શિક્ષણનો અર્થ જ થાય શીખવું! તમે કોઇની પણ સારપના એકલવ્ય થઈ જ શકો! તમે જ તમારા ગુરુ. તમારુ જીવન જ તમારૂ ગુરુર!
છેલ્લે..
મારે મારા અરમાનોને મારી મરવું નથી. કોઇ મને દોરવે, કોઇ મને જીવાડે એમ મારે જીવવું નથી. મારુ જીવન, મારી ઇચ્છાપૂર્તિ સાથે મસ્ત જાય. અસ્ત થાય. બસ એજ પાર્થના!
જીવન વિશે વિચારો અને વિધવિધ દૃષ્ટિ બિંદુઓથી દર્શન એ આ બ્લોગ પર શરૂઆતથી જ ગમતીલો મત્લા રહ્યો છે. કેલિફોર્નિયાના બે વિસ્તારમાં રહેતાં કલ્પનાબેન રઘુ શાહના વિચારો દર્શાવતો એક વિડિયો આજે જોવા મળ્યો અને ગમી ગયો – આ રહ્યો
વાત છે મનીષની. ઘરની મુખ્ય વ્યક્તિ મનીષને દસ વર્ષથી જેમાં કામ કરતો હતો તે કંપનીએ તેને ફાયર કર્યો. ત્રણ મહિના થઈ ગયાં. સંયુક્ત પરિવારનાં ખર્ચાને પરિણામે હતાશા ઘેરી વળી. બાળકો અને વૃદ્ધ માતાપિતાની જવાબદારીને કારણે મહિમા ઘર સંભાળતી. એકલે હાથે તૂટી ગયેલાં મનીષને તેના વૃદ્ધ અનુભવી પિતા એક રીંછની વાર્તા સંભળાવે છે. રીંછ જંગલમાં જીવ જંતુઓ અને શાકભાજી ખાઈને જીવન ગુજારતું. એક દિવસ જંગલમાં વરસાદ આવ્યો. આખું જંગલ પાણીથી ભરાઈ ગયું. ખોરાકની મુશ્કેલી ઊભી થઈ. હવે તેણે તરવાનું શીખવા માંડ્યું. ફિશિંગ કરીને ખોરાક મેળવતું. એ ખુશ હતું. પરંતુ પછી પાણી સુકાવા માંડ્યું. ગરમીથી દુકાળ પડ્યો. પાણી અને શાકભાજીની અછત ઊભી થઈ. પછી તે મધપૂડામાંથી મધ મેળવવા ઝાડ પર ચઢતાં શીખ્યું. ટૂંકમાં રીંછના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી પરંતુ તેણે જીવવા માટે નવી નવી રીત શીખવા માંડી. જોબ ગુમાવવી જીવનનો અઘરો ફૅઝ છે પરંતુ વ્યક્તિએ નિષ્ફળતા અને નકારાત્મકતામાંથી બહાર આવવું જ રહ્યું નહીં તો ડિપ્રેશનનો શિકાર થતાં વાર લાગતી નથી. એક ગુરુએ તેનાં ચેલાને પૂછ્યું, સફળતાનું રહસ્ય શું છે? તો ચેલાએ તરત જવાબ આપ્યો, પરિશ્રમ. ગુરુએ ના કહી. ચેલો કહે, તેજસ્વી બુધ્ધી? પ્રમાણિકતા? પ્રેમ? આખરે ગુરુદેવે કહ્યું, સફળતાનું રહસ્ય, નિષ્ફળતા છે.
આવી કહાણી અનેક ઘરની બની ગઈ છે. દેશ હોય કે વિદેશ, તેમાં ય ખાસ કોઈ વ્યક્તિ કલાક્ષેત્રમાં હોય ,બીજી કોઈ આવકનું સાધન ના હોય ત્યારે ઊભી થતી આર્થિક ભીંસ, તણાવ એક નાગ બનીને ભરડો લે છે. ત્યારે રીંછની વાર્તા ઘણું શીખવી જાય છે! બાકી ડિપ્રેશન એવી ઊધઈ છે, જે માણસને અંદરથી કોરી ખાય છે અને તેને ખબર પણ નથી પડતી. તેની અસર સમગ્ર પરિવાર પર પડે છે. પોતે જાતે જ તેના ડૉક્ટર બનવું પડે છે.
જિંદગી એ કેવાં કેવાં રૂપ બતાવ્યાં છે? ક્યારેય વિચાર્યું છે, આયખું એક જ વાર મળે છે પરંતુ માણસ જન્મથી મૃત્યુ સુધી એક જિંદગીમાં કેટલાં ય પશુની જિંદગી જીવી રહ્યો હતો? ગધેડાની જેમ આખી જિંદગી ભાર વંઢેરતો, પોતાના સ્વાર્થ ખાતર બીજાને લાત મારી ને પલટી ખાઈ જતો, વાંદરાની જેમ કુદકા મારતો તો ક્યારેક શક્તિ પ્રદર્શન કરવા આખલો બનતો. ક્યારેક સાપ બનીને ડંખ મારતો તો વળી સિંહ કે લુચ્ચું શિયાળ બનીને પણ રહેતો. ઘડપણમાં કૂતરાની જેમ હડ હડ થાય તો દૂર થતો અને બુચકારતા તો પાસે આવતો. ગાય જેવો બિચારો બનીને રહી જતો. રોજ વહેલી સવારે એલાર્મ સાંભળીને કૂકડાની જેમ ઊઠી જતો, વેધર ચેક કરીને નોકરીએ જવાની તૈયારી કરીને….ઘડિયાળના કાંટે જિવાતું જીવન આજનો યુવાન જીવતો. પરંતુ જ્યારે વેદમાં વર્ણવેલ માનવના આચરણનું ઉલ્લંઘન કરીને તે પશુતા પર ઊતરીને પ્રકૃતિ સામે બાથ ભીડવા ગયો…ત્યારે?
આજે કોવિડમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ટચ સ્ક્રીન પર ટેરવા ઘસાતા જાય છે અને જીવવાના ભ્રમમાં જિંદગી ઉમેરાતી જાય છે. શરૂમાં થયું ઘરમાં બધા જ સાથે સમય પસાર કરીશું. રોજ નવું નવું ખાવાનું, આરામ કરવાનો, ના કોઈ આવે ના ક્યાંય જવાનું. ઘેરબેઠાં ગ્રોસરી આવે. પતિદેવ પણ પત્નીને ઘરકામમાં મદદ કરે. બાળકો, મા – બાપ બધા જ ઓનલાઇન. zoom પરનાં કાર્યક્રમોથી બધાને મળવું, લેક્ચર સાંભળવા, અવનવા પ્રોગ્રામ જોવાના, જાણે ઘેર બેઠાં ગંગાનો અનુભવ દરેક કરતાં રહ્યાં. હમેશા બદલાવ સૌને ગમતો હોય છે.
જોતજોતામાં મહિનાઓ વીતી ગયાં. નહીં કલ્પેલાં સ્વર્ગના અનુભવની તૃપ્તિ! પણ પછી નશો ઊતરી ગયો. ઘરમાં રહીને પરિવાર સાથે સમય ગાળવા તરસતો માનવ હવે કંટાળ્યો. એક છત નીચે ટકટક ચાલુ થઈ. દરેકને બંધનનો અનુભવ થવા માંડયો. સ્પેસની જરૂર ઊભી થઈ. ઘરમાં હલનચલન અટકી ગયું.ચાલુ ફૅશનના કપડા, દાગીના બધું જ કબાટમાં અકબંધ. મુવી, મેળાવડા, રેસ્ટોરન્ટનું ખાવાનું બધું બંધ.
બાળ ઉછેર એક મોટી સમસ્યા બની ગઈ. શિક્ષણના અનેક પ્રશ્નો ઉભા થયા. વૃદ્ધ તો પ્રાણીસંગ્રહાલયના પ્રાણીની જેમ પુરાઈ ગયા. હેલ્થને લગતા પ્રશ્નો વધ્યા. કોઈને મળાય નહીં. મંદિરમાં જવાય નહીં. ઘરમાં બધાં તેમના લેપટોપમાં ઓનલાઈન વ્યસ્ત રહેતાં. એકલતા ભરડો લેવા માંડી. સામાજિક પ્રાણી કહેવાતા માણસને તરોતાજા રાખતું વિટામિન…. “રૂબરૂ મળીને વિચારોનું આદાન-પ્રદાન કરવું …”જે બિલકુલ બંધ થઈ ગયું. અનેક પ્રશ્નોની વણઝાર.. ઘણાંની નોકરી જતાં આર્થિક પ્રશ્નો ઊભા થયાં. પરિણામે ડિપ્રેશન મોટી સમસ્યા થઈ ગઈ. મોટિવેશનલ થેરાપી જરૂરી બની ગઈ.
કલ્પના સુંદર હોય છે પણ જીવી શકાતી નથી. વાસ્તવિકતા કડવી હોય છે પણ મારી શકાતી નથી. જ્યાં સુધી સોલ્યુશન ના મળે ત્યાં સુધી પ્રૉબ્લેમ રહે છે માટે તેને સ્વીકારે જ છૂટકો. તેનું નામ જીવન. જીવનમાં વ્યક્તિ સતત સમાધાન શોધતો હોય છે કારણકે જીવન પ્રશ્નોથી ભરેલું હોય છે. સમાધાન ત્યારે જ થઈ શકે છે જ્યાં સકારાત્મકતા હોય. સમાધાનથી સાતા મળે છે. અંતે મન ગાઈ ઊઠે છે,
ચા પર ઘણાં બધાં અવલોકનો લખ્યાં – આજે આ ચિત્ર હાઈકૂ !
જે કવિતા પરથી એ બનાવવાની પ્રેરણા મળી તે કવિતા આ રહી ….
A beautiful poem by Lee Tzu Pheng (Singapore Cultural Medallion winner)
Sip your Tea Nice and Slow,
No one Ever knows when it’s Time to Go, There’ll be no Time to enjoy the Glow, So sip your Tea Nice and Slow…
Life is too Short but feels pretty Long, There’s too Much to do , so much going Wrong, And Most of the Time You Struggle to be Strong, Before it’s too Late and it’s time to Go, Sip your Tea Nice and Slow…
Some Friends stay, others Go away, Loved ones are Cherished, but not all will Stay , Kids will Grow up and Fly away, There’s really no Saying how Things will Go, So sip your Tea Nice and Slow…
In the End it’s really all about Understanding Love, For this World and in the Stars above, Appreciate and Value who truly Cares, Smile and Breathe and let your Worries go, So, Just Sip your Tea Nice and Slow….
વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ; મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
ઘેરાઉં તો વાદળ કાળા, વિખરાઉં તો વ્હાલ ભિંજાઉં તો શ્રાવણ છલબલ, કોરું તો દુષ્કાળ બીડાઉં તો સ્વપ્ન સલુણું, ઊઘડું તો હું આશ મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
ફોરું તો હું ફૂલ અને જો બટકું તો હું ડાળ ચાલું તો હું પંથ અને ભટકું તો અંતરિયાળ ઊડું તો આકાશ, નહિ ઊડું તો ઘાયલ શ્વાસ મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ; મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
– ભગવતીકુમાર શર્મા
મધુર લયવાળી આ ગઝલ સાંભળતાં જ ગમી ગઈ. કવિનું પોતાના સ્વભાવનું નિરૂપણ. કદાચ. મોટા ભાગના માનવજીવોની જીવન રીત; આ પાર કે પેલે પાર; ગમતીલી વાત અથવા ન ગમતી વાત. દોન ધ્રુવ. ઉત્તર કે દક્ષિણ.
પૂર્વ, પશ્ચિમ, વાયવ્ય, અગ્નિ, નૈઋત્ય કે ઈશાન કે ઉપર અને નીચેની કોઈ શકયતા જ નહીં!
આ અવલોકન આ ગઝલ સાંભળતાં તરત ઊભરાઈ આવ્યું. આપણે સૌ જાણીએ છીએ કે, ‘માનવજીવન જેવું વિલક્ષણ બીજું કાંઈ હશે કે કેમ?’ – એ વિશે ખાસ કોઈ વાદ વિવાદ નહીં જ હોય. ફાંટાબાજ કુદરતે અનેક પાસાં વાળું માનવજીવન અને એના પાસાં ઉપજાવનાર આપણું મન કોઈક નવરાશની પળે જ ઘડ્યું હશે! સઘળા પ્રદેશો, જાતિઓ, માનવસમાજોમાં સર્જાયેલ, સર્જાઈ રહેલ અને ભવિષ્યમાં સર્જાનાર સર્જનાત્મક રચનાઓના મૂળમાં આ જ પાયાનું તત્વ હોય છે ને? માત્ર સર્જનાત્મક જ નહીં, પણ માનવ ઈતિહાસ, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, ફિલસૂફી અને અન્ય માનવ જીવન સાથે સ્વંકળાયેલ વિદ્યાઓના પાયામાં આપણા સ્વભાવનું, આપણા પાયાના ધર્મનું, અનેક પાસાં વાળું આ બહુરૂપીપણું ધરબાઈને પડેલ હોય છે.
પણ દરેક બાબત માટે આપણો અભિગમ ઉપરની ગઝલ જેવો જ રહે છે – આ પાર કે પેલે પાર ! ત્રીજી કોઈ દિશા માટે આપણા વિચારોમાં અવકાશ નથી હોતો. અથવા હોય તો એમ વિચારનાર જૂજ જ હોય છે. કોઈકની પર વરસી જઈએ તો કોઈની ઉપર ઊના લ્હાય જેવા વાયરા ફૂંકી દઈએ! કાં તો ભીંજાઈને લથબથ – કાં તો સૂકા કોરા કટ. મામકાઃ અને પાંડવાઃ . બધા યુદ્ધો અને સંઘર્ષોના પાયામાં આ જ કારણ. બધી ધર્મ ચર્ચાઓમાં આ જ મૂળ બબાલ.
મારો મત અને ખોટો મત
સ્વ. ભગવતીકુમાર શર્માએ શું આ જ વાત કહી નથી લાગતી?
પણ, જ્યારે અંતરની બારી ખૂલવા લાગે છે, ત્યારે આપણા જ સ્વભાવના એ ગહેરા ઊંડાણમાં આપણે ડૂબવા લાગીએ છીએ. એ અંધારઘેરી ગુફા કોઈ અનન્ય પ્રકાશથી ઝળહળી ઊઠે છે.અનેક પાસાં વાળો આપણો મૂળ હીરો સ્વયં પ્રકાશથી અવનવાં પ્રકાશ કિરણો પ્રસરાવવા લાગે છે. કોઈ પણ ચાવી વિના સાવ અજાણ્યા ઓરડાઓનાં બારણાં ફટાફટ ખૂલવાં લાગે છે. એની આડેની ભોગળો ભાંગીને ભુક્કો બની જાય છે. કદીય સ્વપ્નમાં પણ ન કલ્પી હોય, તેવી શક્યતાઓ આકાર લેવા માંડે છે, પાંગરવા લાગે છે; નવપલ્લવિત કલિકાઓમાથી સોહામણાં ફૂલોનો પમરાટ ચોગરદમ ફરી વળે છે. આ ભક્તિની વાત લાગે તો ભલે, પણ મનની એ અવસ્થા એક વિશિષ્ઠ અવસ્થા હોય છે. એનો પડઘો સ્વ. ભગવતી ભાઈના આ ભક્તિ ગીતમાં પડ્યો છે ; અંતરનું એ ગાન ગાઈને વીરમું –
હરિ, મારા રુદિયે રહેજો રે, દઃખ જે હું દઉં તે સહેજો રે.
વાચકોના પ્રતિભાવ