ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 663,821 લટાર મારી ગયા.
સાથિયા પુરાવો રાજ!
પરમપૂજ્ય બા/બાપુજી
Join 416 other subscribers
ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
ઉનાળો કાળઝાળ થાય છે,
પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.– અનિલ ચાવડા
ગ્રીષ્મનું સરસ વર્ણન. અનિલભાઈ જેવા સિદ્ધ હસ્ત કવિની કલમે (કે માઉસ ક્લિકે !) જ આવી પરસેવે રેબઝેબ કરી નાંખતી અભિવ્યક્તિ શક્ય બને.
આખી અભિવ્યક્તિ આ રહી….
ગીતના છેવાડે તેમણે પ્યારથી એ સૂરજિયાને છાંછિયું પણ કર્યું છે !
આ ગીત સમજાવવું પડે તેમ ન્થી. બસ…. એસી રૂમમાં, કુશાંદે ખુરશીમાં બેસીને પસીનો વહાવવાની મજા માણવાની છે !
પણ, સૂરજિયાને આ વ્હાલ શા માટે?
કદાચ……..ગ્રીષ્મ આપણને કાળઝાળ લાગે છે, પણ વર્ષાની મૂશળધાર રમઝટ એ સૂરજિયાના તાપ વિના શક્ય બનતી નથી હોતી. આ સ્વ-રચનામાં સૂરજદેવ પર વ્હાલની અભિવ્યક્તિ કરી હતી.
ઉદધિ સમાવી ઉરમાં સઘળા વિતાપો
પ્રગટાવતો પરમ શીતળ વાદળીઓ
ઘનઘોર વાદળ નભે ગરજે ન કો’દી
જો ભાનુ આગ ઝરતો ન કદીય ઊગે.વિકરાળ ને વિકટ માનવ જિદગીમાં
શ્રમ-તાપથી ઊભરતાં સુખ, ચેન, શાતા.
સરસ કાવ્ય છે.