ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 663,692 લટાર મારી ગયા.
સાથિયા પુરાવો રાજ!
પરમપૂજ્ય બા/બાપુજી
Join 417 other subscribers
ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
શરબતમાં લીંબું વધારે પડી જાય તો?
વિચારતા કરી દે તેવો પ્રશ્ન.
વિચારતા કરી દે તેવો વિચાર.
ઘણા બધા સુવિચારો, જીવનને કલ્યાણમય બનાવવાના નૂસખાઓ, ઉપદેશો, સલાહો … અત્ર, તત્ર, સર્વત્ર દૃષ્ટિગોચર થતા હોય છે! ( આ બ્લોગ પણ એમાંથી બાકાત નથી ! આખે આખી એક ઈ-બુક મળી જશે !)
પણ… જીવન જીવવાની એક રીત છે –
આપણે જેવા છીએ ,
તેનો પૂર્ણ રીતે સ્વીકાર.
——
જો આપણી જાતને જ
આપણે સ્વીકારી ન શકીએ,
તો બીજાને
શી રીતે સ્વીકારી શકવાના?
આ જ વાત ૨૦૧૪ માં માધવપુર, ઘેડમાં આવેલા ઓશો આશ્રમમાં ભગવાન શ્રી. બ્રહ્મવેદાન્ત સ્વામીએ કહી, અને સિત્તેર સિત્તેર વર્ષના રઝળપાટનો અંત આવ્યો ( ફાઈનલ અંતની તો હજુ વાર લાગે છે !)
આ રીતમાં એક નાનકડા આચારનો ઉમેરો કરવા મન થયું …….
યોગાસન પતી જાય પછી અને પ્રાણાયમ શરૂ કરતાં પહેલાં આ મુદ્રા કરવાની હોય છે. બન્ને હાથના અંગૂઠા અને તર્જનિ (સૌથી નાની આગળી) ભેગાં કરીને હાથનો આકાર પદ્મ ( કમળ) જેવો બનાવવાનો અને હૃદયની આગળ અડકાડીને રાખવાનો. પછી આંખો મીંચીને જેમનો ઉપકાર આપણી ઉપર હોય તેમનો આભાર માનવાનો.
આ ભાવ મનમાં સેવતા રહેવાનો. કદી એની વિસ્મૃતિ ન થાય કે, આપણે એકલા કાંઈ પણ કરવા સમર્થ નથી. કેટકેટલાંનો આપણી ઉપર અનુગ્રહ છે.
બહુ જામી ગયા.હોં !
Padma mudra Interesting
Sent from Yahoo Mail on Android