ગદ્યસુર

પ્રેરક જીવનપ્રસંગો, સત્યકથાઓ અને લેખો

વડ તેવા ટેટા

જૂની અને જાણીતી ગુજરાતી કહેવત-

‘બાપ તેવા બેટા
અને
વડ તેવા ટેટા.’

        વડ તેવા ટેટા તો હોય જ. ઘોડા તેવા વછેરા, આખલા તેવા વાછડા, ઊંટ તેવાં બોતડાં, હાથી તેવાં મદનિયાં… આમ બધી જાતિઓમાં સંતતિ માબાપ જેવી જ હોય.

પણ માનવજાતમાં ‘ બાપ તેવા બેટા’ ન પણ હોય!

અનેક દાખલા મોજૂદ છે- ગાંધીજી અને મણિલાલ જેવા.

પણ એક અપવાદ હમણાં ધ્યાનમાં આવ્યો.

મારા મિત્ર અતુલ ભટ્ટનો અમેરિકામાં કામ કરતો પુત્ર ઉત્પલ.

અતુલનો પરિચય અગાઉ આપેલો છે.- અહીં……..

કેમ સાવ અજાણ્યા એવા, ઉત્પલને અહીં સ્થાન આપ્યું?

આ માટે…

ઉત્પલના કામનો ઉજાસ

અને ઉત્પલના કાર્યનો પરિચય વાંચો –  અહીં-

    અતુલ નિવૃત્ત થયા પછી સેવાનાં ઘણાં કામો કરે છે- તે જાણી એના મિત્ર હોવાનો મને ગર્વ થયો  હતો. પણ જીવનના મધ્યકાળમાં સંઘર્ષોના દરિયામાં નૌકા હંકારતો ઉત્પલ પણ બાપ જેવો જ સંવેદનશીલ છે; એટલું જ નહીં પણ સેવાનું એક નાનકડું કામ હાથ લીધું છે- તે ખબર પડી ત્યારે મસ્તક ઝૂકી ગયું.

      ચાલો આપણે ઉત્પલના કામને વધાવી લઈએ. જે કાંઈ ફાળો આપણાથી એમાં આપી શકાય , તે આપીને…

———————–

સમ્પર્ક-

ઉત્પલ ભટ્ટ

 bhatt.utpal@gmail.com

 (cell) + 91 97129  07779

અમેરીકા પ્રશ્નોત્તરી – ૮

પ્ર

  • અમેરિકા આવીને અફસોસ થાય એવા કોઈ લોકો છે? અને એ અફસોસથી પ્રેરાઈને પાછા જનારાના શું મન્તવ્ય હોય છે?

સુ

  • અહીં રહ્યે એની તો શી ખબર પડે? મોટે ભાગે આવા કિસ્સા જવલ્લે જ બનતા હોય છે. નોકરી છૂટી ગઈ હોય; તો ભણવાનું ચાલુ કરીનેય સ્ટુડન્ટ વિસા પર લોકો રહેવાનું ચાલુ રાખે છે. અનેક મુશ્કેલીઓ વેઠી, ઠેબાં ખાતાં ખાતાં મોટા ભાગનાની ગાડી પાટા પર ચઢી જ જતી હોય છે. તમે કહો છો; તેવો એક પણ કિસ્સો મારા ધ્યાનમાં નથી આવ્યો.
  • દેશમાં પાછા આવેલા મોટા ભાગના લોકો વધારે સારી તકો માટે અને અહીંથી ઠીક ઠીક સંપદા ભેગી કરીને જ આવ્યા હોય; તેમ મારું માનવું છે . એવા ઘણા વ્યક્તિઓના સમ્પર્કમાં પણ આવ્યો છું.

ચિ

  • મોટે ભાગે તો મોટી ઉમ્મરે આવતા લોકોમાં આવી લાગણી વધુ હોય છે. તેમને નવા વાતાવરણમાં ગોઠવાઈ જવામા ઉમ્મર, શારીરીક ક્ષમતા, અપુરતી ધંધા/રોજગારની તકો વગેરે કારણોને લીધે આ લાગણી આવતી હોય છે.
  • પાછા તો ભાગ્યે જ કોઈ જતા હોય છે. એટલે એ વીશે વધારે ખ્યાલ નથી કે એમનું મંતવ્ય શું હોય છે.

પ્ર

  • આપણા લોકો અમેરિકા જવા બહુ ઉત્સુક હોય છે; અને ત્યાં ગયા પછી ત્યાંની રીતભાત અપનાવી લે છે. અને પાછા એમ કહેતા હોય છે કે. અમેરિકન સંસ્કૃતિ બરાબર નથી. તેઓ આમ કેમ કરે છે?

સુ

  • આ સ્વાભાવિક છે. અહીંની ગમે તેવી ઝાકમઝાળ અને સુવિધાવાળું જીવન હોવા છતાં વતનઝૂરાપો મોટા ભાગનાને સાલે છે. અમેરિકન સંસ્કૃતિ ન ગમવાનું કારણ આપણે ત્યાંથી મળેલો વારસો છે. જો કે, ઘણા એવા પણ હોય છે કે. જેમને અમેરિકા સદી પણ જાય છે.
  • પ્રામાણિક રીતે અહીંથી રોટલો રળતા હોઈએ, અને અહીંની રીતરસમને , જીવનને ભાંડીએ; એ બરાબર નથી. પણ આપણો સાંસ્કૃતિક વારસાને ભૂલવો ન જોઈએ.
  • એવી જ રીતે અહીંની પણ ઘણી સારી, અપનાવવા જેવી બાબતો  છે જ.

ચિ

  • આ પણ મોટી ઉમ્મરે ગયેલા લોકોની તકલીફ છે. તેઓ ભારતની “મહાન” સંસ્કૃતીનુ રટણ ગળથુથીમા લઈને આવ્યા હોય છે એટલે બીજી કોઈ સંસ્કૃતીની સારી વાતો જોઈ શકતા નથી. પણ, વ્યવહારમાં પોતે અભણ કે પછાત નથી એ બતાવવા અમેરીકન હોવાનો દમ્ભ કરે છે. આ દમ્ભ પણ બીજા ભારતીયો કરતા પોતે મોટા છે એ બતાવવાની માનસીક્તાને લીધે જ આવેલી લાગણી છે.

પ્ર

  • અહીયાં જ્યારે કોઈ પણ બજાર માં ઉથલપાથલ થાય ત્યારે એમ કહેવાય છે કે(મેં બોલતા સાંભળ્યુ છે લોકોનાં મોઢે) અમેરીકા માં કુતરુ મરી ગયુ હશે..એમનો કહેવાનો મતલબ છે કે અમેરીકા માં કાંઇ પણ થાયે ની અસર અહીયાં જોવા મલે…જેમ કે હમણા ત્યાંની એક બેંકનાં રામ બોલો ભાઈ રામ થયા..અને કેટલા લોકો નાં રામ બોલો ભાઇ રામ થયાં..એટલી નુકશાની થઈ છે અહીયાં લોકોની…તો મને ક્યારેક વિચાર આવે કે એ લોકો ભલે દેશ છોડીને ગયાં પણ આપણે હજી એમનાં ગુલામ છીયે…ગોરા એટલે ગોરા..પછી આપણી પર રાજ કર્યુ એ જે હોય તે….

સુ

  • અમેરિકન ઇકોનોમીની અસર તો આખા જગત ઉપર પડે છે – ભારત એમાંથી બાકાત શી રીતે રહી શકે? અમેરિકન ઇકોનોમી બીજા વિશ્વ યુદ્ધ બાદ એટલી તો અસરકારક બની છે કે, આમ થાય જ.
  • પણ હવે પરિસ્થિતી બદલાઈ રહી છે. બીજા દેશો પણ ઘણા સમ્રુદ્ધ બન્યા છે. યુરોપ, બ્રાઝિલ, ભારત, ચીન , રશિયા બહુ ઝડપથી બજારના હિસ્સા ઝડપી રહ્યા છે.
  • આપણી ગુલામ મનોવૃત્તિ વિશે અહીં રહ્યે કશું કહેવું યોગ્ય નથી. પણ ઘણા સુધારાની જરૂર અવશ્ય લાગે છે.

ચિ

  • આપણે ભારતીયો એકબાજુ તો આપણી “મહાન” સંસ્કૃતીના ગાણામાંથી ઉચા નથી આવતા અને બીજી બાજુ “કોલોનીયલ” માનસીક્તા જાળવી રાખી છે. એટલે, અહોભાવથી પીડાઈને આવા ઉદ્ગારો નીકળે છે. જો કે, નવી પેઢીમા આ માનસીક્તા નથી એટલે 10-15 વર્ષમાં નવી બાબતો જોવા મળશે.

જાપાનીઝ જુસ્સો

આશા…

મૈત્રી….

હિમ્મત….

વૈશ્વિક માનવતા…..

સાભારશ્રી. કિશોર શાસ્ત્રી, ન્યુ જર્સી.

લાંબો રસ્તો – એક અવલોકન

       મારે ઘણી વખત અમારા ઘરના કિશોરોને કોઈને કોઈ કાર્યક્ર્મ માટે, અમારે ઘેરથી સાત માઈલ દૂર આવેલા ચર્ચમાં મૂકવા / લેવા જવું પડે છે. પહેલાં એ માટે હું એક રસ્તો લેતો હતો; જેની ઉપર બાર જેટલા ટ્રાફિક સિગ્નલ આવેલા છે.

      થોડાક વખતથી એક હાઈવેવાળો રસ્તો લઉં છું. એ આઠ માઈલ લાંબો છે. મારા દિકરા સાથે આકસ્મિક આ બાબત ચર્ચા થઈ ત્યારે તેણે કહ્યું કે, “એ તો લાંબો રસ્તો છે.”

       અને આ અદકપાંસળી જીવને મન થયું – બન્ને રસ્તા કેટલા લાંબા છે; અને તેની ઉપર જતાં કેટલો સમય થાય છે.

     આ રહી સરખામણી –

પહેલો રસ્તો

બીજો રસ્તો

લંબાઈ

૭ માઈલ ૮ માઈલ

સમય

૧૦ મિનીટ ૯ મિનીટ

      લો! સાબિત થઈ ગયું – હાઈવે વાળો રસ્તો સમય અને ગેસ બન્ને બચાવે છે- ભલે તે લાંબો છે.

…….

       જીવનમાં પણ ઘણી વાર આમ બનતું હોય જ છે ને? સરળ અને સીધો લાગતો વિકલ્પ કદાચ નુકશાનકારક હોય; એમ પણ બને.

અમેરીકા પ્રશ્નોત્તરી – ૭

પ્ર -
  • અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકો (પહેલી પેઢી, બીજી પેઢી અને ક્દાચ ત્રીજી પેઢી પણ). ભારતને યાદ કરે એ તો સમજાય, પરંમ્તુ ત્યાં જુદા જુદા પ્રદેશોમાંથી આવેલા ભારતીયો વચ્ચેના સંબંધો કેવા છે?

સુ

  • મોટા ભાગે લોકો પોતપોતાના વર્તુળોમાં જ ભળતા હોય છે. ગુજરાતીઓ, બંગાળીઓ, આન્ધ્રના લોકો, તામિલ .. એવા ચોકા અહીં બહુ જડબેસલાક હોય છે. પણ આ પહેલી પેઢીના માટે જ, બીજી અને ત્રીજી પેઢી મોટા ભાગે અમેરિકન વધારે હોય છે ; અને આવા વર્તુળોમાં ઓછા ભળે છે. દરેક જગ્યાએ ભારતીય મંડળો હોય છે ; પણ તે પ્રાદેશિક જૂથો જેટલા સક્રીય નથી હોતા. ન્યુયોર્ક કે એલ.એ. જેવા વિસ્તારોમાં કદાચ આમ ન હોય ; પણ ત્યાંય પ્રાદેશિક જૂથોનો પ્રભાવ વધારે હોય છે.

ચિ

  • આફ્રીકા કે ગયાના/ત્રીનીદાદથી આવેલા ભારતીયો માટે ભારત એમની ભુમી નથી રહી. એ લોકો એમના નવા વતનને ચાહે છે અને ત્યાંની જ યાદ દીલમા રાખે છે.
પ્ર.
  • ભારતીય લોકો અને શ્વેત, કે અશ્વેત અને કલર્ડ પ્રજા વચ્ચે સંબંધો કેવા છે?

સુ

  • બીજી અને ત્રીજી પેઢીના ભારતીય મૂળના લોકોને બાદ કરીએ તો; પહેલી પેઢીના લોકોના ગોરા, કાળા અને બીજી પ્રજાઓ સાથેના સંબંધો વ્યાવસાયિક જરૂરિયાત માટે વધારે હોય છે. બહુ ઓછા વ્યક્તિઓ મળશે કે જે, બીજા લોકો સાથે મૂક્ત રીતે ભળતા હોય. પણ એટલું જરૂર છે કે, કોઈ તનાવ વાળા સંબંધો અમેરિકામાં મોટા ભાગે જોવા મળતા નથી. સૌ પોત પોતાનામાં જ મશગૂલ હોય છે.
  • આથી જ અમેરિકા ‘ મેલ્ટિંગ પોટ’ કહેવાય છે.  બીજી પેઢીમાં દુનિયાના બધા પ્રદેશોમાંથી આવેલા લોકોમાં મોટા ભાગના ફરકો ઓગળી જતા જોવા મળે છે. આખી દુનિયાના લોકો સાવ નાની જગ્યાઓએ પણ જોવા મળે છે;  પણ અમેરિકનતા  એમની વચ્ચેના  તફાવતોને અતિક્રમી જાય છે.

ચિ 

  • બીજી પ્રજા ભારતીયો પ્રત્યે માન, ઇર્ષ્યા અને પરાણે રાખવો પડતો સમ્પર્ક એમ બધી રીતનુ વલણ ધરાવે છે. ભારતીય લોકો શ્વેત પ્રત્યે અહોભાવ, અશ્વેત પ્રત્યે તીરસ્કાર અને પીળી પ્રજા પ્રત્યે સમાંતર અંતરનું વલણ ધરાવે છે. અપવાદ જો કે દરેક સમ્બંધમા હોય છે, પણ મોટેભાગે મારો અનુભવ આગળ લખ્યા મુજબનો છે.


ખાલી રસ્તો – એક અવલોકન

         હાઈવે પર કાર ચલાવતાં, બધી લેનની બહાર, બન્ને બાજુએ પીળા પાટા દેખાયા કરે. એને ઓળંગી, એની પારની લેન ઉપર કાર ન ચલાવી શકાય. અહીં એ લેનને ‘શોલ્ડર’  કહે છે.

      કોક વાર જ એની ઉપર કાર લઈ જવાનો અવસર થયો છે. અને એ વખતે એની ખરબચડી સપાટી કાર ચલાવવા ઘણી કષ્ટ દાયક હોય છે- તેની ખબર પડી હતી. એ શોલ્ડર પર કાર ચલાવ્યા વિના પણ, એની સપાટી ખરબચડી છે; તે દેખાઈ આવે છે. એને ખાસ એવી બનાવી છે; જેથી કોઈ પણ વ્યક્તિ આપત્તિ વગર એની ઉપર વાહન ન ચલાવે.

આમ કેમ?

       દેખીતું કારણ કે, શોલ્ડર જાહેર જનતાના માત્ર આકસ્મિક ઉપયોગ માટે અને ઈમર્જન્સી વાહનોના ઉપયોગ માટે બનાવેલો હોય છે. એ હમ્મેશ ખાલી રહેવો જોઈએ; જેથી રસ્તા પર થતી મુશ્કેલીઓ સુલઝાવનારાને કોઈ અવરોધ ન નડે. એને ખરબચડો બનાવ્યો છે; જેથી એની વિશિષ્ઠિતતા તરત ખબર પડી જાય. કોઈને એની પર વાહન ચલાવવાનું ન ગમે.

—————————

      મુશ્કેલીઓ ઊભી કરવી બહુ સહેલી હોય છે; એને સુલઝાવવાનાઓના રસ્તા હમ્મેશ ખરબચડા જ હોય છે; ખાલી હોય છે.

એ રસ્તા પર કોઈ જતું નથી.
એ રસ્તો
- ખાંધ દેનારો એ શોલ્ડર-
હમ્મેશ ખાલી જ હોય છે. 

અમેરીકા પ્રશ્નોત્તરી – 6

પ્ર – ભારતમાંથી બહાર ગયેલા લોકોનું પોતાની જન્મભુમીને પ્રદાન શું?

ગૃ -

ભારત છોડતી વખતે જાત સાથે વણાયેલી એ સમયની સંસ્કૃતીનો વીશ્વને પરિચય કરાવનાર માધ્યમ બની રહે છે. દેશના સામાન્ય નાગરીકની અસામાન્ય શક્તીનો દુનીયાને અનુભવ કરાવે છે. સાથે સાથે પોતાને પ્રાપ્ત થતી આર્થીક સમૃધ્ધીમાં દેશબંધુઓનો હીસ્સો/ ઋણ અદા કરવાની ભાવના સાથે દાન દ્વારા વહેંચતા રહે છે. હમ્મેશાં પોતાના દેશ તરીકે ભારતનું ગૌરવ વધારવાના પ્રયત્નમાં રહે છે. ઉપરાંત ભારતના વીકાસમાં પોતાની રીતે શક્ય ફાળો આપવાની કોશીશ કરતા રહે છે.

ચી -

જ્યાં સુધી ભારતમાં પાછા ફરીને પોતાને વીદેશમાં મળેલા જ્ઞાન, શીસ્ત, આચાર-વીચાર મુજબ જન્મભુમીને મદદ ના કરીએ ત્યાં સુધી કશું પ્રદાન નહીં! હા, ભારતની વસ્તીમાં નજીવો ઘટાડો કરીને એટલી ભારતની કુદરતી સમ્પદાને બચાવીએ છીએ! ઉપરાંત, એન.આર.આઈ.નો મોટો ભાગ દર વર્ષે ઘણીબધી ખરીદી ભારતમાંથી કરીને થોડોક આર્થીક ફાળો આપે છે.

ભારતની નવી પેઢીને પશ્ચીમનું આંધળું અનુકરણ કરતા જોઈને એવું થાય છે કે, આના બીજ બીનનીવાસી ભારતીયોએ જ વાવેલા છે. મેં એવા ઘણાં લોકોને જોયા છે; જે દેશમાં જઈને ભપકો, શરાબ, ખાનપાનનો અતીરેક કરીને ત્યાંના લોકોને અભડાવીને એવું કરવાની પ્રેરણા આપતાં હોય છે (ભલે પછી અમેરીકા પાછા ફરી બધાં મોંઘા કપડાં અને કેમેરા રીટર્ન કરી દે, ત્યાં તો વટ પડી ગયોને…).

છેલ્લા 3 વર્ષથી ઘણાં એંજીનીયરો પાછા દેશમાં જાય છે અને ત્યાં પોતાનું પ્રદાન આપતાં હોય છે. આવા લોકોને દીલથી સલામ. બાકી મારી જેમ ઘણાં એ અભરખો લઈને જીવે છે પણ હજી હીમ્મત નથી કરતા. ઘણાં અમેરીકી-ભારતીયો બી.પી.ઓ. કે બીજા આઈ.ટી. બીઝનેસ શરુ કરીને ત્યાં વ્યવસ્થીત કોર્પોરેટ કલ્ચર અને નોકરી આપવા કૃતનીશ્ચયી છે. બાકી તો, મોટો ભાગ સાધુ-સંતોને પોષીને, વતનમાં પ્રોપર્ટીના ધન્ધામાં તેજી લાવે છે. એ સહુથી મોટુ પ્રદાન!

સુ -

અહીં રહેતા ગુજરાતીઓને ( બીજા રાજ્યોમાંથી આવેલા લોકોનો મને બહુ અનુભવ નથી, માટે ભારતીય શબ્દ નથી વાપરતો.) ત્રણ કક્ષામાં વહેંચી શકાય.
એક - સાવ નીચલા થરના – જે વખાના માર્યા અહીં આવ્યા છે અને મહેનત મજુરી કરીને જીવનગુજારો કરે છે. એમને માટે જીવન એટલા સંઘર્ષોથી ભરેલું હોય છે, કે આવું કશું વીચારવાનો એમને માટે અવકાશ જ નથી. દેશમાં પાછા જાય ત્યારે તમાચો મારીને ગાલ લાલ રાખવા જેવી એમની હાલત હોય છે.

બે- સારું ભણેલા અને અહીં ઉચ્ચ અભ્યાસ કરેલા લોકો – એમનું જીવન પણ સંઘર્ષમય તો હોય જ છે; પણ એ લોકો વત્તા ઓછા પ્રમાણમાં સાંસ્કૃતીક પ્રવૃતી કરી શકતા હોય છે. એમાંના મોટા ભાગના ભારતીય હોવાનું ગૌરવ જરુર અનુભવે છે; પણ ભારતની મર્યાદાઓથી ખાસ્સા માહેર હોય છે. એમની હાલત ત્રીશંકુ જેવી બની જાય છે. નહીં અહીંના કે નહીં ત્યાંના.

ત્રણ – અહીં ઘણા વખતથી સ્થાયી થયેલા અને બે પાંદડે થયેલા લોકો. એમણે દીધેલ દાનોથી ભારતની ઘણી બીન-સરકારી, સેવાભાવી સંસ્થાઓ નભે છે. પણ મહત્તર ધાર્મીક સમ્પ્રદાયો આનો વધુ લાભ લઈ જાય છે; અને પોતાના વાડાઓની સરહદો અને ભ્રષ્ટાચારો પણ વધારતા જાય છે. ધારે તો આ વર્ગ ભારતની કાયાપલટ કરી શકે એટલી ક્ષમતા ધરાવતો હોય છે.

સાહીત્ય સર્જનમાં હવે ભારતની બહાર રહેતા ઘણા લોકોનો ફાળો છે જ. એમાં અહીંના સમાજજીવનનું પ્રતીબીંબ અવશ્ય પડતું હોય છે. એમાંથી પ્રેરણા લઈ ભારતમાં ઘણું હકારાત્મક સામાજીક પરીવર્તન શક્ય બની શકે.

પ્ર – અમેરીકા માં ઝાડુ મારવુ પડે તો પણ લોકોને ચાલે છે, પણ પોતાના દેશ માં પટાવાળાની નોકરી કરવી પડે તો એને એ તુછ્છ ગણે છે એમ કેમ??

ગૃ -

પટાવાળાની નોકરી કરનારને ત્યાં સમાજ તુચ્છ ગણે છે. આથી સમાજનો તુચ્છકાર સહન કરવો પડે. જ્યારે અહીં જાહેર સંડાસ બાથરૂમ સાફ કરનારને પણ સમાજનો તુચ્છકાર નથી નડતો.

ચી -

પરદેશની ભીખ પણ માફ એમ અમસ્તુ કહેવાયુ છે? જો કે આ બાબતે જે તે સ્થળનું પરીબળ વધુ ભાગ ભજવે છે. અમેરીકામાં ચામડીનો ભેદ છે, કામનો નહી. કોઈ પણ કામ નાનુ કે મોટુ નથી. જ્યારે ભારતમાં કામનો બહુ મોટો ભેદ છે. અમુક કામ અમુક જાતીના લોકો જ કરે, ભલે પછી ભુખે મરવું પડે. વળી, જીવનધોરણ પણ એક કારણ છે. અહીં ઝાડુ મારનારો પણ અમેરીકાનો પ્રમુખ ખાતો હોય એ સેન્ડવીચ ખાઈ શકે છે. બન્ને એક્સરખું દુધ, માખણ વાપરતા હોય છે. અને આપણે ત્યાં? વાત જ જવા દો…

સુ-

આપણા સમાજનો આ દેખીતો દંભ જ છે. અમેરીકા ભલે મુડીવાદી દેશ ગણાતો હોય; પણ એ સાચા અર્થમાં શ્રમજીવી દેશ છે. અહીં શ્રમનો મહીમા છે. એક પ્લમ્બર કે ઈલેક્ટ્રીશીયન બેન્કના કે સરકારી કારકુન કરતાં વધુ કમાતો હોય છે. એવું જ શીક્ષકોનું છે. આપણે ત્યાં પંતુજી ગણાતો/તી માસ્તર અહીંનો/ની સન્માનનીય વ્યક્તી છે.
ભારત ભલે પોતાને સમાજવાદી ગણાવતો હોય; એ હજુ સામંતશાહી યુગમાંથી બહાર નથી આવ્યો.

Shakespeare said

I always feel happy, You know why?

Because I don’t expect anything from anyone,

Expectations always hurt…

Life is short..

So love your life..

Be happy..

In addition, keep smiling…

Just Live for yourself and

Before you speak, Listen

Before you write, Think

Before you spend, Earn

Before you pray, Forgive

Before you hurt, Feel

Before you hate, Love

Before you quit, Try

Before you die, Live…

^^ ^^ ^^

Thanks to –  Shri Kishor Shastri , New Jersey

From his blog

અમેરીકા પ્રશ્નોત્તરી – 5

પ્ર – અમેરીકામાં રહેતા ભારતીયો પોતાને શું ગણાવામાં ગર્વ અનુભવે છેં? –  ભારતીય કે અમેરીકન?

ગૃ.

ભારતમાં હોઈએ તો અમેરીકન અને અમેરીકામાં હોઈએ તો ભારતીય! ટુંકમાં બન્નેથી અલગ આપણી ઓળખ. અહીં સાઉથ એશીયન અમેરીકન શબ્દ વધુ પ્રચલીત છે – જે ભારત, પાકીસ્તાન, બાંગલાદેશ અને શ્રીલંકાથી આવેલા લોકોને લાગુ પડે છે. આ બધા ધર્મ અને થોડાક રીતરીવાજો બાદ કરતાં, લગભગ એક સરખી સંસ્કૃતીના વંશજ છે.

ચી.

જ્યારે એક અમેરીકન કે ચાઈનીઝ સામે મળે તો ભારતીય અને કોઈ ભારતીય સામે મળે તો અમેરીકન ! સાચે જ ABCDEFG!!! ( અમદાવાદ બોર્ન કંફ્યુઝ્ડ દેશી ઈમીગ્રટેડ ફ્રોમ ગુજરાત.) હું પોતે ભારતીય હોવામાં ગર્વ અનુભવું છું, પણ દેશમાં જાઉં તો “નોન-રીક્વાયર્ડ ઈંડીયન”ની ઓળખા આપોઆપ ઉભી કરી દઉં છું. પુરા અમેરીકન થવાતું નથી અને ભારતને સમ્પુર્ણ સમર્પીત પણ થવાતું નથી. પણ હું “ભારતીય” તરીકે જ અત્ર-તત્ર-સર્વત્ર ઓળખાવા માંગું છું.

સુ.

ભલે કાયદેસર અમે અમેરીકન હોઈએ; દીલથી તો હીન્દુસ્તાની જ. જો કે, આ માત્ર ભારતમાં જન્મેલા અને ભારતમાં જ પુખ્ત વય સુધી ઉછેર મેળવેલાઓને લાગુ પડે છે. જે અહીં જન્મ્યા છે અથવા સાવ નાની ઉમ્મરે ( છ વર્ષથી નાની) અહીં આવી ગયેલા છે; અને પ્રાથમીક શીક્ષણ અહીં મેળવેલું છે તે લગભગ ABCD ( અમેરીકા બોર્ન કંફ્યુઝ્ડ દેશી) કહી શકાય. એ લોકો સ્વાભાવીક રીતે જ 90% અમેરીકન હોય છે.

પ્ર – અમેરીકામાં રહીને અમેરીકાએ પૈસો આપ્યો, માન અપાવ્યું, ઇજ્જત વધારી. પણ તોય એક કુંટુબ ન હોવાનો અહેસાસ કેમ ખાતો રહે છે એમને?

ગૃ.

અહીં સૌને પોતપોતાની રીતે રહેવાનો અવકાશ છે આથી બાળકો જ નહી, માબાપ પણ પોતાની રીતે રહેવા માંગે છે એટલે સાથે રહેવા માટે જરૂરી બાંધછોડ થતી નથી અને એનો લાભ પણ મળતો નથી. આથી કુંટુંબ ભાવના નબળી પડતી જાય છે.

ચી.

આ સવાલ અમેરીકાને જ માત્ર લાગુ નથી પડતો. આખી દુનીયામાં આ હાલત છે. આજના યુગની તાસીર. નોકરી-ધન્ધા-ઉચ્ચ અભ્યાસ વગેરે કારણોસર માનવી પોતાનું વતન છોડી, બહાર નીકળતો થયો છે (નડીયાદ છોડીને બેંગલોર રહેવું પણ પરદેશ વેઠવો ના કહેવાય?). જ્યારે એના વડીલો જ્યાં સ્થાયી થયા હોય ત્યાંથી દુર નીકળવા ના ઈચ્છતા હોય. વળી, ભાઈ-બહેન પણ જુદા જુદા કરણોસર અલગ રહેતા હોય છે. પતી-પત્ની-બાળકો દીવસનો મોટો ભાગ જૉબ, ધન્ધો, અભ્યાસ વગેરે કારણોસર એક્બીજાને મળતા હોતાં નથી. એટલે એક કુટુમ્બનો એહસાસ રવીવારે કે રજામાં જ થાય.

સુ.

આપણે આવા સામાજીક પ્રશ્નને એક સરખી રીતે મુલવી ન શકીએ. આ દરેક જણની અંગત કુટુમ્બભાવના ઉપર આધાર રાખે છે. પણ એ સત્ય છે કે, જેમ સમૃધ્ધી વધે તેમ આ ભાવના ઓછી થતી જાય છે –  લોકો વધુ ને વધુ સ્વલક્ષી થતા જાય છે. ભારતમાં પણ આમ જ નથી થતું  વારુ?

અમેરીકા પ્રશ્નોત્તરી – 4

પ્ર

જે ભારતીયો અમેરીકામાં સ્થળાંતર કરીને રહે છે તેઓએ શું માત્ર પૈસા જ ભેગા કર્યાં? તેઓ ન તો પુરા ભારતીય રહ્યાં કે ના પુરા અમેરીકન.

ચી

વીદેશ વેઠવાનો મુખ્ય ઉદ્દેશ દ્રવ્ય ભેગું કરવાનો જ હોય છે,  આ વાત સ્ટુડન્ટ વીઝા, જોબ વીઝા, અને ગ્રીનકાર્ડ પર આવતાં મોટા ભાગનાં લોકોને લાગુ પડે છે.( 99.9999 %)

અને એમાં ખોટું પણ શું છે? આ તો આખા જગતમાં પુરાણી પરમ્પરા રહી છે, માત્ર ગુજરાતી કે ભારતીય નહીં, સમગ્ર માનવજાતીની. કોઈ શોખથી વીદેશ નથી વેઠતું.

બીજા એક કારણમાં, જે  અહીં સ્થાયી થયા છે એમને કૌટુમ્બીક ટેકો આપવો અથવા એમની પાસેથી લેવા માટે. ખાસ કરીને વૃધ્ધો, બાળકોનો ઉછેર, યુવાન પુત્ર/પુત્રીને અમેરીકા લાવવાનો ઉદ્દેશ વગેરે.

જો કે માત્ર પૈસા જ ભેગાં કરવાનો ઉદ્દેશ હોવા છતાં અહીં રહીને પ્રમાણીક્તા, કાર્યનીષ્ઠા, સમાજ પ્રત્યે આદર, જીવનને અલગ રીતે જોવાની સમજ, વગેરે જેવાં ગુણો ચોક્કસ ખીલે છે; જે ભારતમાં મુરજાઈ જવા પામે એ ચોક્કસ.

જે દેશમાં અડધી જીન્દગી કાઢી હોય ત્યાંથી દુર થઈને નવી જગ્યાએ ગોઠવાઈ જવું અઘરું છે; અને સમય લે છે. એમાં પુરા નવા પણ નથી થવાતું. અને જે છોડીને આવ્યાં એ ભુલી પણ નથી શકાતું. જે પહેલાં અહીં આવી ગયા હોય; એમનાથી નોખાં પણ પડી જાય.

સાચે જ ના પુરા અમેરીકન અને ના પુરા ભારતીય. મને જો કે એનો કોઈ હરખ-શોખ નથી. જે પરીસ્થીતી છે એ સ્વીકારીને એની મજા માણવી. જે સારુ અને નવું શીખી શકાય એ શીખવું.

સુ.

ચીરાગની વાતમાં વીશેષ એ ઉમેરવાનું કે,

1. અમુક લોકો ( ભલે બહુ નાની સંખ્યામાં હોય ) અહીં આવી વીશેષ કાર્યદક્ષતા મેળવે છે, અને પોતાના ક્ષેત્રમાં સારી નામના પણ મેળવે છે. દા.ત. સામ પીત્રોડા, કમલેશ લુલ્લા વી.

2. અહીં સ્થાયી થયેલા મોટા ભાગના કુટુમ્બોમાંથી વરસે બે વરસે કોઈને કોઈ કારણે કોઈક તો દેશમાં જતા જ હોય છે. ત્યાંથી પાછા આવે ત્યારે ઘણી બધી દેશી વસ્તુઓ લેતા આવતા હોય છે. આને કારણે ભારતમાં, નવેમ્બર ડીસેમ્બરમાં,  એનારાઈ  માર્કેટ ઉભું થયું છે !

3. અહીં વસ્તી વધવાને કારણે દેશી ગ્રોસરી સ્ટોર, ભારતીય હોટલો વી, ધંધા વધ્યા છે. આને કારણે ઘણી બધી ભારતની પેદાશોને માટે નવું માર્કેટ ઉભું થયું છે. આ ભારતને માટે સારી વાત છે.

Follow

Get every new post delivered to your Inbox.

Join 102 other followers