સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઉનાળો કાળઝાળ થાય છે – ગીતાવલોકન

ઉનાળો કાળઝાળ થાય છે,
પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.​​

–  અનિલ ચાવડા

       ગ્રીષ્મનું સરસ વર્ણન. અનિલભાઈ જેવા સિદ્ધ હસ્ત કવિની કલમે (કે માઉસ ક્લિકે !) જ આવી પરસેવે રેબઝેબ કરી નાંખતી અભિવ્યક્તિ શક્ય બને.

આખી અભિવ્યક્તિ આ રહી….

ls

આ લોગો પર ક્લિક કરો.

     ગીતના છેવાડે તેમણે પ્યારથી એ સૂરજિયાને છાંછિયું પણ કર્યું છે !

    આ ગીત સમજાવવું પડે  તેમ ન્થી. બસ…. એસી રૂમમાં, કુશાંદે ખુરશીમાં બેસીને પસીનો વહાવવાની મજા માણવાની છે !

    પણ,  સૂરજિયાને આ  વ્હાલ શા માટે?

    કદાચ……..ગ્રીષ્મ આપણને કાળઝાળ લાગે છે, પણ વર્ષાની મૂશળધાર રમઝટ એ સૂરજિયાના તાપ વિના શક્ય બનતી નથી હોતી. આ સ્વ-રચનામાં સૂરજદેવ પર વ્હાલની અભિવ્યક્તિ કરી હતી.

ઉદધિ સમાવી ઉરમાં સઘળા વિતાપો
પ્રગટાવતો પરમ શીતળ વાદળીઓ
ઘનઘોર વાદળ નભે ગરજે ન કો’દી
જો ભાનુ આગ ઝરતો ન કદીય ઊગે.

વિકરાળ ને વિકટ માનવ જિદગીમાં
શ્રમ-તાપથી ઊભરતાં સુખ, ચેન, શાતા.

એ સોનેટ આ રહ્યું ….

1 responses to “ઉનાળો કાળઝાળ થાય છે – ગીતાવલોકન

તમારા વિચારો જણાવશો?