ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 663,536 લટાર મારી ગયા.
સાથિયા પુરાવો રાજ!
પરમપૂજ્ય બા/બાપુજી
Join 417 other subscribers
ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું,
હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું.
આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો,
ચૂપ રહું છું તો લાગે છે, કસમ ખાઈ રહ્યો છું.
એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો’તો,
આ એની અસર છે કે, હું કરમાઈ રહ્યો છું.
ગઈ કાલે અમસ્તાં જ હું થોડુંક હસ્યો’તો,
આજે એ યાદ આવતાં ગભરાઈ રહ્યો છું.
તારા લીધે લોકો હવે નીરખે છે મને પણ,
કાગળ છું હું કોરો, અને વંચાઈ રહ્યો છું.
મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું,
આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું!
કહેવું છે ઘણું ‘સૈફ’ અને કહી નથી શકતો,
શબ્દોની છે દીવાલ ને દફનાઈ રહ્યો છું.
– સૈફ પાલનપુરી
આ ગઝલમાં પોતાની સાથેનો સંવાદ સ્પષ્ટ છે. ઊડીને આંખે વળગે એવી અને કઠે એવી લઘુતાગ્રંથિ પણ છે. પણ વાત એની નથી કરવાની!
મોટા ભાગે માણસો બહિર્લક્ષી હોય છે. બહુ ઓછા અંતર્લક્ષી હોય છે. પોતાના વિચાર, વાણી કે વર્તનનું પરીક્ષણ કરવા બહુ ઓછા ટેવાયેલા હોય છે. બીજાની ભૂલ જોવામાં આપણે વધારે માહેર હોઈએ છીએ! આપણી મુશ્કેલીઓ કે પરાજય માટે આપણે મોટા ભાગે સંજોગો કે બીજાઓને દોષ દઈને કે, દુર્ભાગ્ય માટે રોદણાં રડી લઈ, અટકી જતાં હોઈએ છીએ.
પણ એ હકીકત છે કે, કોઈ પણ સુધારા કે પ્રગતિ માટે વેધક પૃથક્કરણ જરૂરી હોય છે. જો આપણને આપણા દોષ દેખાય જ નહીં તો, આપણે કદી સુધરી ન જ શકીએ. આ વૈજ્ઞાનિક રીત છે. જાગૃત થવાની રીત છે. મેનેજમેન્ટની ભાષામાં એને SWOT analysis કહે છે .
[ Strengths, Weaknesses, Opportunities & Threats]
આ ગઝલમાં નિરાશા અને લઘુતાનો ભાવ પ્રધાન છે. પણ અંદર તરફ જોવાની વાત પણ છે. સાથે સાથે, એ પણ સાચું છે કે, ગમે તેવા સંજોગો હોય, પડેલો માણસ સ્વગૌરવ વિના ઊભો ન થઈ શકે. ‘નિજ દોષ પરીક્ષણ’ની દાદા ભગવાનની રીતમાં ‘સ્વગરિમા’, એક નમ્બરની ફાઈલને ચોખ્ખી રાખવાની વાત છે જ! [ એ વિષે અહીં ]
આ વાત નીચેની હકારાત્મક ગઝલમાં ઉજાગર થાય છે –
કોઇની પણ વાતમાં પડતો નથી,
એટલે હું કોઇને નડતો નથી.
જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,
ભાગ્ય સાથે હું કદી લડતો નથી.
કોણે છલકાવ્યાં નજરના જામને,
આમ તો હું જામને અડતો નથી.
હામ હૈયામાં છે મારા એટલે,
ઠોકરો ખાઉં છું પણ પડતો નથી.
ઠેસ પહોંચે કોઇના સન્માનને,
મનસૂબા એવા ‘વિનય’ ઘડતો નથી.
– વિનય ઘાસવાલા
આ બન્ને ગઝલોને આપણે આત્મસાત કરીએ તો?
*એકદમ સરળ શબ્દોમાં ખૂબ જ સરસ વાત..!!ધફનાઇ વિઞાતો
.સામે નાય કોય ને સરમાજાતો; આઉં પિંઢ મુકેં પિંઢકે
ડિસાજાતો .હી મુંજો ખુલાસેજે ટેવવારો ડાચો; ,ચુપ રાંતો
ત લગેતો સોં ખ્યાંતો .હિક્યાર મું ફુલે સામે ડેખાડ઼ો ક્યો વો
ઇનજી અસર આય ક આઉં કરમાંજાતો .કાલ હુંઇયે જ જરા આઉં ખિલ્યોવોસે;
અજ ઇ વિચાર અચિંધેં ડપજી વિઞાતો .તોજે સાંયે હાણે માડ઼ુ મુંકે પ
નિરખિંયેતા; ,કાગર અંઇયા નિપટ કોરો ને વાંચાજાતો .મુંજી કોય પ હાણે
ચર્ચા નતાં કરિયેં; સેલાઇસે વગોવાઇ વિઞાતોઆ કિતરી *
એકદમ સરળ શબ્દોમાં ખૂબ જ સરસ વાત..!!
ધફનાઇ વિઞાતો .
સામે નાય કોય ને સરમાજાતો;
આઉં પિંઢ મુકેં પિંઢકે ડિસાજાતો .
હી મુંજો ખુલાસેજે ટેવવારો ડાચો; ,
ચુપ રાંતો ત લગેતો સોં ખ્યાંતો .
હિક્યાર મું ફુલે સામે ડેખાડ઼ો ક્યો વો
ઇનજી અસર આય ક આઉં કરમાંજાતો .
કાલ હુંઇયે જ જરા આઉં ખિલ્યોવોસે;
અજ ઇ વિચાર અચિંધેં ડપજી વિઞાતો .
તોજે સાંયે હાણે માડ઼ુ મુંકે પ નિરખિંયેતા; ,
કાગર અંઇયા નિપટ કોરો ને વાંચાજાતો .
મુંજી કોય પ હાણે ચર્ચા નતાં કરિયેં;
સેલાઇસે વગોવાઇ વિઞાતોઆ કિતરી .
સરસ અવલોકન સુરેશભાઇ…. સાચી વાત છે, આ બેય ગઝલ આત્મસાત કરવા જેવી…